અમદાવાદ: રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે પાંચમી સપ્ટેમ્બરના રોજ શિક્ષણ ક્ષેત્રે અનોખું યોગદાન આપનારા શિક્ષકોની શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિતથી સન્માવવામાં આવે છે આ વર્ષે પણ અમદાવાદના ટાગોર હોલ ખાતે યોજાયેલ રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહમાં રાજ્યભરના શ્રેષ્ઠ શિક્ષકોને સન્માન કરવામાં આવ્યા હતા. જેમાં અમદાવાદની ઘાટલોડિયા ખાતે આવેલ જ્ઞાનદા ગર્લ્સ હાઇસ્કુલના આચાર્યશ્રી જાગૃતિબેન પટેલને રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિત એનાયત કરાયા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ, શિક્ષક દિને અમદાવાદના ટાગોર હૉલ ખાતે યોજાયેલ રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડીડોરની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીના હસ્તે જ્ઞાનદા ગર્લ્સ હાઇસ્કુલના આચાર્યશ્રી જાગૃતિબેન પટેલને રાજ્યકક્ષાના શ્રી શિક્ષક પારિતોષિત એનાયત કરાયા હતા. આ સમારોહમાં શિક્ષકોનું શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિતથી સન્માન કરાયું હતું અને પાંચ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રતિક રૂપે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
23 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે કાર્યરત જ્ઞાનદા ગલ્સ હાઈસ્કૂલના આચાર્ય શ્રી જાગૃતિબેન પટેલે કન્યા કેળવણી ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપ્યું છે વિદ્યાર્થીઓમાં સમાજસેવા અને લીડરશીપના ગુણોથી લેવા જાગૃતિબેનને અનેકવિધ નવીન શિક્ષણ પ્રકલ્પો અને પહેલોની શરૂઆત કરાવી છે.
જાગૃતીબેન પટેલે યોગ્ય આયોજન અને દિશા સૂચક પ્રયત્ન થકી જ્ઞાનદા ગર્લ્સ હાઇસ્કુલને ઉત્તમ કન્યા શાળા તરીકે સ્થાપિત કરી જાગૃતીબેનના નેતૃત્વમાં શાળાએ શૈક્ષણિકતાને નવી ઊંચાઈએ પહોંચાડી છે, જેના પરિણામે વર્ષ 2012-13 અને 2018-19 માં અને 2022-23 માં જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શાળાનું પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
આ સિવાય ડિજિટલાઇઝેશન અને ટેકનોલોજીના આધુનિક સમયમાં બાળકોને પરંપરાગત શિક્ષણની સાથો સાથ ટેક્રોલોજી અને ઇનોવેશન આધારિત શિક્ષણ મળી રહે તથા વિદ્યાર્થીકાળથી તેઓ રિસર્ચ ક્ષેત્રે આગળ વધે અને પ્રયોગો થકી જિજ્ઞાસાવૃતિને સંતોષ થાય તે બાબતને જાગૃતિબેન હંમેશા પ્રાધાન્ય આપ્યું છે.
આ ઉપરાંત શાળામાં કેન્દ્ર સરકારની સહાયથી વર્ષ 2018 થી અટલ ટીકરિંગ લેબ કાર્યરત છે અટલ લેબ દ્વારા શરૂ થયેલી વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓને પરિણામે વર્ષ 2021-22 માં આંતરરાષ્ટ્રીય ઓનલાઈન સ્પર્ધામાં 60000 થી વધુ ટીમોમાંથી સ્માર્ટ પાર્કિંગ પ્રોજેક્ટ પર આધારિત કૃતિ રજૂઆત કરનાર શાળાના બે વિદ્યાર્થીઓની ટીમએ 14 મુ સ્થાન મેળવ્યું હતું.


