Saturday, January 17, 2026

અમદાવાદીઓ સ્વાદનો ચટાકો પડશે ભારે : આ રેસ્ટોરન્ટના રસોડામાં મૃત-જીવિત વંદાઓ મળ્યા, AMCએ માર્યું સીલ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં બહારનું ખાવાના શોખીનો માટે ફરી એક વખત આંખ ઉઘાડતા સમાચાર સામે આવ્યા હતા.કારણ કે, હવે હોટલ અને રેસ્ટોરન્ટમાં કોઈપણ ચીજ-વસ્તુઓમાંથી જીવ-જંતુઓ નીકળવાની ફરિયાદો સતત વધી રહી છે. અમદાવાદમાં બે અલગ અલગ સ્થળે ખાવા પીવાની ચીજ-વસ્તુઓમાંથી જીવ-જંતુઓ નીકળવાની ફરિયાદો આવતા મ્યુ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા સીલ મારવામાં આવેલ છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં શિવાલિક કોમ્પ્લેક્સમાં આવેલા સબ- વે રેસ્ટોરન્ટમાં રસોડામાંથી જીવીત અને મૃત હાલતમાં વંદા મળી આવ્યા હતા, જેના કારણે તેને સીલ મારવામાં આવ્યું હતું. તો બીજી તરફ નારણપુરાના સોલા રોડ ઉપર ગોકુલ એપાર્ટમેન્ટ પાસે આવેલી ન્યુ પટેલ ડેરી ફાર્મમાં પણ મેંગો મિલ્ક શેકમાંથી ગરોળી મળી આવી હતી, જેના કારણે થઈને તેને પણ સીલ મારવામાં આવ્યું છે. હોટલ રેસ્ટોરન્ટ અને ખાણીપીણીની જગ્યા ઉપર અનહાઇજેનિક કન્ડિશનમાં ખાવા- પીવાની ચીજ વસ્તુઓ બનાવવામાં આવતી હોવાથી લોકોના આરોગ્યને જોખમ છે.

આ અગાઉ ગત મહિને અમદાવાદમાં મણિનગરના મહાલક્ષ્મી કોર્નરમાંથી ખરીદેલ હેવમોરના આઈસક્રીમ કોનમાંથી ગરોળી નીકળતા એકમ સીલ કરાયું હતું. જેમાં મણિનગરમાં રહેતી મહિલાએ મહાલક્ષ્મી કોર્નરમાંથી હેવમોરનો હેપ્પીકોન આઈસક્રીમ લીધો હતો. કોન ખાધા પછી તેમાંથી ગરોળી નીકળી હોવાની ફરિયાદ મ્યુનિ.ના ફુડ વિભાગને મળતા લાયસન્સ વગર ધંધો કરતા એકમને સીલ કર્યુ હતું. મણિનગરમાં રહેતી મહિલાએ મહાલક્ષ્મી કોર્નર, મણિનગર જુના રેલવે ક્રોસીંગ પાસે આવેલા એકમમાંથી હેવમોરનો હેપ્પીકોન આઈસક્રીમ લીધો હતો.

આઈસક્રીમ ખાધા પછી મોંઢામાં તેને કંઈક હોવાનુ જાણ થતા કોનમાથી ગરોળીની પૂંછડી નીકળતા તેને ઉલટી થઈ હતી. આ ફરિયાદ સંદર્ભમાં મહાલક્ષ્મી કોર્નર ખાતે તપાસ કરી હેપ્પીકોન આઈસક્રીમનું એક સેમ્પલ લેબોરેટરી ટેસ્ટ માટે લેવાયું હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...