Saturday, January 17, 2026

અધધ…આ તો હદ થઇ કહેવાય ! અમદાવાદમાં AMCનો નિવૃત્ત કર્મચારી ચાર હજારની લાંચ લેતા ઝડપાયો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ AMC માંથી લાંચના સમાચાર સામે આવ્યા છે. શહેરીજનોની મિલકતોના ટેક્સ માટેની આકારણી કરવા જતા AMCના પૂર્વ ઝોનના ટેક્સ વિભાગના કર્મચારીઓ દ્વારા લાંચ માંગવામાં આવતી હોવાની ફરિયાદ મળતા ACBએ છટકો ગોઠવીને એજન્ટની ધરપકડ કરી છે. આરોપી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નિવૃત કર્મચારી હોવાનું બહાર આવ્યું છે. ટેક્સ વિભાગના કર્મચારીઓની પણ સંડોવણી હોવાની શક્યતા છે. ACBની ટીમે 4000 રૂપિયા લેતા અંગે હાથ ઝડપી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં વિરાટનગર વિસ્તારના કોમર્શીયલ તેમજ રહેણાંક મકાનને લગતી આકારણીના કામોમાં વિરાટનગર વિસ્તારના રહીશો તેમજ વેપારીઓને જુદા-જુદા બહાના બતાવી તેમની પાસેથી ગેરકાયદેસર રીતે રૂ.1 હજારથી રૂ.10 હજાર સુધીની લાંચની માંગણી કરતા હોવાની ACB ને રજુઆત મળી હતી.જે રજુઆત આધારે ફરિયાદીનો સાથ- સહકાર મેળવી લાંચના ડીકોય છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નિવૃત્ત કર્મચારી ગોવિંદભાઈ પરમાભાઈ ડાભી (રહે. આરોહી એલીજીયમ, સાઉથ બોપલ, અમદાવાદ)ને લાંચના છટકા દરમ્યાન આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂ. 4000ની લાંચની માગણી કરી હતી. જેથી લાંચ લેવા માટે વિરાટનગર ખાતે આવેલી અંબિકા નગર સોસાયટીમાં લાંચ લેવા આવતા ACBએ રંગે હાથ ઝડપી લીધા હતા.

ACB ની ટીમ દ્વારા હાલ આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે મ્યુનિસિપલ કોર્પોરેશનના કોઈ કર્મચારી કે અધિકારીની આમાં સંડોવણી છે કે કેમ તેની પણ તપાસ થશે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી કરતા નિવૃત્ત કર્મચારી નોકરી બાદ પણ આ પ્રકારના ભ્રસ્ટાચાર આચરે છે તો વર્તમાન કર્મચારીની સંડોવણીની ચોક્કસ શક્યતાઓ રહેલી છે, સમગ્ર મામલે યોગ્ય તપાસ કરવામાં આવે તો મ્યુનિસિપલ કોર્પોરેશનના કોઈ કર્મચારી કે અધિકારીની સંડોવણી બહાર આવે તેમ છે…

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...