Friday, January 23, 2026

અમદાવાદમાં રિવરફ્રન્ટ પર ચાલુ થયેલા આ પાંચ પ્રોજેક્ટનું બાળ મરણ, જાણો લિસ્ટ

spot_img
Share

અમદાવાદ : સાબરમતી રિવરફ્રન્ટના આકર્ષણના કેન્દ્ર તરીકે ઉભા કરવામાં આવેલા પ્રોજેકટ AMC ની બેદરકારીના કારણે થોડાક વર્ષોમાં બંધ થઈ જવાની સ્થિતિ સર્જાઈ છે. સાબરમતી રિવરફ્રન્ટ નિગમ લિમિટેડ દ્વારા વર્ષ 2015 થી 2022 સુધીમાં પાંચ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા.જે પૈકી ત્રણ પ્રોજેક્ટ બંધ હાલતમાં છે તો એ સિવાયના બાકીના પ્રોજેકટ મૃતપાય અવસ્થામાં છે.અમદાવાદ રિવરફ્રન્ટ બોર્ડની બોર્ડ બેઠકમાં ફરી એક વાર પ્રોજેક્ટનો મુદ્દો ઉઠ્યો હતો અને વિપક્ષ નેતા શહેઝાદ ખાન દ્વારા પ્રોજેક્ટ મામલે રજુઆત કરવામાં આવી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ રિવરફ્રન્ટ પર વર્ષ 2015 માં ઝીપ લાઇન સેવા શરૂ કરવામ આવી હતી ત્યાર બાદ સી પ્લેન, જોઈ રાઇડ હેલિકોપ્ટર, કાયા કિંગ વોટર એક્ટિવિટી અને તરતી રેસ્ટોરન્ટ રિવર ક્રૂઝ જેવા અનેક પ્રોજેક્ટો ચાલુ કરવામાં આવ્યા હતા. જો કે તમામ પ્રોજેક્ટ ફેલ નીવડયા હોવાનો દાવો વિપક્ષે કર્યો છે. તમામ પ્રોજેક્ટ ચાલુ થયા ના એક બે વર્ષમાં જ બંધ થઈ ગયા છે. વિપક્ષ નેતાએ આક્ષેપ કર્યો હતો કે માનીતા કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવા કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવે છે પણ તે પ્રોજેક્ટ સફળ થતો નથી.

વિપક્ષના આક્ષેપ પર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે વિપક્ષના આક્ષેપ ખોટા છે. વરસાદની આગાહી થાય કે નદીમાં પાણી છોડવામાં આવે ત્યારે સાવચેતીના ભાગ રૂપે બંધ કરવામાં આવે છે. ક્રૂઝ વરસાદ બંધ થતા ફરી ચાલુ થઈ છે. ઝીપ લાઇન અને હેલિકોપ્ટર સર્વિસ ટેકનિકલ ખામીને કારણે બંધ કરવામાં આવી હશે. ટોયલેટ સફાઈની જે વાત કરી છે તે સફાઈના આદેશ આપવામાં આવ્યા છે. ઇમેજિકા આ 4સાથે પણ MOU કરવામાં આવ્યા છે. જેથી આગામી સમયમાં લોનાવાલ નાગરિકોએ નહીં જવું પડે. આરંભે સુરા. જેવી કહેવત અહીં અમદાવાદ મહાનગરપાલિકાની લાગુ પડી રહી છે. સ્માર્ટ સિટી અમદાવાદમાં અનેક પ્રોજેક્ટ તો ચાલુ થાય છે પરંતુ તેનું બાળ મરણ થઈ જાય છે.

21/3/2015ના રોજ ઝીપ લાઈનનું ઉદ્ધાટન
31/10/2020ના રોજ સી-પ્લેનનું ઉદ્ધાટન
1/1/2022ના રોજ હેલિકોપ્ટર રાઈડનું ઉદ્દઘાટન
31/3/2023ના રોજ કાયાકિંગનું ઉદ્ધાટન
2/7/2023ના રોજ રિવર ક્રૂઝનું ઉદ્ધાટન

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...