Wednesday, March 4, 2026

અમદાવાદમાં રિવરફ્રન્ટ પર ચાલુ થયેલા આ પાંચ પ્રોજેક્ટનું બાળ મરણ, જાણો લિસ્ટ

spot_img
Share

અમદાવાદ : સાબરમતી રિવરફ્રન્ટના આકર્ષણના કેન્દ્ર તરીકે ઉભા કરવામાં આવેલા પ્રોજેકટ AMC ની બેદરકારીના કારણે થોડાક વર્ષોમાં બંધ થઈ જવાની સ્થિતિ સર્જાઈ છે. સાબરમતી રિવરફ્રન્ટ નિગમ લિમિટેડ દ્વારા વર્ષ 2015 થી 2022 સુધીમાં પાંચ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા.જે પૈકી ત્રણ પ્રોજેક્ટ બંધ હાલતમાં છે તો એ સિવાયના બાકીના પ્રોજેકટ મૃતપાય અવસ્થામાં છે.અમદાવાદ રિવરફ્રન્ટ બોર્ડની બોર્ડ બેઠકમાં ફરી એક વાર પ્રોજેક્ટનો મુદ્દો ઉઠ્યો હતો અને વિપક્ષ નેતા શહેઝાદ ખાન દ્વારા પ્રોજેક્ટ મામલે રજુઆત કરવામાં આવી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ રિવરફ્રન્ટ પર વર્ષ 2015 માં ઝીપ લાઇન સેવા શરૂ કરવામ આવી હતી ત્યાર બાદ સી પ્લેન, જોઈ રાઇડ હેલિકોપ્ટર, કાયા કિંગ વોટર એક્ટિવિટી અને તરતી રેસ્ટોરન્ટ રિવર ક્રૂઝ જેવા અનેક પ્રોજેક્ટો ચાલુ કરવામાં આવ્યા હતા. જો કે તમામ પ્રોજેક્ટ ફેલ નીવડયા હોવાનો દાવો વિપક્ષે કર્યો છે. તમામ પ્રોજેક્ટ ચાલુ થયા ના એક બે વર્ષમાં જ બંધ થઈ ગયા છે. વિપક્ષ નેતાએ આક્ષેપ કર્યો હતો કે માનીતા કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવા કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવે છે પણ તે પ્રોજેક્ટ સફળ થતો નથી.

વિપક્ષના આક્ષેપ પર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે વિપક્ષના આક્ષેપ ખોટા છે. વરસાદની આગાહી થાય કે નદીમાં પાણી છોડવામાં આવે ત્યારે સાવચેતીના ભાગ રૂપે બંધ કરવામાં આવે છે. ક્રૂઝ વરસાદ બંધ થતા ફરી ચાલુ થઈ છે. ઝીપ લાઇન અને હેલિકોપ્ટર સર્વિસ ટેકનિકલ ખામીને કારણે બંધ કરવામાં આવી હશે. ટોયલેટ સફાઈની જે વાત કરી છે તે સફાઈના આદેશ આપવામાં આવ્યા છે. ઇમેજિકા આ 4સાથે પણ MOU કરવામાં આવ્યા છે. જેથી આગામી સમયમાં લોનાવાલ નાગરિકોએ નહીં જવું પડે. આરંભે સુરા. જેવી કહેવત અહીં અમદાવાદ મહાનગરપાલિકાની લાગુ પડી રહી છે. સ્માર્ટ સિટી અમદાવાદમાં અનેક પ્રોજેક્ટ તો ચાલુ થાય છે પરંતુ તેનું બાળ મરણ થઈ જાય છે.

21/3/2015ના રોજ ઝીપ લાઈનનું ઉદ્ધાટન
31/10/2020ના રોજ સી-પ્લેનનું ઉદ્ધાટન
1/1/2022ના રોજ હેલિકોપ્ટર રાઈડનું ઉદ્દઘાટન
31/3/2023ના રોજ કાયાકિંગનું ઉદ્ધાટન
2/7/2023ના રોજ રિવર ક્રૂઝનું ઉદ્ધાટન

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...