Wednesday, March 11, 2026

અમદાવાદ વિમાન દુર્ઘટનાનું હવે ખુલશે રહસ્ય : વિમાનના બ્લેક બોક્સની મેમરી સફળતાપૂર્વક મળી

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ પ્લેન ક્રેશમાં મોટા સમાચાર સામે આવ્યાં છે. 12 જુને અમદાવાદ ક્રેશ થયેલા એર ઈન્ડિયાના વિમાનના બ્લેક બોક્સમાંથી ડેટા મળ્યાં છે. ડેટા મળ્યાં બાદ હવે જાણી શકાશે વિમાન તૂટી પડ્યું ત્યારે ત્યાંનો માહોલ કેવો હતો અને કયા કારણને લીધે વિમાન ક્રેશ થયું.અને એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ની લેબમાં તેનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. CVR, FDR માંથી મેળવેલા ડેટાની તપાસ ચાલી રહી છે. ગુરુવારે નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા આ માહિતી આપવામાં આવી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, 24 જુનના દિવસે ભારતીય વાયુસેના (IAF) વિમાન દ્વારા બ્લેક બોક્સને સુરક્ષિત રીતે દિલ્હી લવાયું હતું ત્યાર બાદ બીજું બ્લેક બોક્સ AAIB ની બીજી ટીમ દ્વારા લાવવામાં આવ્યું અને સાંજે 5:15 વાગ્યે લેબમાં પહોંચ્યું.બન્ને બ્લેક બોક્સ મળ્યાં બાદ પ્રથમ બ્લેક બોક્સના મેમરી મોડ્યુલને સફળતાપૂર્વક એક્સેસ કરવામાં આવ્યું અને ડેટા ડાઉનલોડ કરવામાં આવ્યો હતો. હવે બંને બ્લેક બોક્સમાંથી મળેલા ડેટાનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે જેથી જાણવા મળે કે અકસ્માત કેવી રીતે થયો અને તેના કારણો શું હતા.

એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171ના બ્લેકબોક્સ એટલે કે કૉકપિટ વૉઇસ રેકોર્ડર (CVR) અને ફ્લાઇટ ડેટા રેકોર્ડર (FDR), દુર્ઘટના બાદ મળ્યા હતા. આ ડેટાની તપાસ એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા કરવામાં આવી રહી છે. આ માટે AAIBએ આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ મુજબ એક બહુ-વિષયક ટીમ બનાવી છે, જેમાં ઉડ્ડયન ચિકિત્સા નિષ્ણાત, એર ટ્રાફિક કંટ્રોલ અધિકારી અને અમેરિકાના નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB)ના પ્રતિનિધિ સામેલ છે.

બ્લેકબોક્સના બે ભાગમાંથી એક 13 જૂને દુર્ઘટનાસ્થળે ઇમારતની છત પરથી અને બીજો 16 જૂને કાટમાળમાંથી મળી આવ્યો હતો. 24 જૂને ભારતીય વાયુસેનાના વિમાન દ્વારા આ બ્લેક બોક્સ અમદાવાદથી દિલ્હી લાવવામાં આવ્યો હતો. AAIB અને NTSBની ટીમે તે જ દિવસે સાંજે ડેટા ડાઉનલોડ કરવાની પ્રક્રિયા શરૂ કરી. આ ડેટા દુર્ઘટનાના કારણો જેમ કે ટેકનિકલ ખામી કે અન્ય સમસ્યાઓ શોધવામાં મદદ કરશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...