અમદાવાદ : શહેરના નવા વાડજ વિસ્તારમાં આવેલ શ્રી ન્યૂ વિદ્યાવિહાર સ્કૂલમાં સંસ્કૃત ગૌરવ સપ્તાહ અંતર્ગત સંસ્કૃત ગૌરવ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓએ સંસ્કૃતને ધર્મ, શિક્ષણ, સ્વાસ્થ્ય, વિજ્ઞાન અને સેવા જેવી વિવિધ થીમ સાથે જોડીને પોષ્ટર, વેશભૂષા અને ટેબ્લો રજૂ કર્યા. રાજ્ય સરકાર દ્વારા તા. 6 થી 12 ઓગસ્ટ સુધી ‘સંસ્કૃત સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના નવા વાડજ વિસ્તારમાં આવેલ શ્રી ન્યૂ વિદ્યાવિહાર સ્કૂલમાં સંસ્કૃત ગૌરવ સપ્તાહ અંતર્ગત સંસ્કૃત ગૌરવ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રાનું પ્રસ્થાન નારણપુરા વિધાનસભાના ધારાસભ્ય જીતુભાઈ પટેલ તથા બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જર દ્વારા લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું.વિદ્યાર્થીઓએ સંસ્કૃત શ્લોકોનું ઉચ્ચારણ કરી સંસ્કૃત ભાષા વિશે જાગૃતિ ફેલાવી હતી.વિદ્યાર્થીઓએ સંસ્કૃતને ધર્મ, શિક્ષણ, સ્વાસ્થ્ય, વિજ્ઞાન અને સેવા જેવી વિવિધ થીમ સાથે જોડીને પોષ્ટર, વેશભૂષા અને ટેબ્લો રજૂ કર્યા.

આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ સંસ્કૃત ભાષાને જનસામાન્ય સુધી પહોંચાડવાનો અને તેને દૈનિક જીવનની સામાન્ય વાતચીતમાં સમાવિષ્ટ કરવાની નમ્ર અપીલ કરવાનો હતો. બાળકોની ઉત્સાહભરી ભાગીદારી અને સર્જનાત્મક રજૂઆત દ્વારા સંસ્કૃત ભાષાની ગૌરવગાથા જનમન સુધી પ્રસરી.સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી રૂપેશભાઈ પટેલ, અન્ય વડીલ ટ્રસ્ટીશ્રીઓ, આચાર્ય અંકિતાબેન પટેલ તથા શાળા પરિવારના તમામ સભ્યો અને વાલી મંડળની પ્રોત્સાહક ભાગીદારી થકી કાર્યક્રમ સફળ બની રહ્યો.


