અંબાજી : શક્તિ પીઠ અંબાજી ખાતે શક્તિ ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ ભાદરવી પૂનમના મહાકુંભનો પ્રારંભ થયો. જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલે માતાજીની પૂજા અર્ચના કરી રથ દોરી ભાદરવી પૂનમના મહા મેળાનો પ્રારંભ કરાવ્યો. જિલ્લા કલેકટર જિલ્લા પોલીસવડા જિલ્લા વિકાસ અધિકારી સહિત વિવિધ અધિકારીઓ દ્વારા માં અંબાના રથને દોરીથી પ્રસ્થાન કરાવ્યું.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે માં અંબાના ભાદરવી પૂનમના મહાકુંભનો પ્રારંભ થયો. આજથી સાત દિવસ માટે શરૂ થયેલા ભાદરવી પૂનમના મહા મેળામાં 30 લાખ જેટલા ભાવિકો દર્શન કરવા પગપાળા યાત્રા કરી અંબાજી પહોંચશે. આજે જિલ્લા કલેક્ટર જિલ્લા પોલીસવાળા જિલ્લા વિકાસ અધિકારી સહિત વિવિધ અધિકારીઓ દ્વારા મા અંબાના રથને દોરીથી પ્રસ્થાન કરાવ્યું. ‘બોલ માડી અંબે જય જય અંબે…’ ના નાદ સાથે માં અંબા ના ભાદરવી પૂનમના મહાકુંભનો પ્રારંભ થયો છે. ત્યારે તંત્ર દ્વારા યાત્રિકોની સુવિધા માટે હેલ્પ લાઈન નંબર શરૂ કરાયો છે.
‘આસ્થા તમારી વ્યવસ્થા અમારી’ ના મંત્ર સાથે અંબાજી ભાદરવી પૂનમ મહા મેળાનો રંગે ચંગે પ્રારંભ થઈ ચૂક્યો છે. અંબાજી ખાતે આવતા પદયાત્રીઓની સુવિધા માટે મુખ્ય કંટ્રોલ પોઈન્ટ અંબાજી ખાતે હેલ્પ ડેસ્ક ઊભું કરાયું છે. અંબાજી ખાતે આવતા પદયાત્રીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી જણાય તો નીચે મુજબના નંબર પર સંપર્ક કરવા વિનંતી છે. યાત્રિકો 02749-262040, 262041, 262042, 262043, 262044, 202045, 262046, 262047, 262048, 262049, 262050 પર સંપર્ક કરી શકે છે.
અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો મેળાનો આજે પ્રથમ દિવસ છે. ત્યારે વહેલી સવારથી અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે. અંબાજી જતા માર્ગો પણ શ્રદ્ધાળુઓથી ઉભરાઈ રહ્યા છે અને શ્રદ્ધાળુઓ વહેલા અંબાજી પહોંચ્યા છે. વરસાદના કારણે ઠંડક હોવાથી રસ્તામાં અનેક સુવિધાઓથી સચ યાત્રિકોમાં ખુશીની લાગણી છવાઈ છે. વહીવટી તંત્રની સુવિધાઓથી શ્રદ્ધાળુઓમાં હર્ષની લાગણી જોવા મળી. મેળાને લઈ પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવાયો છે. 5000 પોલીસ કર્મીઓ મેળામાં તૈનાત કરાયા છે. આ સાથે જ આ મેળાને આરોગ્ય, એસટી બસ,108 સહિત યાત્રિકોને વીમા કવચનું રક્ષણ મળ્યું છે.


