અમદાવાદ : આજના સમયમાં બહારનું ભોજન લેવું એક સમસ્યા બની ગઇ છે, કારણ કે વારંવાર એવા કિસ્સા સામે આવે છે જ્યાં સારી રેસ્ટોરન્ટના ભોજનમાંથી વંદા અથવા અન્ય જીવજંતુઓ બહાર આવતા રહે છે. ત્યારે અહેવાલો મુજબ, તાજેતરમાં અમદાવાદના નિકોલ વિસ્તારમાંઆવેલી “ખાઉધરા પોઈન્ટ” માં બન્યો હતો. જેમાં એક ગ્રાહકે ઓર્ડર કરેલા સંભારમાંથી વંદો નીકળતા ભારે હોબાળો મચ્યો હતો આ ઘટના ગત 17 ઓગસ્ટની સાંજે બની હતી. એક ગ્રાહકે આ ખાઉધરા પોઈન્ટ પરથી ભોજનનો ઓર્ડર આપ્યો હતો. જ્યારે ભોજન પીરસવામાં આવ્યું અને ગ્રાહકે ખાવાનું શરૂ કર્યું, ત્યારે તેને સંભારમાં કંઈક અજુગતું લાગ્યું.નજીકથી જોતા જાણવા મળ્યું કે તે જીવજંતુ બીજું કોઈ નહીં, પણ એક વંદો હતો.
આ ઘટનાની જાણ થતાં ગ્રાહકે તાત્કાલિક અમદાવાદ મહાનગરપાલિકા (AMC)ના ફૂડ વિભાગમાં ફરિયાદ નોંધાવી. આ સાથે, ગ્રાહકે આ ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કર્યો, જે ઝડપથી વાયરલ થયો છે. આ ઘટનાએ શહેરમાં ખાદ્ય વસ્તુઓની સ્વચ્છતા અને ગુણવત્તા અંગે ફરી એકવાર ચિંતા ઉભી કરી છે. બનાવેલો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે, જે જોઈને અન્ય લોકો પણ ચિંતિત થયા છે. ઘણા લોકોએ રેસ્ટોરન્ટની સ્વચ્છતા અને સુરક્ષાને લઈને સવાલો ઉઠાવ્યા છે.આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે ખોરાકમાં સફાઈ અને હાઈજીન ખૂબ જ મહત્વપૂર્ણ છે. ખાઉધરા રેસ્ટોરન્ટમાં આવી ઘટના સર્જાતા, ગ્રાહકે તરત જ AMCમાં ફરિયાદ નોંધાવી છે. AMCની ટીમે આ મામલે તપાસ શરૂ કરી છે અને રેસ્ટોરન્ટના સાફ-સફાઈ નિયમોનું પાલન થઈ રહ્યું છે કે કેમ તે તપાસવામાં આવશે.
આ ઘટના માત્ર નિકોલ વિસ્તારમાં જ નહીં, પરંતુ દરેક લોકો માટે ચિંતાનો વિષય બની છે. ખોરાકમાં વંદા અથવા અન્ય જીવજંતુઓ જોવા મળતા અનેક કિસ્સા પહેલા પણ સામે આવ્યા છે, જે લોકોમાં રેસ્ટોરન્ટ પર વિશ્વાસ અંગે શંકા ઊભી કરે છે. આ સ્થિતિમાં અધિકારીઓ દ્વારા શહેરના લોકોને સલાહ આપવામાં આવી રહી છે કે ખોરાક લેતા પહેલા રેસ્ટોરન્ટની સફાઈ, હાઈજીન અને ગ્રાહકોની સુરક્ષા અંગે માહિતી મેળવી લેવી જરૂરી છે.ગ્રાહકોએ શહેરની ખાણીપીણીની દુકાનોમાં સ્વચ્છતા અંગે વધુ સજાગ રહેવા અને આવી ઘટનાઓની જાણ તાત્કાલિક સત્તાધિકારીઓને કરવા અપીલ કરવામાં આવી છે.


