Wednesday, January 21, 2026

અમદાવાદમાં 3 અકસ્માતમાં 1નું મોત અને 2 ઈજાગ્રસ્ત, વ્યાસવાડી ચાર રસ્તા પર કારની ટક્કરથી રિક્ષા ઊંધી પડી ગઈ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં શનિવાર મોડી રાતથી અકસ્માતના 3 અલગ અલગ બનાવ બન્યા છે. જેમાં નવા વાડજમાં વ્યાસવાડી ચાર રસ્તા પાસે અકસ્માતની ઘટના બની છે. બેફામ કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. ખાનગી પાસિંગ ધરાવતી સેડાન કારના ચાલકે રિક્ષા ચાલક તથા અન્ય એક વ્યક્તિને અડફેટે લીધા હતા. આ ઘટનામાં રિક્ષા ચાલક ઈજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક અસરથી નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. મહત્વનું છે કે અકસ્માતની આ ઘટનાને પગલે આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અકસ્માતને પગલે કાર, રિક્ષા તથા એક ટુ વ્હીલરને મોટું નુકસાન થવા પામ્યું છે.

બીજી અકસ્માતની ઘટનામાં શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પાસેથી રાજેન્દ્ર બારોટ નામનો 39 વર્ષીય યુવક રહીમ ટેકરાથી આવીને રિવરફ્રન્ટમાં રોડ ક્રોસ કરી રહ્યો હતો. આ દરમિયાન એક બાઇક ચાલકે પૂરઝડપે રાજેન્દ્રને ટક્કર મારી હતી.રાજેન્દ્રને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.રાજેન્દ્રભાઈને માથાના ભાગે હેમરેજ થયું હતું.સવારે 4 વાગ્યે સારવાર દરમિયાન રાજેન્દ્રભાઈનું મોત થયું છે.B ડિવિઝન ટ્રાફિક પોલીસે બાઇક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ત્રીજી અકસ્માતની ઘટનામાં શહેરના પાલડી વિશ્વકુંજ ચાર રસ્તા પાસેથી વટવામાં રહેતો આદિલ શેખ નામનો યુવક પોતાનું ટુ વ્હીલર લઈને જઈ રહ્યો હતો.આ દરમિયા પુરઝડપે આવી રહેલી સ્વિફ્ટ કારે આદિલને ટક્કર મારી હતી.આદિલને ટક્કર વાગતા વાહન પરથી પડ્યો હતો.આદિલને ઇજા પહોચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.આ અકસ્માતનો બનાવ વહેલી સવારે 4 વાગ્યે બન્યો હતો.N ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...