Wednesday, January 21, 2026

નવા વાડજની અક્ષર પ્રાથમિક શાળામાં રથયાત્રાની ઉજવણી:વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ બાળ રથયાત્રા કાઢી

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં આવેલી અક્ષર પ્રાથમિક શાળામાં આજે 26 જૂન 2025ના રોજ શ્રી જગન્નાથ રથયાત્રાની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના આચાર્ય શ્રી અક્ષર જોશીના નેતૃત્વમાં નવા વાડજ વિસ્તારમાં બાળ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ, નવા વાડજ વિસ્તારમાં આવેલ અક્ષર પ્રાથમિક શાળા દ્વારા આજે તા. 26/6/25 ને ગુરુવારે સવારે 8 થી 11 દરમિયાન ભગવાન જગન્નાથ ભગવાનની બાળ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, શાળા દ્વારા છેલ્લા 16 વર્ષથી સતત આ બાળ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. રથમાં ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી હતી. શાળાના તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. ભજન-કીર્તન સાથે શાળા પરિસરમાં ધાર્મિક વાતાવરણ સર્જાયું હતું.

શાળાના સંચાલક માનવભાઈ જોશીના જણાવ્યા મુજબ, જગન્નાથપુરીથી આવેલા ભગવાન જગન્નાથ, બલભદ્ર તથા બહેન સુભદ્રાની પ્રતિમાને વધાવી લેવા છેલ્લા 16 વર્ષથી સતત આ બાળ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે.જેમાં ભગવાનના શણગારનું જીણામાં ઝીણું ધ્યાન રાખવામાં આવે છે.ભગવાનના પોશાકના કલર કોમ્બિનેશનથી લઈ ઝવેરાતના મેચિંગ માટે ખૂબ જ સજાગતા જાળવવામાં આવે છે.એક નાનકડી હાથલારીનો રથ બનાવી અને એ રથને પણ એવો સુંદર રીતે સજાવવામાં આવે છે કે, ભગવાન જ્યારે આખા વિસ્તારની પરિક્રમા કરે તેમને જરાય તકલીફ ન પડે અને બાળકોને પણ રસ ખેંચવામાં હલકો અને સુવિધાપૂર્ણ રહે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે રથયાત્રાના આયોજનમાં પોલીસ પરમિશનથી લઇ રથયાત્રાના રિહર્સલ દરમિયાન બાળકોની સલામતી અને ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે ખૂબ જ સજાગતા શાળા દ્વારા રાખવામાં આવે છે.. સવારે ભગવાનની આરતી કરી નીકળેલી રથયાત્રા ભીમજીપુરા પહોંચે તે પહેલા રસ્તામાં જાત-જાતની વેશભૂષા અને ગરબાનું આયોજન કરવામાં આવે છે અને ત્યારબાદ બાળકોએ તૈયાર કરેલા અખાડાના વિવિધ દાવોનું પ્રદર્શન રાખવામાં આવે છે.. રથયાત્રા આગળ વધે તે દરમિયાન શાળા અને વાલી દ્વારા સમૂહમાં તૈયાર કરાયેલ ફણગાયેલા મગ, જાંબુ તથા ચોકલેટની પ્રસાદી રસ્તામાં આવતા વાહનચાલકો, દુકાનદારો અને રહીશોને ખુલ્લા હાથે વિતરણ કરવામાં આવે છે.લગભગ 75 કિલો મગ, 10 કિલો જાંબુ અને પાંચ કિલો ચોકલેટની પ્રસાદી સમગ્ર વિસ્તાર પ્રેમથી આરોગે છે અને ભગવાનના દર્શનથી ધન્યતા અનુભવે છે.

આ ભક્તિમય કાર્યક્રમમાં શાળાના સંચાલક અને ટ્રસ્ટી માનવભાઈ જોશી, આચાર્ય અક્ષરભાઈ જોશી તેમજ તમામ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. આ ભવ્ય કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળા પરિવારના તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમ વિદ્યાર્થીઓમાં ધાર્મિક અને સાંસ્કૃતિક મૂલ્યોના સિંચન માટે એક સુંદર પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...