Wednesday, February 11, 2026

અંબાજી મેળામાં જતા પદયાત્રીઓ માટે શરૂ કરાયું હેલ્પ ડેસ્ક, યાત્રિકો માટે હેલ્પલાઇન નંબર કરાયો જાહેર

spot_img
Share

અંબાજી : શક્તિ પીઠ અંબાજી ખાતે શક્તિ ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ ભાદરવી પૂનમના મહાકુંભનો પ્રારંભ થયો. જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલે માતાજીની પૂજા અર્ચના કરી રથ દોરી ભાદરવી પૂનમના મહા મેળાનો પ્રારંભ કરાવ્યો. જિલ્લા કલેકટર જિલ્લા પોલીસવડા જિલ્લા વિકાસ અધિકારી સહિત વિવિધ અધિકારીઓ દ્વારા માં અંબાના રથને દોરીથી પ્રસ્થાન કરાવ્યું.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે માં અંબાના ભાદરવી પૂનમના મહાકુંભનો પ્રારંભ થયો. આજથી સાત દિવસ માટે શરૂ થયેલા ભાદરવી પૂનમના મહા મેળામાં 30 લાખ જેટલા ભાવિકો દર્શન કરવા પગપાળા યાત્રા કરી અંબાજી પહોંચશે. આજે જિલ્લા કલેક્ટર જિલ્લા પોલીસવાળા જિલ્લા વિકાસ અધિકારી સહિત વિવિધ અધિકારીઓ દ્વારા મા અંબાના રથને દોરીથી પ્રસ્થાન કરાવ્યું. ‘બોલ માડી અંબે જય જય અંબે…’ ના નાદ સાથે માં અંબા ના ભાદરવી પૂનમના મહાકુંભનો પ્રારંભ થયો છે. ત્યારે તંત્ર દ્વારા યાત્રિકોની સુવિધા માટે હેલ્પ લાઈન નંબર શરૂ કરાયો છે.

‘આસ્થા તમારી વ્યવસ્થા અમારી’ ના મંત્ર સાથે અંબાજી ભાદરવી પૂનમ મહા મેળાનો રંગે ચંગે પ્રારંભ થઈ ચૂક્યો છે. અંબાજી ખાતે આવતા પદયાત્રીઓની સુવિધા માટે મુખ્ય કંટ્રોલ પોઈન્ટ અંબાજી ખાતે હેલ્પ ડેસ્ક ઊભું કરાયું છે. અંબાજી ખાતે આવતા પદયાત્રીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી જણાય તો નીચે મુજબના નંબર પર સંપર્ક કરવા વિનંતી છે. યાત્રિકો 02749-262040, 262041, 262042, 262043, 262044, 202045, 262046, 262047, 262048, 262049, 262050 પર સંપર્ક કરી શકે છે.

અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો મેળાનો આજે પ્રથમ દિવસ છે. ત્યારે વહેલી સવારથી અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે. અંબાજી જતા માર્ગો પણ શ્રદ્ધાળુઓથી ઉભરાઈ રહ્યા છે અને શ્રદ્ધાળુઓ વહેલા અંબાજી પહોંચ્યા છે. વરસાદના કારણે ઠંડક હોવાથી રસ્તામાં અનેક સુવિધાઓથી સચ યાત્રિકોમાં ખુશીની લાગણી છવાઈ છે. વહીવટી તંત્રની સુવિધાઓથી શ્રદ્ધાળુઓમાં હર્ષની લાગણી જોવા મળી. મેળાને લઈ પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવાયો છે. 5000 પોલીસ કર્મીઓ મેળામાં તૈનાત કરાયા છે. આ સાથે જ આ મેળાને આરોગ્ય, એસટી બસ,108 સહિત યાત્રિકોને વીમા કવચનું રક્ષણ મળ્યું છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...