Thursday, November 13, 2025

નવા વાડજ-નારણપુરા-સોલા : રિડેવલપમેન્ટ માટે હાઉસીંગના રહીશોએ એકતા બતાવવી પડશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના સોલા રોડ, નારણપુરા, શાસ્ત્રીનગર અને નવા વાડજની જુદી જુદી હાઉસિંગ સોસાયટીઓના રહીશો છેલ્લાં કેટલાંય વર્ષોથી માગણી કરી રહ્યા છે.અને એમાંય ખાસ કરીને કોરોનાકાળ બાદ સોલા રોડ, નારણપુરા અને નવા વાડજની અનેક જર્જરિત મકાનોની હાલત જોઈને રિડેવલોપમેન્ટની માંગ પ્રબળ બની છે.

તાજેતરમાં રહીશો અને જુદા જુદા મંડળ તથા ફેડરેશન દ્વારા રજુઆતો, કાર્યક્રમો વગેરે લઈને સરકાર હરકતમાં આવી હોવાનું જાણવા મળ્યું છે. લાંબા સમયની રાહ જોયા પછી તાજેતરમાં સરકાર પેનલ્ટી માફ કરવાની યોજના લાવી છે પરંતુ રિડેવલોપમેન્ટ પોલીસીમાં સુધારાને લઈને હાઉસીંગના રહીશા નારાજ હોવાનું જાણવા મળ્યું છે.

હાઉસીંગ સોસાયટીઓની વાત કરીએ તો સોલા રોડ, નારણપુરા, શાસ્ત્રીનગર અને નવા વાડજની અલગ અલગ ૧૨૫ થી વધુ સોસાયટીઓ રિડેવલમેન્ટ માટે તૈયાર બેઠી છે પરંતુ રિડેવલમેન્ટ પોલીસી-૨૦૧૬માં બિલ્ડરોની મૂળ માલિકને અન્યાય કરતી શરતો અને ઉપરથી કાંડા કાપી લેતા હઠાગ્રહી નીતિની જાહેરાતના છ વર્ષ પછી પણ અમદાવાદમાં જયમંગલ બસસ્ટેન્ડ નજીકની એક માત્ર એકતા એપાર્ટમેન્ટની સ્કીમ પૂરી થઈ શકી છે.ત્યારબાદ આજદિન સુધી કોઈ પણ રિડેવલપમેન્ટ સફળ થયું નથી. ૨૦૧૬ થી ૨૦૨૨ સુધીનો સમયગાળો ગણવામાં આવે તો સાત વર્ષમાં એક સોસાયટીનું રિડેવલપમેન્ટ સફળ થયું છે.

પરંતુ આ વખતે હાઉસીંગના મતદારો રિડેવલમેન્ટની ઢીલી નીતિને લઈને નારાજ હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક ચુંટાયેલ પ્રતિનિધીઓ સાથ અને સહકાર ન આપતા હોવાની રહીશો ફરિયાદ કરી રહ્યા છે.સ્થાનિક નેતાઓ રસ દાખવતા નથી, આ વખતે હજુ બે-ચાર મહિના બાકી છે ત્યારે ચુંટણી પહેલા રિડેવલમેન્ટ પોલીસીમાં ફેરફાર ન કરવામાં આવે તો ચુંટણીઓમાં ખબર પાડી દેવાનું મન બનાવી દીધું છે. જેને લઈને આગામી સમયમાં હાઉસીંગના રહીશોએ એકતા બતાવવી પડશે, એકતાથી લઈને શક્તિપ્રદર્શનો બતાવવા પડશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...