Friday, March 13, 2026

અમદાવાદમાં હોમગાર્ડની સરાજાહેર હત્યા, પોલીસે કરી બંને આરોપીઓની ધરપકડ

spot_img
Share

અમદાવાદ : શહેરના દિલ્હી દરવાજા વિસ્તારમાં સોમવારે રાત્રિના સમયે હોમગાર્ડ જવાનની સરાજાહેર હત્યા નિપજાવી દેવાતા ચકચાર મચી છે. બદરુદ્દીન નામના શખસે મેરી બીબીકે સામને ક્યું દેખતા હૈ હોવાનું કહી હોમગાર્ડ જવાન સાથે ઝઘડો કર્યો હતો.સામાન્ય બોલાચાલી બાદ હોમગાર્ડ પર છરી વડે હુમલો કરવામાં આવતા તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. સારવાર અને ઓપરેશન બાદ આજે હોમગાર્ડ જવાનનું મોત નીપજતા પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી તપાસ શરૂ કરી હતી. બીજી તરફ ક્રાઈમ બ્રાન્ચે હોમગાર્ડ પર હુમલો કરનાર બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના દિલ્હી દરવાજા વિસ્તારમાં 21મી જૂલાઈએ મારામારીનો બનાવ સામે આવ્યો હતો જે હત્યામાં પરિણમ્યો છે. રાતના સમયે બદરૂદ્દીન શાહ અને નીલમ પ્રજાપતિ નામના યુવક યુવતી ત્યાં ઊભા હતા, તે દરમિયાન બદરુદ્દીન શાહે મારી પત્ની સામે કેમ જોવે છે તેમ કહીને હોમગાર્ડ જવાન કિશન શ્રીમાળી સાથે બોલાચાલી કરી હતી. જે દરમિયાન બદરુદિને દ્વારા કિશનને છરીના ઘા માર્યા હતા, જેથી કિસાન ત્યાંથી નાસી ગયો હતો. જે બાદ તેને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ઓપરેશન બાદ તેનું મોત નીપજ્યું હતું. કિશનની હત્યા કરનાર બદરુદિન અને નીલમ પ્રજાપતિને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બદરુદિન અને નીલમ લિવ ઇનમાં રહે છે અને બંને વિરુદ્ધ અગાઉ અનેક ગુનાઓ પણ નોંધાઈ ચૂક્યા છે. બદરૂદ્દીન વિરુદ્ધ અમદાવાદ શહેરના અલગ અલગ પોલીસ મથકોમાં ચોરી, લૂંટ સહિતના 15 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે તેમજ નીલમ પ્રજાપતિ વિરુદ્ધ પણ શહેરના અલગ અલગ પોલીસ મથકોમાં પાંચ જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.

હાલ તો પોલીસે મૃતક હોમગાર્ડ જવાન કિશન શ્રીમાળીના ભાઈની ફરિયાદને આધારે બદરૂદ્દીન શાહ અને નીલમ પ્રજાપતિની ધરપકડ કરી છે. પોલીસ તપાસ કરી રહી છે કે ખરેખર હત્યા પાછળનું કારણ કિશન શ્રીમાળી દ્વારા નીલમ પ્રજાપતિની સામે જોવાનું જ છે કે પછી અન્ય કોઈ કારણથી બોલાચાલી અને હત્યા થઈ છે. આ ઉપરાંત બંને આરોપીઓએ શહેરમાં અન્ય કોઈ ગુનાઓને અંજામ આપ્યો છે કે કેમ તેની પણ પોલીસે તપાસ શરૂ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...