Thursday, January 15, 2026

ઘાટલોડિયાની જ્ઞાનદા ગર્લ્સ હાઇસ્કુલના આચાર્ય જાગૃતિબેન પટેલને રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકથી સન્માનિત કરાયા

spot_img
Share

અમદાવાદ: રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે પાંચમી સપ્ટેમ્બરના રોજ શિક્ષણ ક્ષેત્રે અનોખું યોગદાન આપનારા શિક્ષકોની શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિતથી સન્માવવામાં આવે છે આ વર્ષે પણ અમદાવાદના ટાગોર હોલ ખાતે યોજાયેલ રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહમાં રાજ્યભરના શ્રેષ્ઠ શિક્ષકોને સન્માન કરવામાં આવ્યા હતા. જેમાં અમદાવાદની ઘાટલોડિયા ખાતે આવેલ જ્ઞાનદા ગર્લ્સ હાઇસ્કુલના આચાર્યશ્રી જાગૃતિબેન પટેલને રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિત એનાયત કરાયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ, શિક્ષક દિને અમદાવાદના ટાગોર હૉલ ખાતે યોજાયેલ રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડીડોરની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીના હસ્તે જ્ઞાનદા ગર્લ્સ હાઇસ્કુલના આચાર્યશ્રી જાગૃતિબેન પટેલને રાજ્યકક્ષાના શ્રી શિક્ષક પારિતોષિત એનાયત કરાયા હતા. આ સમારોહમાં શિક્ષકોનું શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિતથી સન્માન કરાયું હતું અને પાંચ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રતિક રૂપે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

23 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે કાર્યરત જ્ઞાનદા ગલ્સ હાઈસ્કૂલના આચાર્ય શ્રી જાગૃતિબેન પટેલે કન્યા કેળવણી ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપ્યું છે વિદ્યાર્થીઓમાં સમાજસેવા અને લીડરશીપના ગુણોથી લેવા જાગૃતિબેનને અનેકવિધ નવીન શિક્ષણ પ્રકલ્પો અને પહેલોની શરૂઆત કરાવી છે.

જાગૃતીબેન પટેલે યોગ્ય આયોજન અને દિશા સૂચક પ્રયત્ન થકી જ્ઞાનદા ગર્લ્સ હાઇસ્કુલને ઉત્તમ કન્યા શાળા તરીકે સ્થાપિત કરી જાગૃતીબેનના નેતૃત્વમાં શાળાએ શૈક્ષણિકતાને નવી ઊંચાઈએ પહોંચાડી છે, જેના પરિણામે વર્ષ 2012-13 અને 2018-19 માં અને 2022-23 માં જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શાળાનું પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.

આ સિવાય ડિજિટલાઇઝેશન અને ટેકનોલોજીના આધુનિક સમયમાં બાળકોને પરંપરાગત શિક્ષણની સાથો સાથ ટેક્રોલોજી અને ઇનોવેશન આધારિત શિક્ષણ મળી રહે તથા વિદ્યાર્થીકાળથી તેઓ રિસર્ચ ક્ષેત્રે આગળ વધે અને પ્રયોગો થકી જિજ્ઞાસાવૃતિને સંતોષ થાય તે બાબતને જાગૃતિબેન હંમેશા પ્રાધાન્ય આપ્યું છે.

આ ઉપરાંત શાળામાં કેન્દ્ર સરકારની સહાયથી વર્ષ 2018 થી અટલ ટીકરિંગ લેબ કાર્યરત છે અટલ લેબ દ્વારા શરૂ થયેલી વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓને પરિણામે વર્ષ 2021-22 માં આંતરરાષ્ટ્રીય ઓનલાઈન સ્પર્ધામાં 60000 થી વધુ ટીમોમાંથી સ્માર્ટ પાર્કિંગ પ્રોજેક્ટ પર આધારિત કૃતિ રજૂઆત કરનાર શાળાના બે વિદ્યાર્થીઓની ટીમએ 14 મુ સ્થાન મેળવ્યું હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...