Tuesday, April 28, 2026

અમદાવાદીઓ સ્વાદનો ચટાકો પડશે ભારે : આ રેસ્ટોરન્ટના રસોડામાં મૃત-જીવિત વંદાઓ મળ્યા, AMCએ માર્યું સીલ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં બહારનું ખાવાના શોખીનો માટે ફરી એક વખત આંખ ઉઘાડતા સમાચાર સામે આવ્યા હતા.કારણ કે, હવે હોટલ અને રેસ્ટોરન્ટમાં કોઈપણ ચીજ-વસ્તુઓમાંથી જીવ-જંતુઓ નીકળવાની ફરિયાદો સતત વધી રહી છે. અમદાવાદમાં બે અલગ અલગ સ્થળે ખાવા પીવાની ચીજ-વસ્તુઓમાંથી જીવ-જંતુઓ નીકળવાની ફરિયાદો આવતા મ્યુ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા સીલ મારવામાં આવેલ છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં શિવાલિક કોમ્પ્લેક્સમાં આવેલા સબ- વે રેસ્ટોરન્ટમાં રસોડામાંથી જીવીત અને મૃત હાલતમાં વંદા મળી આવ્યા હતા, જેના કારણે તેને સીલ મારવામાં આવ્યું હતું. તો બીજી તરફ નારણપુરાના સોલા રોડ ઉપર ગોકુલ એપાર્ટમેન્ટ પાસે આવેલી ન્યુ પટેલ ડેરી ફાર્મમાં પણ મેંગો મિલ્ક શેકમાંથી ગરોળી મળી આવી હતી, જેના કારણે થઈને તેને પણ સીલ મારવામાં આવ્યું છે. હોટલ રેસ્ટોરન્ટ અને ખાણીપીણીની જગ્યા ઉપર અનહાઇજેનિક કન્ડિશનમાં ખાવા- પીવાની ચીજ વસ્તુઓ બનાવવામાં આવતી હોવાથી લોકોના આરોગ્યને જોખમ છે.

આ અગાઉ ગત મહિને અમદાવાદમાં મણિનગરના મહાલક્ષ્મી કોર્નરમાંથી ખરીદેલ હેવમોરના આઈસક્રીમ કોનમાંથી ગરોળી નીકળતા એકમ સીલ કરાયું હતું. જેમાં મણિનગરમાં રહેતી મહિલાએ મહાલક્ષ્મી કોર્નરમાંથી હેવમોરનો હેપ્પીકોન આઈસક્રીમ લીધો હતો. કોન ખાધા પછી તેમાંથી ગરોળી નીકળી હોવાની ફરિયાદ મ્યુનિ.ના ફુડ વિભાગને મળતા લાયસન્સ વગર ધંધો કરતા એકમને સીલ કર્યુ હતું. મણિનગરમાં રહેતી મહિલાએ મહાલક્ષ્મી કોર્નર, મણિનગર જુના રેલવે ક્રોસીંગ પાસે આવેલા એકમમાંથી હેવમોરનો હેપ્પીકોન આઈસક્રીમ લીધો હતો.

આઈસક્રીમ ખાધા પછી મોંઢામાં તેને કંઈક હોવાનુ જાણ થતા કોનમાથી ગરોળીની પૂંછડી નીકળતા તેને ઉલટી થઈ હતી. આ ફરિયાદ સંદર્ભમાં મહાલક્ષ્મી કોર્નર ખાતે તપાસ કરી હેપ્પીકોન આઈસક્રીમનું એક સેમ્પલ લેબોરેટરી ટેસ્ટ માટે લેવાયું હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...