Thursday, January 15, 2026

ચંદ્રગ્રહણને લઈને અંબાજી સહિત આ મોટા મંદિરોમાં આરતી અને દર્શનનો સમય બદલાશે

spot_img
Share

અમદાવાદ : આ વખતે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ ભાદ્રપદ પૂર્ણિમાના 7 સપ્ટેમ્બર, રવિવારના રોજ દિવસે થવાનું છે. આ પૂર્ણ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે, જે શતભિષા નક્ષત્ર શનિ કુંભ રાશિમાં થવાનું છે. કાશીના જ્યોતિષ ચક્રપાણી ભટ્ટના જણાવ્યા મુજબ, ભારતમાં ચંદ્રગ્રહણનો સમય રાત્રે 9:57 થી 11:46 વાગ્યા સુધીનો છે. આ ચંદ્રગ્રહણનો અંત મોડી રાત્રે 1:27 વાગ્યે થશે. આ વખતે ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્ર લાલ રંગનો દેખાશે, જેને બ્લડ મૂન કહેવામાં આવે છે. આ ચંદ્રગ્રહણ 3 કલાક 28 મિનિટ 2 સેકન્ડ સુધી ચાલશે. ચંદ્રગ્રહણનો સૂતક સમયગાળો 9 કલાક પહેલા શરૂ થાય છે.

ચંદ્રગ્રહણને પગલે ગુજરાતના મોટા મંદિરોમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. દ્વારકાધીશ મંદિર, પાવાગઢ મહાકાળી મંદિર, અંબાજી મંદિર તથા શામળાજી મંદિરમાં ભક્તો માટે સમયમાં બદલાવ કરાયો છે. જે આ મુજબ છે.

ચંદ્ર ગ્રહણને લઈ દ્વારકાધીશ મંદિરના સમયમાં ફેરફાર
ચંદ્રગ્રહણને કારણે દ્વારકાના જગતમંદિરના દૈનિક કાર્યક્રમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આ દિવસે, મંદિરમાં ભગવાનની મંગળા આરતી સવારે ૬ વાગ્યે વહેલી કરવામાં આવશે. સવારથી બપોર સુધીનો કાર્યક્રમ સામાન્ય રીતે ચાલશે અને શ્રદ્ધાળુઓ માટે દર્શન ખુલ્લા રહેશે. જોકે, બપોરે ૧:૩૦ વાગ્યે, ચંદ્ર ગ્રહણના કારણે મંદિરના દ્વાર બંધ કરી દેવામાં આવશે. આ સમયથી લઈને ગ્રહણ સમાપ્ત થાય ત્યાં સુધી, મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. સાંજના સમયે પણ મંદિર ખુલ્લું રહેશે નહીં.

આ ગ્રહણના પ્રભાવને ધ્યાનમાં રાખીને, આખો દિવસ અને સાંજ મંદિર બંધ રહેશે. આ પરિવર્તન ફક્ત ૭ સપ્ટેમ્બર માટે જ છે. બીજા દિવસે, એટલે કે ૮ સપ્ટેમ્બર, જગતમંદિર તેના રાબેતા મુજબના સમયપત્રક અનુસાર ફરીથી ખુલશે અને તમામ દૈનિક વિધિઓ અને દર્શન ફરીથી શરૂ થશે. આ જાહેરાત ભક્તોને ગ્રહણના દિવસે થનારા ફેરફાર વિશે જાણ કરવા માટે કરવામાં આવી છે જેથી કોઈ અસુવિધા ન થાય.

ચંદ્ર ગ્રહણને લઈ પાવાગઢ મંદિરનો સમય બદલાશે
શક્તિપીઠ પાવાગઢ ખાતે માં મહાકાળી નિજ મંદિર ચંદ્રગ્રહણને લઈ બંધ રહેશે. આગામી 7 સપ્ટેમ્બર 2025 ને રવિવારને પૂનમના રોજ ચંદ્ર ગ્રહણ છે. ચંદ્ર ગ્રહણના દિવસે સવારે 5.00 કલાકે આરતી થશે. ચંદ્ર ગ્રહણના દિવસે સવારના 5.00 કલાકથી બપોરના 12.00 કલાક સુધી ભક્તો દર્શન કરી શકશે. 12 વાગ્યા બાદ મંદિરના કપાટ બંધ કરાશે. બીજા દિવસે એટલે તારીખ 8 સપ્ટેમ્બરથી સવારે 6.00 કલાકથી મંદિર રાબેતા મુજબ દર્શન માટે ખુલ્લું રહેશે.

ચંદ્ર ગ્રહણને લઈ અંબાજી મંદિરમાં પણ ફેરફાર
ભાદરવી પૂનમના મેળાના પાંચમા દિવસે અંબાજી મંદિરમાં પણ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. ભાદરવી પૂનમે ચંદ્ર ગ્રહણ હોવાથી મંદિર વહેલા બંધ થશે. 7 સપ્ટેમ્બરે બપોરે 12.30 કલાકે મંદિર બંધ થશે. શ્રદ્ધાળુઓ 12.30 કલાક બાદ ધ્વજારોહણ પણ નહીં કરી શકે. સાંજના 5 વાગ્યા સુધી જાળીમાંથી માતાના દર્શન થશે. ભાદરવી પૂનમે સાંજના 5 વાગ્યા બાદ મંદિર દર્શન માટે સંપૂર્ણ પણે બંધ રહેશે.

ચંદ્ર ગ્રહણને લઈ શામળાજી મંદિરની માહિતી
યાત્રાધામ શામળાજી મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કારાયો છે. પૂર્ણિમાએ ચંદ્ર ગ્રહણને પગલે દર્શનનો સમય બદલાયો છે. મંદિર સવારે એક કલાક વહેલું ખુલશે અને સાંજે અઢી કલાક વહેલું બંધ થશે.

દર્શન સમય

મંદિર ખુલશે સવારે 5 કલાકે
મંગળા આરતી સવારે 5:45 કલાકે
શણગાર આરતી સવારે 8:00 કલાકે
મંદિર બંધ રાજભોગ ધરાશે સવારે 10:00 કલાકે
રાજભોગ આરતી સવારે 10:45 કલાકે
મંદિર બંધ થશે સવારે 11:30 કલાક
ઉત્થાપન મંદિર ખુલશે બપોરે 12:45 કલાકે
સંધ્યા આરતી સાંજે 4:30 કલાકે
શયન આરતી સાંજે 5:30 કલાકે
મંદિર મંગલ બંધ થશે સાંજે 6:00 કલાકે
પૂર્ણિમાના બીજા દિવસે મંદિર પ્રક્ષાલન બાદ દર્શન રાબેતા મુજબ થશે

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...