Tuesday, January 20, 2026

ફરી એક વિમાન દુર્ઘટના ટળી…અમદાવાદથી દીવ જતી ફ્લાઇટમાં ટેક ઓફ દરમિયાન અચાનક લાગી આગ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં દીવ જવા માટે ટેકઑફની તૈયાર કરી રહેલી ઇન્ડિગોની ફ્લાઇટના એન્જિનમાં અચાનક આગ લાગી ગઈ. વિમાનમાં કુલ 60 મુસાફરો સવાર હતા. આગ લાગવાની માહિતી મળતા જ પાઇલટે એટીસીને ‘મેડે’ કૉલ આપ્યો અને પ્લેનને ટેકઓફ કરતા રોકી દેવામાં આવ્યું હતું.તે બાદ મુસાફરોને વિમાનમાંથી સુરક્ષિત ઉતારવામાં આવ્યા હતા અને ફ્લાઇટ રદ કરવામાં આવી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, પ્લેનમાં ATC ક્લિયરન્સ મળ્યા બાદ રન વે પર રોલ કરવાનું શરૂ જ કર્યું હતું. આ રોલિંગ બાદ પ્લેન ટેકઓફ કરવા જાય છે પરંતુ ત્યારે ફ્લાઇટના એન્જિનમાં આગ લાગી ગઇ અને પાયલોટે એર ટ્રાફિક કંટ્રોલને મેડે કોલ આપ્યો હતો.ઉતાવળમાં ફ્લાઇટને ખાલી કરાવવામાં આવી હતી. ઇન્ડિગો પ્રવક્તા અનુસાર, સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરનું પાલન કરતા પાયલોટે અધિકારીઓને જાણકારી આપી હતી અને પ્લેનને પરત ‘બે’માં મોકલી દીધુ છે. ઇન્ડિગોએ કહ્યું કે ફ્લાઇટને ઓપરેશનમાં લાવ્યા પહેલા જરૂરી તપાસ અને મેઇન્ટેનન્સ કરવામાં આવશે.

એરલાઇને ગ્રાહકોને થયેલી અસુવિધા બદલ માફી માંગી છે અને તેમને બીજી ફ્લાઇટમાં ટ્રાન્સફર અથવા સંપૂર્ણ રિફંડ આપવાની ઑફર કરી છે. સોમવારે, ગોવાથી ઇન્દોર જતી ઇન્ડિગોની ફ્લાઇટમાં પણ લેન્ડિંગ પહેલાં ટેકનિકલ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. જોકે, વિમાને સુરક્ષિત રીતે લેન્ડિંગ કર્યું હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...