Thursday, January 22, 2026

અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું : હવે મંજૂરી વગર ડ્રોન ઉડાડ્યું તો થશે કાર્યવાહી

spot_img
Share

અમદાવાદ: અમદાવાદ શહેરમાં અત્યાર સુધી ડ્રોન ઉડાડવા પર કોઈ નિયંત્રણ ન હતું, પરંતુ હવે અમદાવાદ શહેરમાં મંજૂરી વગર ડ્રોન ઉડાડવામાં આવ્યું તો તે ગુનો બનશે. આમ અમદાવાદ શહેરમાં હવે મંજૂરી વગર ડ્રોન ઉડાડવાને લઈને પ્રતિબંધ આવી ગયો છે. આમ જો તમારે ડ્રોન ઉડાડવું હશે તો મંજૂરી લેવી પડશે.હવે અમદાવાદ શહેરના પોલીસની પૂર્વ મંજૂરી વગર કોઈપણ વ્યક્તિ ડ્રોન ઉડાડી શકશે નહીં.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેરના મહત્વપૂર્ણ સરકારી અને પ્રાઇવેટ સ્થળોની સુરક્ષા માટે અમદાવાદ પોલીસ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ હવે અમદાવાદ શહેરમાં પોલીસની પૂર્વ મંજૂરી વગર કોઈપણ વ્યક્તિ ડ્રોન ઉડાડી શકશે નહીં. સુરક્ષાના કારણોસર શહેરના 201 જેટલા સંવેદનશીલ સ્થળો પર ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આવનારી 16 ઓક્ટોબર સુધી પોલીસ કમિશનરની મંજૂરી વગર ડ્રોન ઉડાડી શકશે નહીં.

અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારોમાં ખાસ કરીને એરપોર્ટ, આર્મી ,કેન્ટોનમેન્ટ ,સેન્ટ્રલ જેલ, વીઆઈપી, VVIPના રહેઠાણો, મેટ્રો, રેલવે, મહત્વપૂર્ણ પાવર સ્ટેશનો, ઔદ્યોગિક એકમો એની સાથે મહત્વપૂર્ણ સરકારી કચેરીઓની સુરક્ષા કરવાની જવાબદારી શહેર પોલીસની છે, આ વિસ્તારો પણ ડ્રોન ઉડાવી શકાય નહીં.

જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે કે, રિમોટ કંટ્રોલ સંચાલિત એરક્રાફ્ટ કે પેરાગ્લાઈડર જેવા સંસાધનોથી દેશ વિરોધી સંગઠનો આતંકવાદીઓ અને ભાંગ ફોડિયા તત્વો લઈને અમદાવાદ શહેરની સુરક્ષાને હાની પહોંચાડવાની શક્યતાના કરી શકાય નહીં.

આ જાહેરનામું 18 ઓગસ્ટ 2025થી અમલમાં આવશે અને 16 ઓક્ટોબર 2025ના રાત્રીના 12 વાગ્યા સુધી અમલી રહેશે, અને જો કોઈ વ્યક્તિ આ જાહેરનામાનું ભંગ કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ દ્વારા આ પગલું શહેરની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે લેવામાં આવ્યું છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...