Monday, January 19, 2026

અમદાવાદમાં ભારે વરસાદ, અનેક વિસ્તારમાં પાણી ભરાયા, અખનારનગર અંડરપાસ બંધ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં આજે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. શહેરના ગોતા, સોલા, એસ.જી.હાઇવે, ઘાટલોડિયા, નારાણપુરા, બોપલ, ઘુમા, શેલા, ચાણક્યપુરી, નવરંગપુરા, મણિનગર, ઇસનપુર, ઇન્કમટેક્સ જેવા વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ વરસતા વિઝિબલિટી ઘટી ગઇ હતી. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં કાળા ડિબાંગ વાદળોથી અંધારપટ છવાયો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોર બાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. શહેરના સાબરમતી, ચાંદખેડા, થલતેજ, એસ. જી. હાઈવે, મકરબા, સરખેજ, રાણીપ, અખબારનગર સહિતના વિસ્તારમાં વરસાદ સરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે રોડ પર પાણી વહેતા થતાં વાહનચાલકોને હાલાકીનો સામેનો કરવો પડ્યો છે.

અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદના કારણે રોડ-રસ્તા પર પાણી ફરી ગયા છે. બીજી બાજું પૂર્વ વિસ્તાર બાપુનગર, નરોડામાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે.નરોડા,કૃષ્ણનગર,નિકોલ,ઓઢવ જેવા અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. પૂર્વ વિસ્તાર તેમજ પશ્ચિમ વિસ્તારમાં અનેક જગ્યાએ મેઘરાજાની બેટિંગ જોવા મળી હતી. વરસાદી માહોલને લઈને શહેરમાં ઠંડક પ્રસરી હતી.

અખબારનગર અંડરપાસ પાણી ભરાતા બંધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત RTO સર્કલમાં પણ પાણી ભરાતા વરસાદના પગલે વાહન ચાલકોને હાલાકી પડી હતી. હવામાન વિભાગ દ્વારા પાંચથી સાત દિવસ કરવામાં આવી છે હળવા થી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...