Thursday, January 22, 2026

નારણપુરામાં સોના-ચાંદીમાં નફાની લાલચ આપી 1 કરોડથી વધુની છેતરપિંડી કરનાર ઝડપાયો

spot_img
Share

અમદાવાદ : ગુજરાતભરમાંથી સતત છેતરપિંડીની ઘટનાઓ સામે આવી રહી છે. એવામાં અમદાવાદમાંથી વધુ નફાની લાલચ આપી રોકાણ કરાવી છેતરપિંડી આચરનાર શખ્સ આખરે ઝડપી પડાયો છે. અમદાવાદ શહેરના નારણપુરામાં શાસ્ત્રીનગરના રત્નાકર જ્વેલર્સના માલિક ઊંચું વળતર આપવાની લાલચે રૂપિયા પડાવી સોની ફરાર થઈ ગયો હતો. જોકે લોકોએ હલ્લાબોલ કરતા આખરે પોલીસે ફરિયાદ નોંધી પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના નારણપુરા પાસે આવેલ શાસ્ત્રીનગરમાં આવેલા રત્નાકર જ્વેલર્સના માલિકે કૌભાંડ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જ્વેલર્સના માલિકે લોકોને સોના-ચાંદીની ખરીદી થકી બેંક વ્યાજ તથા અન્ય રોકાણ કરતા વધુ વળતર અને નફો આપવાની લાલચ આપી હતી. લોકોને રોકાણ કરાવ્યું હતું. બાદમાં સોનુ-ચાંદી વેચાણ કરાવીને એડવાન્સ રકમ મેળવીને કુલ રૂ. 1.43 કરોડની છેતરપિંડી આચરી હતી. આરોપીએ દાગીના કે નફો ન આપતા લોકોએ દુકાન પર હોબાળો મચાવતા આરોપી તાળા મારીને ભાગી છૂટ્યો હતો.ઘાટલોડિયા પોલીસે આ મામલે તપાસ કરી ગુનો નોંધી છેતરપિંડી આચરનાર નિકેશ શાહની ધરપકડ કરી છે.

નારણપુરામાં રહેતા પ્રિયંકભાઇ પટેલ બેન્કમાં આસિસ્ટન્ટ મેનેજર છે. તેમણે શાસ્ત્રીનગરમાં આવેલા રત્નાકર જ્વેલર્સમાંથી સોના-ચાંદીના દાગીના ખરીદ્યા ત્યારે જ્વેલર્સના માલિક નિકેશ શાહે સોના-ચાંદીમાં રોકાણ કરવા આગ્રહ કર્યો હતો. રોકાણ કરવા બદલ સારૂ વળતર અપાવવાની પણ લાલચ આપી હતી. જેથી પ્રિયંકભાઇએ 15 લાખ એડવાન્સ આપીને સોના-ચાંદીની ખરીદી કરી હતી.

જે બાદ આરોપીએ ભાવ વધારો થયાનું કહીને સોનુ-ચાંદી વેચાણ કરવા આગ્રહ કર્યો હતો. આરોપીએ સોનુ-ચાંદી વધુ ભાવે ખરીદીને આશરે 25 લાખથી વધુની રકમ ચૂકવી નહોતી. જેથી પ્રિયંકભાઇ ઉઘરાણી કરતા હતા અને એક દિવસ જ્વેલર્સ શોપ પર પહોંચ્યા ત્યારે અનેક લોકોનું ટોળું ભેગું થયુ હતું. ભોગ બનનાર લોકો દાગીનાની ડિલિવરી અને હિસાબ બાબતે તકરાર કરી રહ્યા હતા. જેથી આ મામલે પોલીસને જાણ થતાં પોલીસે તપાસ શરૂ કરી હતી.

પોલીસ તપાસમાં રત્નાકર જ્વેલર્સની લોભામણી જાહેરાતમાં 16 લોકો સાથે 1.43 કરોડની છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું હતું. આરોપી નિકેશ શાહે સોના-ચાંદીની ખરીદી થકી બેંક વ્યાજ તથા અન્ય રોકાણ કરતા વધુ વળતર અને નફો આપવાની લાલચ આપીને એડવાન્સ રકમ મેળવીને છેતરપિંડી આચરવા બદલ ઘાટલોડિયા પોલીસે ગુનો નોંધી આરોપી નિકેશ શાહની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...