Friday, September 12, 2025

અમદાવાદની જાણીતી પીજીમાં આરોગ્ય સાથે ચેડા ! પાંઉમાં જીવડું, છાશમાં માખી, AMCએ રસોડું સીલ માર્યું

Share

Share

અમદાવાદ : શહેરની જાણીતી શિવશંકર પીજીમાં જીવાતવાળા ખોરાકનો વીડિયો વાયરલ થયો હતો. જમવાનું બનાવવાની ચીજ વસ્તુઓમાંથી જીવાત મળી આવી હતી. સડેલા શાકભાજી અને અનહાઇજનિક કન્ડિશન રસોડામાં મળી આવી હતી. ફૂડ વિભાગનું લાઇસન્સ કે રજિસ્ટ્રેશન પણ ન હોવાનું સામે આવ્યું હતું. પાંઉમાં જીવડું, છાશમાં માખી અને સડેલા શાકભાજી મળી આવતાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રસોડાને સીલ મારવામાં આવ્યું હતું.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના સીજી રોડ પર આવેલી શિવશંકર પીજી બોય્ઝ હોસ્ટેલમાં ખાવા-પીવાની ચીજવસ્તુઓમાંથી જીવજંતુઓ નીકળવાની અને અનહાઈજેનિક ખાવાનું આપવામાં આવતું હોવા અંગે ફરિયાદ મળી હતી.ફૂડ વિભાગનું લાઇસન્સ કે રજિસ્ટ્રેશન પણ ન હોવાનું સામે આવ્યું હતું. જેના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા હોસ્ટેલના રસોડાને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. શિવશંકર પીજી બોયઝ હોસ્ટેલમાં રહેવા માટે સંચાલક દ્વારા વ્યક્તિ દીઠ 10,000થી લઈ 18,000 ભાડું વસૂલવામાં આવતું હતું.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પીજી હોસ્ટેલમાં ફરિયાદ મળતા ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી જેમાં સડેલા બટેકા, ડુંગળી, શાકભાજી વગેરે મળી આવ્યું હતું. જે પણ ખાવાની ચીજ વસ્તુઓ હતી તેમાં પણ જીવાત વગેરે મળી આવ્યું હતું જેના કારણે થઈને ફૂડ વિભાગ દ્વારા રસોડાને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી હતી. પીજી હોસ્ટેલમાં અંદાજે 100 જેટલા યુવકો રહે છે.

પીજી હોસ્ટેલના સંચાલકો દ્વારા રહેતાં છોકરાઓને જે જમવાનું આપવામાં આવે છે. તેઓ દ્વારા ખૂબ જ ખરાબ જમવાનું આપવામાં આવતું હોવાની ફરિયાદો કરવામાં આવી હતી. દાળ, ભાત અને રોટલી પણ એકદમ ખરાબ બનાવવામાં આવતાં હતા. જે જમવાનું બનાવવામાં આવતું હતું જે ગુણવત્તા વિનાનું હતું. આ બાબતે અવારનવાર છોકરાઓ દ્વારા પીજી હોસ્ટેલના સંચાલકોને રજૂઆત કરવામાં આવી હતી છતાં પણ તેમના દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવ્યું નહોતું.

પીજી હોસ્ટેલમાં રહેનારા છોકરાઓ ખરાબ જમવાનું હોવાને લઈને વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. જે બાદ કોર્પોરેશને કાર્યવાહી કરી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...