Wednesday, January 14, 2026

મેટ્રોના મુસાફરો આનંદો ! અમદાવાદના આ રૂટમાં ફ્રિક્વન્સીમાં વધારો, પિકઅવર્સમાં દર 7 મિનિટે મેટ્રો મળશે

spot_img
Share

અમદાવાદ : શહેરમાં હજારો લોકો માટે વરદાનરૂપ મેટ્રોમાં મુસાફરી કરતા લોકો માટે એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. મુસાફરોની સુવિધા કરવા માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા સમયાંતરે મહત્ત્વનાં નિર્ણયો લેવામાં આવે છે. ત્યારે ફરી એકવાર મેટ્રોમાં મુસાફરી કરતા લોકોને એક ખુશખબર મળી રહ્યા છે.થલતેજ ગામ સુધીના રૂટ પર મેટ્રોની ફ્રિક્વન્સી વધારવાનો નિર્ણય લેવાયો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, જીએમઆરસી દ્વારા અમદાવાદમાં હવે ઈસ્ટ વેસ્ટ કોરિડોરમાં સવારે અને સાંજે પિકઅવર્સમાં મેટ્રોનું દર 7 મિનિટે સંચાલન થશે, જ્યારે નોન પિક અવર્સમાં દર 10 મિનિટે મેટ્રો મળશે. જ્યારે નોર્થ સાઉથ કોરિડોરમાં એપીએમસીથી મોટેરા સુધીના રૂટ પર પહેલાની જેમ જ મેટ્રો દર 12 મિનિટે મળશે. એટલે કે ઇસ્ટ વેસ્ટ કોરિડોરમાં પિક અવર્સમાં મેટ્રોનું સંચાલન દર 12 મિનિટથી ઘટાડી દર 7 મિનિટે કર્યું છે. જ્યારે આ સિવાયના સમયમાં દર 10 મિનિટે મેટ્રો મળશે. રવિવાર તેમ જ રજાના દિવસોમાં પિક અવર્સમાં દર 10 મિનિટે તેમ જ નોન પિક અવર્સમાં દર 12 મિનિટે જ મેટ્રોનું સંચાલન કરવામાં આવશે.

અમદાવાદમાં વસ્ત્રાલથી થલતેજ સુધીના ઇસ્ટ વેસ્ટ કોરિડોરમાં અગાઉ દિવસ દરમિયાન સરેરાશ 75થી 77 ટ્રિપનું સંચાલન કરવામાં આવતું હતું, પરંતુ ફ્રિકવન્સી વધારાતા હવે લગભગ 85 જેટલી ટ્રિપનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.અત્યારે લગભગ 70 ટકા પેસેન્જરો ઇસ્ટ વેસ્ટ કોરિડોરમાં તેમ જ 30 ટકા પેસેન્જરો જ નોર્થ સાઉથ કોરિડોરમાં મુસાફરી કરી રહ્યા છે. સવારે 8 થી 11 વાગ્યા સુધી તેમ જ સાંજે 5 થી રાતે 8 વાગ્યા સુધી ઈસ્ટ વેસ્ટ કોરિડોરમાં પેસેન્જરોનો ધસારો સતત વધી રહ્યો છે.

નોર્થ સાઉથ કોરિડોરમાં ટ્રિપોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો નથી. આ રૂટ પર હાલ પણ સરેરાશ 75 જેટલી ટ્રિપોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. જ્યારે મોટેરાથી સચિવાલય સુધીના રૂટ પર સવારે 7.22 વાગ્યાથી રાતે લગભગ 8.25 વાગ્યા સુધી મેટ્રોનું સંચાલન દર 36 મિનિટે કરવામાં આવી રહ્યું છે.
અમદાવાદમાં મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરતા પેસેન્જરોની સંખ્યામાં લગભગ 35થી 40 ટકા સુધીનો વધારો થયો છે.

એક રિપોર્ટ મુજબ શહેરમાં મેટ્રોમાં મુસાફરી કરનારા પેસેન્જરોની સંખ્યામાં છેલ્લાં 2 વર્ષ દરમિયાન નોંધપાત્ર વધારો નોંધાયો છે. મહિને સરેરાશ 35થી 40 ટકા જેટલો વધારો પેસેન્જરોમાં થઈ રહ્યો છે. વર્ષ 2023ના જૂનમાં મેટ્રોમાં મુસાફરી કરનારા પેસેન્જરોની સંખ્યા દરરોજ સરેરાશ 67 હજાર જેટલી હતી. જ્યારે 2024માં જૂનમાં રોજના પેસેન્જરોની સંખ્યા સરેરાશ 94 હજાર સુધી પહોંચી ગઈ હતી. જ્યારે 2025ના જૂનમાં પેસેન્જરોની સંખ્યા વધીને 1.31 લાખ સુધી પહોંચી ગઈ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...