Monday, January 19, 2026

અમદાવાદમાં યુવાને મજાક મસ્તીમાં લાફો મારતા મિત્રનું મોત, આરોપીની ધરપકડ

spot_img
Share

અમદાવાદ : શહેરમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જે સાંભળી આપ પણ ચોંકી જશો. થોડા દિવસ પહેલા એક યુવક અચાનક બેભાન થાય છે અને બાદમાં તેનું મોત નીપજે છે. આ મોત પાછળનું કારણ મિત્રો વચ્ચેની મજાક હોવાનું સામે આવ્યું. પાનના ગલ્લે મિત્રો ઉભા હતા અને એક મિત્રએ મજાકમાં લાફો મારતા યુવક નીચે પટકાયો અને બ્રેઈન હેમરેજ થતા તેનું મોત નીપજ્યું છે. આ ઘટના CCTV માં કેદ થતા રામોલ પોલીસે મનુષ્યવધનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

મળતી માહિતી અનુસાર, અમદાવાદ શહેરના રામોલમાં એક વિચિત્ર પ્રકારનો ગુનો સામે આવ્યો છે.જેમાં ગત 18 ઓગસ્ટના રોજ મૃતક કરણ ઠાકોર આરોપી ભાવેશ વાઘેલા અને તેમના 4 મિત્રો રવિ વાઘેલા, કલ્પેશ પરમાર, રાજુ રાજપૂત અને લલિત પરમાર મોડી રાત્રે શ્રાવણિયો જુગાર રમીને વહેલી સવારે નાસ્તો કરવા રિક્ષામાં નીકળ્યા હતા.તેઓ નાસ્તો કરીને મજાક મસ્તી કરતા ઘર તરફ આવી રહ્યા હતા ત્યારે વચ્ચે દ્વારકેશ પાન પાર્લર નજીક પાન મસાલો લેવા રિક્ષા ઉભી રાખી હતી. આ દરમ્યાન મૃતક કરણે આરોપી પાસે રજનીગંધા મગાવતા બંન્ને વચ્ચે મજાક મસ્તીમાં ઝઘડો થયો અને આરોપીએ કરણને લાફો મારતા તે રોડ પર પટકાયો હતો.જ્યાં માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમ્યાન 30 ઓગસ્ટના રોજ મોત નીપજ્યું હતું.

આ ઘટના CCTV કેમેરામાં કેદ થતા રામોલ પોલીસે મનુષ્યવધનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.ત્યારબાદ રામોલ પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કર્યો છે. મિત્રો વચ્ચેની મજાક મસ્તી ક્યારે ભયંકર સ્વરૂપ ધારણ કરી શકે છે તે ઘટના પરથી સાબિત થાય છે. આ ઘટનાએ બે મિત્રોની જિંદગી બદલી દીધી.એકને મોત મળ્યું તો બીજાને જેલના સળિયા પાછળ જવાનો વખત આવ્યો છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...