Sunday, March 15, 2026

મેટ્રોના મુસાફરો આનંદો ! અમદાવાદના આ રૂટમાં ફ્રિક્વન્સીમાં વધારો, પિકઅવર્સમાં દર 7 મિનિટે મેટ્રો મળશે

spot_img
Share

અમદાવાદ : શહેરમાં હજારો લોકો માટે વરદાનરૂપ મેટ્રોમાં મુસાફરી કરતા લોકો માટે એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. મુસાફરોની સુવિધા કરવા માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા સમયાંતરે મહત્ત્વનાં નિર્ણયો લેવામાં આવે છે. ત્યારે ફરી એકવાર મેટ્રોમાં મુસાફરી કરતા લોકોને એક ખુશખબર મળી રહ્યા છે.થલતેજ ગામ સુધીના રૂટ પર મેટ્રોની ફ્રિક્વન્સી વધારવાનો નિર્ણય લેવાયો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, જીએમઆરસી દ્વારા અમદાવાદમાં હવે ઈસ્ટ વેસ્ટ કોરિડોરમાં સવારે અને સાંજે પિકઅવર્સમાં મેટ્રોનું દર 7 મિનિટે સંચાલન થશે, જ્યારે નોન પિક અવર્સમાં દર 10 મિનિટે મેટ્રો મળશે. જ્યારે નોર્થ સાઉથ કોરિડોરમાં એપીએમસીથી મોટેરા સુધીના રૂટ પર પહેલાની જેમ જ મેટ્રો દર 12 મિનિટે મળશે. એટલે કે ઇસ્ટ વેસ્ટ કોરિડોરમાં પિક અવર્સમાં મેટ્રોનું સંચાલન દર 12 મિનિટથી ઘટાડી દર 7 મિનિટે કર્યું છે. જ્યારે આ સિવાયના સમયમાં દર 10 મિનિટે મેટ્રો મળશે. રવિવાર તેમ જ રજાના દિવસોમાં પિક અવર્સમાં દર 10 મિનિટે તેમ જ નોન પિક અવર્સમાં દર 12 મિનિટે જ મેટ્રોનું સંચાલન કરવામાં આવશે.

અમદાવાદમાં વસ્ત્રાલથી થલતેજ સુધીના ઇસ્ટ વેસ્ટ કોરિડોરમાં અગાઉ દિવસ દરમિયાન સરેરાશ 75થી 77 ટ્રિપનું સંચાલન કરવામાં આવતું હતું, પરંતુ ફ્રિકવન્સી વધારાતા હવે લગભગ 85 જેટલી ટ્રિપનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.અત્યારે લગભગ 70 ટકા પેસેન્જરો ઇસ્ટ વેસ્ટ કોરિડોરમાં તેમ જ 30 ટકા પેસેન્જરો જ નોર્થ સાઉથ કોરિડોરમાં મુસાફરી કરી રહ્યા છે. સવારે 8 થી 11 વાગ્યા સુધી તેમ જ સાંજે 5 થી રાતે 8 વાગ્યા સુધી ઈસ્ટ વેસ્ટ કોરિડોરમાં પેસેન્જરોનો ધસારો સતત વધી રહ્યો છે.

નોર્થ સાઉથ કોરિડોરમાં ટ્રિપોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો નથી. આ રૂટ પર હાલ પણ સરેરાશ 75 જેટલી ટ્રિપોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. જ્યારે મોટેરાથી સચિવાલય સુધીના રૂટ પર સવારે 7.22 વાગ્યાથી રાતે લગભગ 8.25 વાગ્યા સુધી મેટ્રોનું સંચાલન દર 36 મિનિટે કરવામાં આવી રહ્યું છે.
અમદાવાદમાં મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરતા પેસેન્જરોની સંખ્યામાં લગભગ 35થી 40 ટકા સુધીનો વધારો થયો છે.

એક રિપોર્ટ મુજબ શહેરમાં મેટ્રોમાં મુસાફરી કરનારા પેસેન્જરોની સંખ્યામાં છેલ્લાં 2 વર્ષ દરમિયાન નોંધપાત્ર વધારો નોંધાયો છે. મહિને સરેરાશ 35થી 40 ટકા જેટલો વધારો પેસેન્જરોમાં થઈ રહ્યો છે. વર્ષ 2023ના જૂનમાં મેટ્રોમાં મુસાફરી કરનારા પેસેન્જરોની સંખ્યા દરરોજ સરેરાશ 67 હજાર જેટલી હતી. જ્યારે 2024માં જૂનમાં રોજના પેસેન્જરોની સંખ્યા સરેરાશ 94 હજાર સુધી પહોંચી ગઈ હતી. જ્યારે 2025ના જૂનમાં પેસેન્જરોની સંખ્યા વધીને 1.31 લાખ સુધી પહોંચી ગઈ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...