30.3 C
Gujarat
Tuesday, October 22, 2024

આવતીકાલે જાગરણને લઈને કાંકરિયા પરિસર મહિલાઓ અને બાળકો માટે આખી રાત ખુલ્લું રહેશે

Share

અમદાવાદ : આવતીકાલે શુક્રવારે જયાપાર્વતી વ્રતનો છેલ્લો દિવસ અને જાગરણ હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યુવતીઓ અને બાળકીઓ પરિવાર સાથે જાગરણ કરી શકે તેના માટે કાંકરિયા પરિસરને આખી રાત ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ આવતીકાલે શુક્રવારે રાત્રે 8 વાગ્યાથી માત્ર મહિલાઓ, બાળકીઓ અને 12 વર્ષથી નાના બાળકોને કાંકરિયા લેક્ફ્રન્ટમાં પ્રવેશ આપવામાં આવશે. પુરુષો અને યુવકો માટે કાંકરિયા પરિસર વહેલી સવારે ત્રણ વાગ્યા સુધી પ્રવેશ માટે બંધ રહેશે. કાંકરિયા પરિસરમાં અલગ-અલગ ચાર જગ્યાએ વિશાળ સ્ક્રીન પર ગુજરાતી અને હિન્દી ફિલ્મો પણ બતાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.જયાપાર્વતી વ્રતનું જાગરણ બાળકીઓ અને યુવતીઓ કરી શકે તેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાંકરિયા પરિસરમાં આયોજન કર્યું છે.

આ સિવાય કાંકરિયાના ગેટ નંબર 1 પુષ્પકુંજ અને ગેટ નંબર-3 વિદ્યાલય પાસે મહિલાઓ અને બાળકીઓ માટે ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કાંકરિયા પરિસરમાં આવેલી નગીનાવાડી સહિત તમામ રાઇડ્સ અને એમ્યુઝમેન્ટ પાર્ક પણ આખી રાત ચાલુ રહેશે મહિલા પોલીસ દ્વારા પણ કાંકરિયા પરિસરમાં સઘન પેટ્રોલિંગ કરવામાં આવશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles