Friday, January 16, 2026

અમદાવાદની જાણીતી પીજીમાં આરોગ્ય સાથે ચેડા ! પાંઉમાં જીવડું, છાશમાં માખી, AMCએ રસોડું સીલ માર્યું

spot_img
Share

અમદાવાદ : શહેરની જાણીતી શિવશંકર પીજીમાં જીવાતવાળા ખોરાકનો વીડિયો વાયરલ થયો હતો. જમવાનું બનાવવાની ચીજ વસ્તુઓમાંથી જીવાત મળી આવી હતી. સડેલા શાકભાજી અને અનહાઇજનિક કન્ડિશન રસોડામાં મળી આવી હતી. ફૂડ વિભાગનું લાઇસન્સ કે રજિસ્ટ્રેશન પણ ન હોવાનું સામે આવ્યું હતું. પાંઉમાં જીવડું, છાશમાં માખી અને સડેલા શાકભાજી મળી આવતાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રસોડાને સીલ મારવામાં આવ્યું હતું.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના સીજી રોડ પર આવેલી શિવશંકર પીજી બોય્ઝ હોસ્ટેલમાં ખાવા-પીવાની ચીજવસ્તુઓમાંથી જીવજંતુઓ નીકળવાની અને અનહાઈજેનિક ખાવાનું આપવામાં આવતું હોવા અંગે ફરિયાદ મળી હતી.ફૂડ વિભાગનું લાઇસન્સ કે રજિસ્ટ્રેશન પણ ન હોવાનું સામે આવ્યું હતું. જેના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા હોસ્ટેલના રસોડાને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. શિવશંકર પીજી બોયઝ હોસ્ટેલમાં રહેવા માટે સંચાલક દ્વારા વ્યક્તિ દીઠ 10,000થી લઈ 18,000 ભાડું વસૂલવામાં આવતું હતું.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પીજી હોસ્ટેલમાં ફરિયાદ મળતા ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી જેમાં સડેલા બટેકા, ડુંગળી, શાકભાજી વગેરે મળી આવ્યું હતું. જે પણ ખાવાની ચીજ વસ્તુઓ હતી તેમાં પણ જીવાત વગેરે મળી આવ્યું હતું જેના કારણે થઈને ફૂડ વિભાગ દ્વારા રસોડાને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી હતી. પીજી હોસ્ટેલમાં અંદાજે 100 જેટલા યુવકો રહે છે.

પીજી હોસ્ટેલના સંચાલકો દ્વારા રહેતાં છોકરાઓને જે જમવાનું આપવામાં આવે છે. તેઓ દ્વારા ખૂબ જ ખરાબ જમવાનું આપવામાં આવતું હોવાની ફરિયાદો કરવામાં આવી હતી. દાળ, ભાત અને રોટલી પણ એકદમ ખરાબ બનાવવામાં આવતાં હતા. જે જમવાનું બનાવવામાં આવતું હતું જે ગુણવત્તા વિનાનું હતું. આ બાબતે અવારનવાર છોકરાઓ દ્વારા પીજી હોસ્ટેલના સંચાલકોને રજૂઆત કરવામાં આવી હતી છતાં પણ તેમના દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવ્યું નહોતું.

પીજી હોસ્ટેલમાં રહેનારા છોકરાઓ ખરાબ જમવાનું હોવાને લઈને વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. જે બાદ કોર્પોરેશને કાર્યવાહી કરી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...