Wednesday, March 4, 2026

અમદાવાદના વધુ એક રેસ્ટોરેન્ટની બેદરકારી, પાઉંમાંથી નીકળ્યું જીવાત, AMC ફૂડ વિભાગની કામગીરી સામે સવાલો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં બે જુદા-જુદા રેસ્ટોરન્ટમાંથી જીવાત નીકળવાની ઘટના સામે આવી છે. ગઈકાલે નિકોલની એક રેસ્ટોરન્ટમાંથી સાંભરમાંથી વંદો નીકળ્યા બાદ આજે મણીનગર વિસ્તારમાં રેલ્વે સ્ટેશન સામે આવેલા પ્રિન્સ ઇસનપુર વાલા ભાજીપાવ નામની રેસ્ટોરન્ટમાં ભાજીપાવ ખાવા ગયેલા ગ્રાહકના પાવમાંથી મચ્છર જીવાત નીકળી હોવાનું સામે આવ્યું હતું. આ સમગ્ર મામલે મ્યુનિ. કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, એક ગ્રાહકે મણિનગરની પ્રિન્સ રેસ્ટોરન્ટમાંથી પાઉંભાજીનો ઓર્ડર આપ્યો હતો, પણ ભાજીપાઉં પીરસ્યા બાદ તેને આરોગવા જતા તેને પાઉંમાં મચ્છર અને જીવાત જેવું જોવા મળ્યું હતું. જેથી ગ્રાહકે મેનેજરને ફરિયાદ કરી હતી, પણ મેનેજરે આ બાબતને ગંભીરતાથી લેવાને બદલે તેની સાથે અણછાજતું વર્તન કર્યું હતું. તેથી તેઓએ તાત્કાલિક હાજર સ્ટાફને બોલાવ્યા હતા અને બતાવ્યું હતું. પરંતુ તેઓ દ્વારા યોગ્ય રીતે જવાબ આપવામાં આવ્યો નહોતો. મચ્છર – જીવાત નીકળવાની આ ઘટના બનતાની સાથે જ આ અંગે ફોટો વીડિયો ગ્રાહક દ્વારા લઈ લેવામાં આવ્યો હતો.

મ્યુનિસિપલ કોર્પોરેશનના ફુડ વિભાગને આ બાબતે જાણ થઈ હતી. જેથી પ્રિન્સ ઇસનપુરવાલા રેસ્ટોરન્ટમાં તાત્કાલિક ધોરણે તેઓ દ્વારા ટીમ મોકલી તપાસ કરાવવામાં આવી છે. રેસ્ટોરન્ટના કિચનમાં ઠેર ઠેર ગંદકીના દ્રશ્યો જોવા મળ્યા હતા.શહેરમાં છેલ્લા 24 કલાકમાં બે જુદા-જુદા રેસ્ટોરન્ટમાંથી જીવાત નીકળવાની ઘટના સામે આવતા ફૂડ વિભાગની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...