અમદાવાદ : શહેરના નારોલ-વિશાલા- સરખેજ નેશનલ હાઇવે નંબર 8 ઉપર શાસ્ત્રી બ્રિજ (વિશાલા બ્રિજ) સમારકામ માટે એક તરફ બંધ કરવામાં આવ્યો છે. નારોલ- પીરાણાથી વિશાલા સર્કલ તરફ જતો એક તરફનો માર્ગ બંધ કરીને ભારે તેમજ મધ્યમ પ્રકારના વાહનોના અવરજવર પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એક તરફનો ભાગ વાહન વ્યવહાર માટે ચાલુ રાખવામાં આવ્યો છે. બ્રિજના સમારકામના કારણે બ્રિજનો એક તરફનો ભાગ બંધ કરવામાં આવતા એક જ તરફથી બંને તરફનો અવર-જવરનો રસ્તો ચાલુ રહેતો હોવાના કારણે વાહનોનો ટ્રાફિકજામ થઈ શકે છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ પોલીસ દ્વારા એક જાહેરનામું બહાર પાડીને આ બ્રિજ પર વાહનોની અવરજવર બંધ કરવામાં આવશે તેવું જણાવાયું છે. આ બ્રિજ પર તમામ વાહનો માટે આઠમી ઓગસ્ટ 2025ના રોજ એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું જે આઠમી ફેબ્રુઆરી 2025 સુધી અમલમાં છે. આ બ્રિજ પર નિરીક્ષણ કરવા માટે મોટી મશીનરી મુકીને કામગીરી કરવાની છે. જેથી આ બ્રિજને સવારે 11 વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી બંધ કરવામાં આવ્યો છે અને તેના માટે વૈકલ્પિક અને પ્રતિબંધિત માર્ગ અંગે પણ જાણકારી આપવામાં આવી છે.
અમદાવાદના વિશાલા સર્કલ પર આવેલા શાસ્ત્રી બ્રિજના બેરિંગ અને પેડેસ્ટલ જર્જરિત થઈ જતા હવે તેને રિપેરિંગની જરૂરિયાત પેદા થઇ છે. જેથી આવતીકાલે 1 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર સુધી પીરાણાથી વિશાલા જંકશન તરફ રીપેરીંગ અને નિરીક્ષણના કારણે મોટી મશીનરી મુકાવાની હોવાથી એક તરફથી બંધ કરવાનું જાહેરનામું પ્રસિદ્ધ કરી દેવાયું છે. ટ્રાફિક પોલીસ દ્વારા જાહેર કરાયેલા જાહેરનામામાં ઉલ્લેખ કરાયો કે, વિશાલા જંકશનથી નારોલ તરફનો જ બ્રિજનો એક તરફનો ભાગ ચાલુ રહેશે. બંને તરફથી વાહનો અવર-જવર આ એક સ્ટ્રીપ પરથી જ પસાર થવું પડશે. જો કે ભારે અને મધ્યમ પ્રકારના વાહનો પસાર થઇ શકશે.
શાસ્ત્રી બ્રિજને થોડા જ સમયમાં બીજી વખત રીપેર કરવામાં આવી રહ્યો છે અગાઉ પણ રીપેરીંગ દરમિયાન આ જ પ્રકારે બ્રિજ પર એક જ તરફનો ભાગ ચાલુ રખાયો હતો. જેના કારણે આ બ્રિજ બંધ રહ્યો ત્યાં સુધી કલાકો સુધી ટ્રાફીક જામ રહેતો હતો. એક કિલોમીટર લાંબી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે, ત્યારે શહેર પોલીસ દ્વારા ટ્રાફિક પોઇન્ટ ઉભો કરવો જરૂરી બને છે.


