30.6 C
Gujarat
Wednesday, July 30, 2025

નારણપુરામાં સોના-ચાંદીમાં નફાની લાલચ આપી 1 કરોડથી વધુની છેતરપિંડી કરનાર ઝડપાયો

Share

અમદાવાદ : ગુજરાતભરમાંથી સતત છેતરપિંડીની ઘટનાઓ સામે આવી રહી છે. એવામાં અમદાવાદમાંથી વધુ નફાની લાલચ આપી રોકાણ કરાવી છેતરપિંડી આચરનાર શખ્સ આખરે ઝડપી પડાયો છે. અમદાવાદ શહેરના નારણપુરામાં શાસ્ત્રીનગરના રત્નાકર જ્વેલર્સના માલિક ઊંચું વળતર આપવાની લાલચે રૂપિયા પડાવી સોની ફરાર થઈ ગયો હતો. જોકે લોકોએ હલ્લાબોલ કરતા આખરે પોલીસે ફરિયાદ નોંધી પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના નારણપુરા પાસે આવેલ શાસ્ત્રીનગરમાં આવેલા રત્નાકર જ્વેલર્સના માલિકે કૌભાંડ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જ્વેલર્સના માલિકે લોકોને સોના-ચાંદીની ખરીદી થકી બેંક વ્યાજ તથા અન્ય રોકાણ કરતા વધુ વળતર અને નફો આપવાની લાલચ આપી હતી. લોકોને રોકાણ કરાવ્યું હતું. બાદમાં સોનુ-ચાંદી વેચાણ કરાવીને એડવાન્સ રકમ મેળવીને કુલ રૂ. 1.43 કરોડની છેતરપિંડી આચરી હતી. આરોપીએ દાગીના કે નફો ન આપતા લોકોએ દુકાન પર હોબાળો મચાવતા આરોપી તાળા મારીને ભાગી છૂટ્યો હતો.ઘાટલોડિયા પોલીસે આ મામલે તપાસ કરી ગુનો નોંધી છેતરપિંડી આચરનાર નિકેશ શાહની ધરપકડ કરી છે.

નારણપુરામાં રહેતા પ્રિયંકભાઇ પટેલ બેન્કમાં આસિસ્ટન્ટ મેનેજર છે. તેમણે શાસ્ત્રીનગરમાં આવેલા રત્નાકર જ્વેલર્સમાંથી સોના-ચાંદીના દાગીના ખરીદ્યા ત્યારે જ્વેલર્સના માલિક નિકેશ શાહે સોના-ચાંદીમાં રોકાણ કરવા આગ્રહ કર્યો હતો. રોકાણ કરવા બદલ સારૂ વળતર અપાવવાની પણ લાલચ આપી હતી. જેથી પ્રિયંકભાઇએ 15 લાખ એડવાન્સ આપીને સોના-ચાંદીની ખરીદી કરી હતી.

જે બાદ આરોપીએ ભાવ વધારો થયાનું કહીને સોનુ-ચાંદી વેચાણ કરવા આગ્રહ કર્યો હતો. આરોપીએ સોનુ-ચાંદી વધુ ભાવે ખરીદીને આશરે 25 લાખથી વધુની રકમ ચૂકવી નહોતી. જેથી પ્રિયંકભાઇ ઉઘરાણી કરતા હતા અને એક દિવસ જ્વેલર્સ શોપ પર પહોંચ્યા ત્યારે અનેક લોકોનું ટોળું ભેગું થયુ હતું. ભોગ બનનાર લોકો દાગીનાની ડિલિવરી અને હિસાબ બાબતે તકરાર કરી રહ્યા હતા. જેથી આ મામલે પોલીસને જાણ થતાં પોલીસે તપાસ શરૂ કરી હતી.

પોલીસ તપાસમાં રત્નાકર જ્વેલર્સની લોભામણી જાહેરાતમાં 16 લોકો સાથે 1.43 કરોડની છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું હતું. આરોપી નિકેશ શાહે સોના-ચાંદીની ખરીદી થકી બેંક વ્યાજ તથા અન્ય રોકાણ કરતા વધુ વળતર અને નફો આપવાની લાલચ આપીને એડવાન્સ રકમ મેળવીને છેતરપિંડી આચરવા બદલ ઘાટલોડિયા પોલીસે ગુનો નોંધી આરોપી નિકેશ શાહની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles