Tuesday, January 20, 2026

નવા વાડજની આ શાળામાં 4R આધારિત વિજ્ઞાન પ્રદર્શન ‘ઘરતી કે રક્ષક’ યોજાયું, જાણો 4R વિશે ?

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં આવેલી લાયોનેસ કર્ણાવતી એમ.એચ. હિન્દી હાયર સેકન્ડરી સ્કૂલમાં ખાતે પર્યાવરણ જાગૃતિ માટે વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિજ્ઞાન પ્રદર્શનમાં મુખ્ય મહેમાન તરીકે નવાવાડજ વોર્ડના કોર્પોરેટર વિજયભાઈ પંચાલ હાજર રહી બાળકોમાં ઉત્સાહ વધાર્યો.

પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના નવા વાડજ વિસ્તારમાં વિજ્ઞાનને લઈને અવનવી પ્રવુતિઓમાં જાણીતી લાયોનેસ કર્ણાવતી એમ.એચ. હિન્દી હાયર સેકન્ડરી સ્કૂલ દ્વારા પર્યાવરણ જાગૃતિ માટે અનોખું વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિજ્ઞાન પ્રદર્શનમાં વિદ્યાર્થીઓએ વિવિધ કૃતિઓ અને મોડલ્સ દ્વારા પર્યાવરણની જાળવણી વિષે જાગૃતિ ફેલાવી. આ પ્રસંગે શાળાના સાયન્સ ટીચર પ્રવિણાબેન સોલંકીએ જણાવ્યું કે, વિદ્યાર્થીઓ કાલના જવાબદાર નાગરિક બનશે અને શાળાથીજ તેમને પર્યાવરણ સંરક્ષણની સમજણ આપવી જરૂરી છે. જે તેમનું ઉજ્જવળ ભવિષ્ય હશે.આ વિજ્ઞાન પ્રદર્શન 4R- રિડ્યૂઝ, રિયુઝ, રિફ્યુઝ અને રિસાયકલ પર આધારિત રહ્યો.

ત્યારે આ કાર્યક્રમમાં ખાસ નવા વાડજ વોર્ડના કોર્પોરેટર વિજયભાઈ પંચાલ ઉપસ્થિત રહ્યા.તેઓએ વિદ્યાર્થીઓના પ્રયાસોની પ્રશંસા કરતા જણાવ્યું કે, આવા શૈક્ષણિક અને સંવેદનશીલ કાર્યક્રમો અમદાવાદને સ્વચ્છ શહેર બનાવવાનું સપનું દર વરસ પૂરું કરશે.ત્યારે શાળાના આચાર્ય દીપકભાઈ પટેલે પણ વિદ્યાર્થીઓના ઉત્સાહ અને સર્જનશીલતાની પ્રશંસા કરી. શાળાના તમામ સ્ટાફે કાર્યક્રમને સફળ બનાવ્યો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...