Sunday, September 20, 2026

અમદાવાદમાં 3 અકસ્માતમાં 1નું મોત અને 2 ઈજાગ્રસ્ત, વ્યાસવાડી ચાર રસ્તા પર કારની ટક્કરથી રિક્ષા ઊંધી પડી ગઈ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં શનિવાર મોડી રાતથી અકસ્માતના 3 અલગ અલગ બનાવ બન્યા છે. જેમાં નવા વાડજમાં વ્યાસવાડી ચાર રસ્તા પાસે અકસ્માતની ઘટના બની છે. બેફામ કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. ખાનગી પાસિંગ ધરાવતી સેડાન કારના ચાલકે રિક્ષા ચાલક તથા અન્ય એક વ્યક્તિને અડફેટે લીધા હતા. આ ઘટનામાં રિક્ષા ચાલક ઈજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક અસરથી નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. મહત્વનું છે કે અકસ્માતની આ ઘટનાને પગલે આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અકસ્માતને પગલે કાર, રિક્ષા તથા એક ટુ વ્હીલરને મોટું નુકસાન થવા પામ્યું છે.

બીજી અકસ્માતની ઘટનામાં શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પાસેથી રાજેન્દ્ર બારોટ નામનો 39 વર્ષીય યુવક રહીમ ટેકરાથી આવીને રિવરફ્રન્ટમાં રોડ ક્રોસ કરી રહ્યો હતો. આ દરમિયાન એક બાઇક ચાલકે પૂરઝડપે રાજેન્દ્રને ટક્કર મારી હતી.રાજેન્દ્રને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.રાજેન્દ્રભાઈને માથાના ભાગે હેમરેજ થયું હતું.સવારે 4 વાગ્યે સારવાર દરમિયાન રાજેન્દ્રભાઈનું મોત થયું છે.B ડિવિઝન ટ્રાફિક પોલીસે બાઇક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ત્રીજી અકસ્માતની ઘટનામાં શહેરના પાલડી વિશ્વકુંજ ચાર રસ્તા પાસેથી વટવામાં રહેતો આદિલ શેખ નામનો યુવક પોતાનું ટુ વ્હીલર લઈને જઈ રહ્યો હતો.આ દરમિયા પુરઝડપે આવી રહેલી સ્વિફ્ટ કારે આદિલને ટક્કર મારી હતી.આદિલને ટક્કર વાગતા વાહન પરથી પડ્યો હતો.આદિલને ઇજા પહોચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.આ અકસ્માતનો બનાવ વહેલી સવારે 4 વાગ્યે બન્યો હતો.N ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...