અમદાવાદ : અમદાવાદના જોધપુર વિસ્તારમાં આવેલા ફાલ્ગુન એપાર્ટમેન્ટમાં એક વ્યક્તિએ પોતાની જાતને જ ગોળી મારીને આપઘાત કરતા ચકચાર મચી ગઇ છે. ઘટના અંગે માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ આદરી છે. આપઘાત કયા કારણે કર્યું અને રિવોલ્વર ક્યાંથી આવી વગેરે બાબતે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, જોધપુર વિસ્તારમાં આવેલા ફાલ્ગુન એપાર્ટમેન્ટમાં બની હતી. જેમાં મૃતક રમેશ ઠાકોર (ઉ.વ. 50) નામના વ્યક્તિએ પોતાના જ ઘરમાં પોતાની જાતને ગોળી મારી હતી. ગોળીનો અવાજ સાંભળતા જ પરિવારજનો તેમને તાત્કાલિક શેલ્બી હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.જોધપુરમાં આપઘાતની ઘટનાની માહિતી સામે આવતા જ આનંદનગર પોલીસ હાલ ઘટનાસ્થળે પહોંચી છે.
પરિવારજનો તેઓને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, પરંતુ ડોક્ટરે તેઓને મૃત જાહેર કર્યા હતા. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા આનંદનગર પીઆઇ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે. જોકે, આત્મહત્યાનું ચોક્કસ કારણ હજી સુધી બહાર આવ્યું નથી.પોલીસે હાલ મૃતકે શા માટે આત્મહત્યા કરી તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.


