અમદાવાદ : શહેરીજનોને એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે પરિવહનની સુવિધા મળી શકે તેના માટે BRTS અને AMTS બસ ચલાવવામાં આવે છે. મુસાફરી માટે વિદ્યાર્થીઓ, સિનિયર સિટીઝનના પાસ કાઢી આપવામાં આવે છે. AMTS અને BRTS બસમાં સિનિયર સિટીઝનોને ફ્રી મુસાફરી માટેના પાસ કાઢવા ઝાંસીની રાણી અને સોનીની ચાલી એમ બે BRTS સ્ટેશન પર સુવિધા શરૂ કરવામાં આવી હતી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં AMTS અને BRTS બસમાં સિનિયર સિટીઝનોને ફ્રી મુસાફરી માટેના પાસ કાઢવા ઝાંસીની રાણી અને સોનીની ચાલી એમ બે BRTS સ્ટેશન પર સુવિધા શરૂ કરવામાં આવી હતી.જો કે તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા ન કરવામાં આવતા ભીડ થઈ હતી. જેથી સોમવાર(14 જુલાઈ, 2025)થી ત્રણ મુખ્ય AMTS ટર્મિનસ અને છ જેટલા અન્ય ટર્મિનસ પરથી સિનિયર સિટીઝનો અને વિદ્યાર્થીઓ પોતાના પાસ કઢાવી શકશે.
શહેરમાં BRTS બસમાં સિનિયર સિટીઝન તેમજ વિદ્યાર્થીઓના પાસ કઢાવવા માટે થઈને નવા 6 જેટલા AMTS બસ ટર્મિનસ ઉપર કાઉન્ટર શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત સારંગપુર અને જુના વાડજ બસ ટર્મિનસ તેમજ ખાનપુર રિટ્ઝ હોટલ AMTS બસ ડેપો ખાતેથી પણ સવારે 8:15 વાગ્યાથી બપોરે 3:00 વાગ્યા સુધી પાસ કઢાવી શકશે. બપોરે 12:00 થી 12:30 વાગ્યા દરમિયાન રિસેસ રહેશે
આ સમયગાળા દરમિયાન સિનિયર સિટીઝનો પોતાના નિયત પુરાવા સાથે ફોટો પડાવી અને 75 રૂપિયા ભરીને નવા BRTS ના પાસ મેળવી શકશે.સિનિયર સિટીઝનો માટે અત્યાર સુધીમાં 75 વર્ષથી ઉપરની વયના મુસાફરો માટે મફત પાસની સુવિધા હતી પરંતુ હવેથી 65 વર્ષથી ઉપરના લોકો માટે મફત પાસની સુવિધા કરવામાં આવી છે.
દિવ્યાંગ લોકોને પણ BRTS બસમાં મુસાફરી માટે 40 ટકા કન્સેન્શન આપવામાં આવતું હતું. જેની જગ્યાએ હવે મફત મુસાફરીનો પાસ કાઢી આપવામાં આવશે. વિદ્યાર્થીઓ અને મનપસંદ મુસાફરી વગેરે માટે નિયત કરેલી ફી અને કાર્ડથી ભરીને પાસ કઢાવી શકશે.