Friday, March 13, 2026

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે, ઢોલ-નગારા અને ડીજેના તાલે બાપ્પાને વિદાય, અગલે બરસ જલદી આના…

spot_img
Share

અમદાવાદ : ગણેશ ઉત્સવનો આજે છેલ્લો દિવસ હતો. અનંત ચતુર્દશીના દિવસે દેશભરમાં વાજતેગાજતે ગણપતિ બાપ્પાનું ધામધૂમથી વિસર્જન કરવામાં આવ્યું. 10 દિવસ સુધી ઘરે ઘરે અને પંડાલોમાં બિરાજમાન વિઘ્નહર્તાની ઢોલ-તાશ અને ડીજેના તાલથી બાપ્પાને ભારે હૃદયે વિદાય આપી હતી, અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલા ધર્મકુંડ ખાતે ગણપતિ વિસર્જન માટે લોકોની ભારે ભીડ જોવા મળી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગણેશ ઉત્સવનો આજે છેલ્લો દિવસ હતો, મ્યુ કોર્પોરેશન દ્વારા વિવિધ વિસ્તારોમાં વિસર્જન માટે અલગ અલગ કૂંડોની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલા ધર્મકુંડ ખાતે ગણપતિ વિસર્જન માટે લોકોની ભારે ભીડ જોવા મળી હતી. દિવસ દરમિયાન મોડી રાત સુધી ભક્તો ગણપતિ બાપાની મૂર્તિઓ લઈને અહીં પહોંચ્યા હતા અને તેમને ભાવભીની વિદાય આપી રહ્યા હતા.વિસર્જન સ્થળે એક તરફ ઢોલ-નગારાના તાલે ભક્તો ઝૂમી રહ્યા હતા અને “ગણપતિ બાપા મોરિયા”ના નારા લગાવી રહ્યા હતા. તો બીજી તરફ ગણપતિ બાપાને વિદાય આપતી વખતે ઘણા ભક્તોની આંખોમાં આંસુ પણ જોવા મળ્યા હતા.

આ ઉપરાંત, કોઈપણ ઇમરજન્સી પરિસ્થિતિને પહોંચી વળવા માટે ફાયર બ્રિગેડની ટીમ અને ગાડીઓ પણ રિવરફ્રન્ટ પાસે તૈનાત કરવામાં આવી હતી . વિસર્જનને કારણે રિવરફ્રન્ટની આસપાસના વિસ્તારોમાં ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. લોકો પોતાની મરજીથી ગણપતિજીની આરતી કર્યા બાદ તેમને વિદાય આપી રહ્યા હતા.

રિવરફ્રન્ટ પર મોટી મૂર્તિઓના વિસર્જન માટે ક્રેનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી, જેના દ્વારા મૂર્તિઓને ધર્મકુંડમાં વિસર્જિત કરવામાં આવી રહી છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ધર્મકુંડની આસપાસ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...