Wednesday, January 21, 2026

આજથી સિનિયર સિટીઝન AMTS-BRTSમાં મફત મુસાફરી માટે કુલ 9 જગ્યાએથી પાસ કઢાવી શકશે, જાણો સ્થળ અને સમય

spot_img
Share

અમદાવાદ : શહેરીજનોને એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે પરિવહનની સુવિધા મળી શકે તેના માટે BRTS અને AMTS બસ ચલાવવામાં આવે છે. મુસાફરી માટે વિદ્યાર્થીઓ, સિનિયર સિટીઝનના પાસ કાઢી આપવામાં આવે છે. AMTS અને BRTS બસમાં સિનિયર સિટીઝનોને ફ્રી મુસાફરી માટેના પાસ કાઢવા ઝાંસીની રાણી અને સોનીની ચાલી એમ બે BRTS સ્ટેશન પર સુવિધા શરૂ કરવામાં આવી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં AMTS અને BRTS બસમાં સિનિયર સિટીઝનોને ફ્રી મુસાફરી માટેના પાસ કાઢવા ઝાંસીની રાણી અને સોનીની ચાલી એમ બે BRTS સ્ટેશન પર સુવિધા શરૂ કરવામાં આવી હતી.જો કે તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા ન કરવામાં આવતા ભીડ થઈ હતી. જેથી સોમવાર(14 જુલાઈ, 2025)થી ત્રણ મુખ્ય AMTS ટર્મિનસ અને છ જેટલા અન્ય ટર્મિનસ પરથી સિનિયર સિટીઝનો અને વિદ્યાર્થીઓ પોતાના પાસ કઢાવી શકશે.

શહેરમાં BRTS બસમાં સિનિયર સિટીઝન તેમજ વિદ્યાર્થીઓના પાસ કઢાવવા માટે થઈને નવા 6 જેટલા AMTS બસ ટર્મિનસ ઉપર કાઉન્ટર શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત સારંગપુર અને જુના વાડજ બસ ટર્મિનસ તેમજ ખાનપુર રિટ્ઝ હોટલ AMTS બસ ડેપો ખાતેથી પણ સવારે 8:15 વાગ્યાથી બપોરે 3:00 વાગ્યા સુધી પાસ કઢાવી શકશે. બપોરે 12:00 થી 12:30 વાગ્યા દરમિયાન રિસેસ રહેશે

આ સમયગાળા દરમિયાન સિનિયર સિટીઝનો પોતાના નિયત પુરાવા સાથે ફોટો પડાવી અને 75 રૂપિયા ભરીને નવા BRTS ના પાસ મેળવી શકશે.સિનિયર સિટીઝનો માટે અત્યાર સુધીમાં 75 વર્ષથી ઉપરની વયના મુસાફરો માટે મફત પાસની સુવિધા હતી પરંતુ હવેથી 65 વર્ષથી ઉપરના લોકો માટે મફત પાસની સુવિધા કરવામાં આવી છે.

દિવ્યાંગ લોકોને પણ BRTS બસમાં મુસાફરી માટે 40 ટકા કન્સેન્શન આપવામાં આવતું હતું. જેની જગ્યાએ હવે મફત મુસાફરીનો પાસ કાઢી આપવામાં આવશે. વિદ્યાર્થીઓ અને મનપસંદ મુસાફરી વગેરે માટે નિયત કરેલી ફી અને કાર્ડથી ભરીને પાસ કઢાવી શકશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...