27.7 C
Gujarat
Monday, August 18, 2025

અમદાવાદનો આ બ્રિજ 6 મહિના માટે ફરી કરાયો બંધ, રિપોર્ટ નેગેટિવ આવતા જાગ્યું તંત્ર

Share

અમદાવાદ : હાલ ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈ રાજ્યના તમામ બ્રિજોની ચકાસણી હાથ ધરવામાં આવી છે, ત્યારે થોડા મહિના પહેલા જ સમારકામ કરાયેલા નારોલ-વિશાલાને જોડતા શાસ્ત્રી બ્રિજને ફરી એક વાર બંધ કરવામાં આવશે. શાસ્ત્રી બ્રિજના નારોલથી વિશાલા જતાં બ્રિજ પર બેરીંગ અને પેડેસ્ટલ રોડ ડેમેજ હોવાનો રિપોર્ટ આવતા બ્રિજ 6 મહિના માટે બંધ રહેશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, પોલીસ કમિશનર જી એસ મલિકે એક જાહેરનામું બહાર પાડયું છે. જેમાં નારોલ તરફથી આવતા વાહનોને પિરાણાથી ડાયવર્ટ કરવા માટે સુચના આપવામાં આવી છે. જેમાં 9 ઓગસ્ટ 2025 થી 8 ફેબુ્આરી 2025 સુધી નારોલથી વિશાલા સર્કલનો જોડતો બ્રીજ 6 મહિના માટે બંધ રહેશે. જેથી નારોલ તરફથી આવતા વાહનો પીરાણા સર્કલથી બહેરામપુરા થઇને આંબેડકર બ્રીજથી અંજલી સર્કલથી આવી શકશે.

નારોલ જંકશન થી વિશાલાને જોડતા શાસ્ત્રીબ્રીજની એક તરફની બેરીંગ અને પેડેસ્ટલ રોડ ડેમેજ હોવાનો રિપોર્ટ આવતા તાત્કાલિક રીપેર કરવાની જરૂરિયાત હોવાથી આગામી 6 મહિના માટે આ બ્રીજને બંધ કરવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જેમાં નારોલ તરફથી આવતા વાહનોને પિરાણાથી ડાયવર્ટ કરવા માટે સુચના આપવામાં આવી છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles