Wednesday, March 4, 2026

ફરી એક વિમાન દુર્ઘટના ટળી…અમદાવાદથી દીવ જતી ફ્લાઇટમાં ટેક ઓફ દરમિયાન અચાનક લાગી આગ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં દીવ જવા માટે ટેકઑફની તૈયાર કરી રહેલી ઇન્ડિગોની ફ્લાઇટના એન્જિનમાં અચાનક આગ લાગી ગઈ. વિમાનમાં કુલ 60 મુસાફરો સવાર હતા. આગ લાગવાની માહિતી મળતા જ પાઇલટે એટીસીને ‘મેડે’ કૉલ આપ્યો અને પ્લેનને ટેકઓફ કરતા રોકી દેવામાં આવ્યું હતું.તે બાદ મુસાફરોને વિમાનમાંથી સુરક્ષિત ઉતારવામાં આવ્યા હતા અને ફ્લાઇટ રદ કરવામાં આવી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, પ્લેનમાં ATC ક્લિયરન્સ મળ્યા બાદ રન વે પર રોલ કરવાનું શરૂ જ કર્યું હતું. આ રોલિંગ બાદ પ્લેન ટેકઓફ કરવા જાય છે પરંતુ ત્યારે ફ્લાઇટના એન્જિનમાં આગ લાગી ગઇ અને પાયલોટે એર ટ્રાફિક કંટ્રોલને મેડે કોલ આપ્યો હતો.ઉતાવળમાં ફ્લાઇટને ખાલી કરાવવામાં આવી હતી. ઇન્ડિગો પ્રવક્તા અનુસાર, સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરનું પાલન કરતા પાયલોટે અધિકારીઓને જાણકારી આપી હતી અને પ્લેનને પરત ‘બે’માં મોકલી દીધુ છે. ઇન્ડિગોએ કહ્યું કે ફ્લાઇટને ઓપરેશનમાં લાવ્યા પહેલા જરૂરી તપાસ અને મેઇન્ટેનન્સ કરવામાં આવશે.

એરલાઇને ગ્રાહકોને થયેલી અસુવિધા બદલ માફી માંગી છે અને તેમને બીજી ફ્લાઇટમાં ટ્રાન્સફર અથવા સંપૂર્ણ રિફંડ આપવાની ઑફર કરી છે. સોમવારે, ગોવાથી ઇન્દોર જતી ઇન્ડિગોની ફ્લાઇટમાં પણ લેન્ડિંગ પહેલાં ટેકનિકલ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. જોકે, વિમાને સુરક્ષિત રીતે લેન્ડિંગ કર્યું હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...