Friday, January 23, 2026

અમદાવાદ ટ્રાફિક પોલીસની અનોખી પહેલ, વિધાર્થીઓ ભણ્યા સલામતીના પાઠ, પરિવારજનોને હેલ્મેટ પહેરવા ફરજ પાડશે

spot_img
Share

અમદાવાદ : શહેરના માર્ગો પર હેલ્મેટ પહેર્યા વગર બેફામ ઝડપે દોડી રહેલા વાહન ચાલકોને તેમના જ સંતાનો હેલ્મેટ પહેરવા ફરજ પાડશે. એક નઈ સોચ કાર્યક્રમ અંતર્ગત સંયુક્ત પોલિસ કમિશનર એન. એન. ચૌધરીએ વિધાર્થીઓના ટુવ્હીલર્સ પર આઈ લવ હેલ્મેટ, આઈ લવ માય ફેમિલીના સ્ટિકર લગાવી સ્ટીકર કેમ્પેઇનનો પ્રારંભ કરાવ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના નવા નરોડા રોડ પર આવેલી એસ એમ શિક્ષણ સંકુલ ખાતે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપ દ્વારા આયોજીત એક નઈ સોચ કાર્યક્રમમાં ઉપસ્થિત સંયુક્ત પોલિસ કમિશનર એન એન ચૌધરીએ બાળકોને સરળ ભાષામાં સંબોધન કરતાં કહ્યું હતું કે બેફામ ઝડપે દોડી રહેલા, હેલ્મેટ પહેર્યા વગર વાહન ચલાવતા અને ટ્રાફિક નિયમ કાયદાનો ભંગ કરનાર વાહન ચાલકો સામે ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરે છે કારણકે નાગરીકો સલામત અને સુરક્ષિત રહી શકે. સરકારે હેલ્મેટ નો કાયદો બનાવ્યો છે કારણકે અકસ્માત થાયતો માથાનું રક્ષણ થાય અને જીવ બચી જાય. દરેક ચાર રસ્તા પર ટ્રાફિક સિગ્નલ બનાવ્યા છે, જ્યાં રેડ લાઈવ થાય તો ઉભા રહીએ.

નવા નરોડા રોડ ખાતેની એસ એમ શિક્ષણ સંકુલ ખાતે આયોજીત એક નઈ સોચ કાર્યક્રમમાં પધારેલા જેસીપી એન એન ચૌધરી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓનું શાળાની વિધાર્થિનીઓ દ્વારા પુષ્પ વર્ષા કરીને સ્વાગત કર્યું હતું. એસ એમ શિક્ષણ સંકુલના સ્થાપક બી એસ યાદવે બુકે અને મોમેન્ટો આપી જેસીપી એન એન ચૌધરી, ડીસીપી બલદેવસિંહજી , એસીપી એસ જે મોદી અને એસીપી ડી એસ પુનડીયાનું ઉમળકાભેર સન્માન કર્યું હતું.આ પ્રસંગે બાળકોએ શિસ્તબદ્ધ રીતે ઉભા રહી ટ્રાફિક નિયમનું માતાપિતા પાસે પાલન કરાવવાની પ્રતિજ્ઞા લીધી હતી. એસીપી એસ જે મોદીએ પ્રતિજ્ઞા લેવડાવી હતી. બાળકો પણ ટ્રાફિક નિયમનું પાલન કરાવવા વચનબદ્ધ બન્યા હતા.

ભારતની ભાવી પેઢી શિસ્તબદ્ધ અને સંયમી બને, કાયદાનું પાલન કરે તથા સલામત, સુરક્ષિત, સાવધાન અને સતર્ક બને તે માટે એક નઈ સોચ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ અભિયાન છે. શાળાઓમાં ભણતા બાળકોમાં ટ્રાફિકના નિયમોની સમજ કેળવાય અને તે બાળકો તેમના માતાપિતાને હેલ્મેટ પહેરવા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા ફરજ પાડશે. ટ્રાફિક વિભાગના ડીસીપી બલદેવસિંહજી એ તેના વક્તવ્યમાં કહ્યું હતું કે બલદેવસિંહજીએ બાળકોને ટ્રાફિકના નિયમો બાળકો શિખશે તો તે બાળકો પરિવારજનો અને સગાસંબંધીઓને ટ્રાફિક નિયમોનું પાલન કરાવશે.બાળકોને શિખામણ આપી હતી કે તમે નાગરીકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવજો.

એક નઈ સોચ કાર્યક્રમના સ્પોન્શર બી એસ યાદવે બાળકોને કહ્યું હતું કે તમે ટ્રાફિક નિયમોને શીખી લેજો, ટ્રાફિક નિયમો માતાપિતા ને જણાવો, જે વાલીઓ તેમના સંતાનોને શાળાએ લેવા મૂકવા હેલ્મેટ પહેર્યા વગર આવશે તેવા વાલીઓને સ્કુલ પનીશમેન્ટ કરશે. એક નઈ સોચ કાર્યક્રમ એ સામાન્ય કાર્યક્રમ નથી, એક મોટું પ્રેરણાદાયી અભિયાન છે.જે કાર્યક્રમ આયોજીત કરનાર અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપની ટીમને ખુબ ધન્યવાદ પાઠવું છું.

શાળાના વિદ્યાર્થીઓના એક્ટીવા અને બાઈક પર આઈ લવ હેલ્મેટ આઈ લવ માય ફેમીલી લખેલા સ્ટિકર લગાવીને સ્ટિકર અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો. શાળાના શિક્ષક-શિક્ષિકાઓ વાલીઓના ટુવ્હીલર પર સ્ટિકર લગાવી હેલ્મેટ અભિયાનને સફળ બનાવશે. અમદાવાદ શહેર ટ્રાફિક પોલિસના જી ડીવીઝનના ઈન્ચાર્જ પીએસઆઈ એસ જે બલાત અને ટીમ દ્વારા બાળકોને પૌષ્ટીક નાસ્તા સાથે ટ્રાફિક નિયમનના પેમ્ફલેટ્સનું વિતરણ કરાયું હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...