Saturday, July 25, 2026

મેટ્રોના મુસાફરો આનંદો ! અમદાવાદના આ રૂટમાં ફ્રિક્વન્સીમાં વધારો, પિકઅવર્સમાં દર 7 મિનિટે મેટ્રો મળશે

spot_img
Share

અમદાવાદ : શહેરમાં હજારો લોકો માટે વરદાનરૂપ મેટ્રોમાં મુસાફરી કરતા લોકો માટે એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. મુસાફરોની સુવિધા કરવા માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા સમયાંતરે મહત્ત્વનાં નિર્ણયો લેવામાં આવે છે. ત્યારે ફરી એકવાર મેટ્રોમાં મુસાફરી કરતા લોકોને એક ખુશખબર મળી રહ્યા છે.થલતેજ ગામ સુધીના રૂટ પર મેટ્રોની ફ્રિક્વન્સી વધારવાનો નિર્ણય લેવાયો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, જીએમઆરસી દ્વારા અમદાવાદમાં હવે ઈસ્ટ વેસ્ટ કોરિડોરમાં સવારે અને સાંજે પિકઅવર્સમાં મેટ્રોનું દર 7 મિનિટે સંચાલન થશે, જ્યારે નોન પિક અવર્સમાં દર 10 મિનિટે મેટ્રો મળશે. જ્યારે નોર્થ સાઉથ કોરિડોરમાં એપીએમસીથી મોટેરા સુધીના રૂટ પર પહેલાની જેમ જ મેટ્રો દર 12 મિનિટે મળશે. એટલે કે ઇસ્ટ વેસ્ટ કોરિડોરમાં પિક અવર્સમાં મેટ્રોનું સંચાલન દર 12 મિનિટથી ઘટાડી દર 7 મિનિટે કર્યું છે. જ્યારે આ સિવાયના સમયમાં દર 10 મિનિટે મેટ્રો મળશે. રવિવાર તેમ જ રજાના દિવસોમાં પિક અવર્સમાં દર 10 મિનિટે તેમ જ નોન પિક અવર્સમાં દર 12 મિનિટે જ મેટ્રોનું સંચાલન કરવામાં આવશે.

અમદાવાદમાં વસ્ત્રાલથી થલતેજ સુધીના ઇસ્ટ વેસ્ટ કોરિડોરમાં અગાઉ દિવસ દરમિયાન સરેરાશ 75થી 77 ટ્રિપનું સંચાલન કરવામાં આવતું હતું, પરંતુ ફ્રિકવન્સી વધારાતા હવે લગભગ 85 જેટલી ટ્રિપનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.અત્યારે લગભગ 70 ટકા પેસેન્જરો ઇસ્ટ વેસ્ટ કોરિડોરમાં તેમ જ 30 ટકા પેસેન્જરો જ નોર્થ સાઉથ કોરિડોરમાં મુસાફરી કરી રહ્યા છે. સવારે 8 થી 11 વાગ્યા સુધી તેમ જ સાંજે 5 થી રાતે 8 વાગ્યા સુધી ઈસ્ટ વેસ્ટ કોરિડોરમાં પેસેન્જરોનો ધસારો સતત વધી રહ્યો છે.

નોર્થ સાઉથ કોરિડોરમાં ટ્રિપોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો નથી. આ રૂટ પર હાલ પણ સરેરાશ 75 જેટલી ટ્રિપોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. જ્યારે મોટેરાથી સચિવાલય સુધીના રૂટ પર સવારે 7.22 વાગ્યાથી રાતે લગભગ 8.25 વાગ્યા સુધી મેટ્રોનું સંચાલન દર 36 મિનિટે કરવામાં આવી રહ્યું છે.
અમદાવાદમાં મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરતા પેસેન્જરોની સંખ્યામાં લગભગ 35થી 40 ટકા સુધીનો વધારો થયો છે.

એક રિપોર્ટ મુજબ શહેરમાં મેટ્રોમાં મુસાફરી કરનારા પેસેન્જરોની સંખ્યામાં છેલ્લાં 2 વર્ષ દરમિયાન નોંધપાત્ર વધારો નોંધાયો છે. મહિને સરેરાશ 35થી 40 ટકા જેટલો વધારો પેસેન્જરોમાં થઈ રહ્યો છે. વર્ષ 2023ના જૂનમાં મેટ્રોમાં મુસાફરી કરનારા પેસેન્જરોની સંખ્યા દરરોજ સરેરાશ 67 હજાર જેટલી હતી. જ્યારે 2024માં જૂનમાં રોજના પેસેન્જરોની સંખ્યા સરેરાશ 94 હજાર સુધી પહોંચી ગઈ હતી. જ્યારે 2025ના જૂનમાં પેસેન્જરોની સંખ્યા વધીને 1.31 લાખ સુધી પહોંચી ગઈ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...