Monday, January 19, 2026

નહેરુનગર અકસ્માત મામલો, બે યુવકનો ભોગ લેનાર આરોપી સાથે કોર્ટમાં ટપલી દાવ

spot_img
Share

અમદાવાદ : રવિવારે મોડી રાતે શહેરના નહેરુનગર પાસે આવેલા ઝાંસી કી રાની બીઆરટીએસ નજીક વધુ એક નબીરા રોહન સોનીએ પૂરપાટ ગાડી ચલાવવાની લ્હાયમાં ટુ વ્હીલર પર જતા બે યુવાનને ઉડાવી દીધા હતા. આ બંને યુવાનોના મોત નીપજ્યા હતા. જ્યારે આજે મંગળવારે સાંજે આરોપી રોહન સોનીને કોર્ટમાં લઈ જવાયો હતો. આ સમયે આરોપી સાથે કોર્ટેમાં ટપલી દાવ કરવામાં આવ્યો હતો. રોષે ભરાયેલા લોકોએ ટપલી દાવ કર્યો હતો. જે બાદ પોલીસ બચાવ કરી કોર્ટ રૂમમાં લઈ ગઈ હતી.કોર્ટે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, નહેરુનગર અકસ્માત મામલે આજે (12 ઓગસ્ટ) આરોપી રોહન સોનીને અમદાવાદ મેટ્રો કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જોકે પોલીસ જ્યારે આરોપીને લઈ મેટ્રો કોર્ટ પહોંચી ત્યારે પોલીસ વાનમાંથી આરોપીને બહાર કાઢતાં જ લોકોએ રોહન સોનીને માર માર્યો હતો. લોકોના મારથી બચાવવા પોલીસ દોડતી દોડતી આરોપીને મેટ્રો કોર્ટમાં અંદર લઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે આરોપી કારચાલક રોહન સોની વિરુદ્ધ અગાઉ પણ ઓવરસ્પીડ, કારમાં ડાર્ક ફિલ્મ, ડોક્યુમેન્ટ વિના વાહન ચલાવવું અને પોલીસ સાથે ઘર્ષણ જેવા અનેક મેમો નોંધાઈ ચૂક્યા છે.

નોંધનીય છે કે, પોલીસે રોહન સોની વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. રોહન સોની વિરુદ્ધ એન ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 106, 181, 125 – A, 125 B, 324-4 અને MV act ની 177, 184 અને 134 – B મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ અંગે ટ્રાફિક પોલીસે અકસ્માતને નજરે જોનાર સાક્ષીઓના નિવેદન લેવાની પ્રક્રિયા શરૂ કરી છે. રોહન સોની સાથે રેસ કરનારા અન્ય બે મિત્રોની પોલીસે ઓળખ કરી લીધી છે.

અકસ્માતની ઘટના બની તે દિવસે કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતો રોહન કાર ચલાવતો હતો. તેની ગાડીમાં બર્થડે સેલિબ્રેશન કરવામાં આવ્યું હોય તેવી રીતે ડેકોરેશન કરવામાં આવ્યું હતું. કારમાંથી લેડીઝ બકલ, બેલ્ટ સહિતની સામગ્રી પણ મળી હતી. રોહન સાથે અન્ય છોકરાં-છોકરીઓ કારમાં હોવાની દિશામાં તપાસ ચાલી રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...