Tuesday, January 20, 2026

અમદાવાદની વધુ એક રેસ્ટોરન્ટ વિવાદમાં, સાંભારમાંથી વંદો નીકળતા AMC ફૂડ વિભાગમાં ફરિયાદ

spot_img
Share

અમદાવાદ : આજના સમયમાં બહારનું ભોજન લેવું એક સમસ્યા બની ગઇ છે, કારણ કે વારંવાર એવા કિસ્સા સામે આવે છે જ્યાં સારી રેસ્ટોરન્ટના ભોજનમાંથી વંદા અથવા અન્ય જીવજંતુઓ બહાર આવતા રહે છે. ત્યારે અહેવાલો મુજબ, તાજેતરમાં અમદાવાદના નિકોલ વિસ્તારમાંઆવેલી “ખાઉધરા પોઈન્ટ” માં બન્યો હતો. જેમાં એક ગ્રાહકે ઓર્ડર કરેલા સંભારમાંથી વંદો નીકળતા ભારે હોબાળો મચ્યો હતો આ ઘટના ગત 17 ઓગસ્ટની સાંજે બની હતી. એક ગ્રાહકે આ ખાઉધરા પોઈન્ટ પરથી ભોજનનો ઓર્ડર આપ્યો હતો. જ્યારે ભોજન પીરસવામાં આવ્યું અને ગ્રાહકે ખાવાનું શરૂ કર્યું, ત્યારે તેને સંભારમાં કંઈક અજુગતું લાગ્યું.નજીકથી જોતા જાણવા મળ્યું કે તે જીવજંતુ બીજું કોઈ નહીં, પણ એક વંદો હતો.

આ ઘટનાની જાણ થતાં ગ્રાહકે તાત્કાલિક અમદાવાદ મહાનગરપાલિકા (AMC)ના ફૂડ વિભાગમાં ફરિયાદ નોંધાવી. આ સાથે, ગ્રાહકે આ ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કર્યો, જે ઝડપથી વાયરલ થયો છે. આ ઘટનાએ શહેરમાં ખાદ્ય વસ્તુઓની સ્વચ્છતા અને ગુણવત્તા અંગે ફરી એકવાર ચિંતા ઉભી કરી છે. બનાવેલો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે, જે જોઈને અન્ય લોકો પણ ચિંતિત થયા છે. ઘણા લોકોએ રેસ્ટોરન્ટની સ્વચ્છતા અને સુરક્ષાને લઈને સવાલો ઉઠાવ્યા છે.આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે ખોરાકમાં સફાઈ અને હાઈજીન ખૂબ જ મહત્વપૂર્ણ છે. ખાઉધરા રેસ્ટોરન્ટમાં આવી ઘટના સર્જાતા, ગ્રાહકે તરત જ AMCમાં ફરિયાદ નોંધાવી છે. AMCની ટીમે આ મામલે તપાસ શરૂ કરી છે અને રેસ્ટોરન્ટના સાફ-સફાઈ નિયમોનું પાલન થઈ રહ્યું છે કે કેમ તે તપાસવામાં આવશે.

આ ઘટના માત્ર નિકોલ વિસ્તારમાં જ નહીં, પરંતુ દરેક લોકો માટે ચિંતાનો વિષય બની છે. ખોરાકમાં વંદા અથવા અન્ય જીવજંતુઓ જોવા મળતા અનેક કિસ્સા પહેલા પણ સામે આવ્યા છે, જે લોકોમાં રેસ્ટોરન્ટ પર વિશ્વાસ અંગે શંકા ઊભી કરે છે. આ સ્થિતિમાં અધિકારીઓ દ્વારા શહેરના લોકોને સલાહ આપવામાં આવી રહી છે કે ખોરાક લેતા પહેલા રેસ્ટોરન્ટની સફાઈ, હાઈજીન અને ગ્રાહકોની સુરક્ષા અંગે માહિતી મેળવી લેવી જરૂરી છે.ગ્રાહકોએ શહેરની ખાણીપીણીની દુકાનોમાં સ્વચ્છતા અંગે વધુ સજાગ રહેવા અને આવી ઘટનાઓની જાણ તાત્કાલિક સત્તાધિકારીઓને કરવા અપીલ કરવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...