Wednesday, September 17, 2025

આવતીકાલે જાગરણને લઈને કાંકરિયા પરિસર મહિલાઓ અને બાળકો માટે આખી રાત ખુલ્લું રહેશે

Share

Share

અમદાવાદ : આવતીકાલે શુક્રવારે જયાપાર્વતી વ્રતનો છેલ્લો દિવસ અને જાગરણ હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યુવતીઓ અને બાળકીઓ પરિવાર સાથે જાગરણ કરી શકે તેના માટે કાંકરિયા પરિસરને આખી રાત ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ આવતીકાલે શુક્રવારે રાત્રે 8 વાગ્યાથી માત્ર મહિલાઓ, બાળકીઓ અને 12 વર્ષથી નાના બાળકોને કાંકરિયા લેક્ફ્રન્ટમાં પ્રવેશ આપવામાં આવશે. પુરુષો અને યુવકો માટે કાંકરિયા પરિસર વહેલી સવારે ત્રણ વાગ્યા સુધી પ્રવેશ માટે બંધ રહેશે. કાંકરિયા પરિસરમાં અલગ-અલગ ચાર જગ્યાએ વિશાળ સ્ક્રીન પર ગુજરાતી અને હિન્દી ફિલ્મો પણ બતાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.જયાપાર્વતી વ્રતનું જાગરણ બાળકીઓ અને યુવતીઓ કરી શકે તેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાંકરિયા પરિસરમાં આયોજન કર્યું છે.

આ સિવાય કાંકરિયાના ગેટ નંબર 1 પુષ્પકુંજ અને ગેટ નંબર-3 વિદ્યાલય પાસે મહિલાઓ અને બાળકીઓ માટે ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કાંકરિયા પરિસરમાં આવેલી નગીનાવાડી સહિત તમામ રાઇડ્સ અને એમ્યુઝમેન્ટ પાર્ક પણ આખી રાત ચાલુ રહેશે મહિલા પોલીસ દ્વારા પણ કાંકરિયા પરિસરમાં સઘન પેટ્રોલિંગ કરવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...