Sunday, January 18, 2026

અમદાવાદના વધુ એક રેસ્ટોરેન્ટની બેદરકારી, પાઉંમાંથી નીકળ્યું જીવાત, AMC ફૂડ વિભાગની કામગીરી સામે સવાલો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં બે જુદા-જુદા રેસ્ટોરન્ટમાંથી જીવાત નીકળવાની ઘટના સામે આવી છે. ગઈકાલે નિકોલની એક રેસ્ટોરન્ટમાંથી સાંભરમાંથી વંદો નીકળ્યા બાદ આજે મણીનગર વિસ્તારમાં રેલ્વે સ્ટેશન સામે આવેલા પ્રિન્સ ઇસનપુર વાલા ભાજીપાવ નામની રેસ્ટોરન્ટમાં ભાજીપાવ ખાવા ગયેલા ગ્રાહકના પાવમાંથી મચ્છર જીવાત નીકળી હોવાનું સામે આવ્યું હતું. આ સમગ્ર મામલે મ્યુનિ. કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, એક ગ્રાહકે મણિનગરની પ્રિન્સ રેસ્ટોરન્ટમાંથી પાઉંભાજીનો ઓર્ડર આપ્યો હતો, પણ ભાજીપાઉં પીરસ્યા બાદ તેને આરોગવા જતા તેને પાઉંમાં મચ્છર અને જીવાત જેવું જોવા મળ્યું હતું. જેથી ગ્રાહકે મેનેજરને ફરિયાદ કરી હતી, પણ મેનેજરે આ બાબતને ગંભીરતાથી લેવાને બદલે તેની સાથે અણછાજતું વર્તન કર્યું હતું. તેથી તેઓએ તાત્કાલિક હાજર સ્ટાફને બોલાવ્યા હતા અને બતાવ્યું હતું. પરંતુ તેઓ દ્વારા યોગ્ય રીતે જવાબ આપવામાં આવ્યો નહોતો. મચ્છર – જીવાત નીકળવાની આ ઘટના બનતાની સાથે જ આ અંગે ફોટો વીડિયો ગ્રાહક દ્વારા લઈ લેવામાં આવ્યો હતો.

મ્યુનિસિપલ કોર્પોરેશનના ફુડ વિભાગને આ બાબતે જાણ થઈ હતી. જેથી પ્રિન્સ ઇસનપુરવાલા રેસ્ટોરન્ટમાં તાત્કાલિક ધોરણે તેઓ દ્વારા ટીમ મોકલી તપાસ કરાવવામાં આવી છે. રેસ્ટોરન્ટના કિચનમાં ઠેર ઠેર ગંદકીના દ્રશ્યો જોવા મળ્યા હતા.શહેરમાં છેલ્લા 24 કલાકમાં બે જુદા-જુદા રેસ્ટોરન્ટમાંથી જીવાત નીકળવાની ઘટના સામે આવતા ફૂડ વિભાગની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...