Tuesday, February 10, 2026

અમદાવાદ ટ્રાફિક પોલીસનું જાહેરનામું : આ બ્રિજ પર એક તરફનો વાહન વ્યવહાર 10 દિવસ માટે બંધ કરાયો

spot_img
Share

અમદાવાદ : શહેરના નારોલ-વિશાલા- સરખેજ નેશનલ હાઇવે નંબર 8 ઉપર શાસ્ત્રી બ્રિજ (વિશાલા બ્રિજ) સમારકામ માટે એક તરફ બંધ કરવામાં આવ્યો છે. નારોલ- પીરાણાથી વિશાલા સર્કલ તરફ જતો એક તરફનો માર્ગ બંધ કરીને ભારે તેમજ મધ્યમ પ્રકારના વાહનોના અવરજવર પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એક તરફનો ભાગ વાહન વ્યવહાર માટે ચાલુ રાખવામાં આવ્યો છે. બ્રિજના સમારકામના કારણે બ્રિજનો એક તરફનો ભાગ બંધ કરવામાં આવતા એક જ તરફથી બંને તરફનો અવર-જવરનો રસ્તો ચાલુ રહેતો હોવાના કારણે વાહનોનો ટ્રાફિકજામ થઈ શકે છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ પોલીસ દ્વારા એક જાહેરનામું બહાર પાડીને આ બ્રિજ પર વાહનોની અવરજવર બંધ કરવામાં આવશે તેવું જણાવાયું છે. આ બ્રિજ પર તમામ વાહનો માટે આઠમી ઓગસ્ટ 2025ના રોજ એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું જે આઠમી ફેબ્રુઆરી 2025 સુધી અમલમાં છે. આ બ્રિજ પર નિરીક્ષણ કરવા માટે મોટી મશીનરી મુકીને કામગીરી કરવાની છે. જેથી આ બ્રિજને સવારે 11 વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી બંધ કરવામાં આવ્યો છે અને તેના માટે વૈકલ્પિક અને પ્રતિબંધિત માર્ગ અંગે પણ જાણકારી આપવામાં આવી છે.

અમદાવાદના વિશાલા સર્કલ પર આવેલા શાસ્ત્રી બ્રિજના બેરિંગ અને પેડેસ્ટલ જર્જરિત થઈ જતા હવે તેને રિપેરિંગની જરૂરિયાત પેદા થઇ છે. જેથી આવતીકાલે 1 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર સુધી પીરાણાથી વિશાલા જંકશન તરફ રીપેરીંગ અને નિરીક્ષણના કારણે મોટી મશીનરી મુકાવાની હોવાથી એક તરફથી બંધ કરવાનું જાહેરનામું પ્રસિદ્ધ કરી દેવાયું છે. ટ્રાફિક પોલીસ દ્વારા જાહેર કરાયેલા જાહેરનામામાં ઉલ્લેખ કરાયો કે, વિશાલા જંકશનથી નારોલ તરફનો જ બ્રિજનો એક તરફનો ભાગ ચાલુ રહેશે. બંને તરફથી વાહનો અવર-જવર આ એક સ્ટ્રીપ પરથી જ પસાર થવું પડશે. જો કે ભારે અને મધ્યમ પ્રકારના વાહનો પસાર થઇ શકશે.

શાસ્ત્રી બ્રિજને થોડા જ સમયમાં બીજી વખત રીપેર કરવામાં આવી રહ્યો છે અગાઉ પણ રીપેરીંગ દરમિયાન આ જ પ્રકારે બ્રિજ પર એક જ તરફનો ભાગ ચાલુ રખાયો હતો. જેના કારણે આ બ્રિજ બંધ રહ્યો ત્યાં સુધી કલાકો સુધી ટ્રાફીક જામ રહેતો હતો. એક કિલોમીટર લાંબી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે, ત્યારે શહેર પોલીસ દ્વારા ટ્રાફિક પોઇન્ટ ઉભો કરવો જરૂરી બને છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...