Friday, September 12, 2025

રેલવે પ્રવાસીઓ માટે રાહતના સમાચાર : અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશને આ ટ્રેનોના સ્ટોપેજ ફરી શરૂ કરાયા

Share

Share

અમદાવાદ : પશ્ચિમ રેલવેના અમદાવાદ કાલુપુર સ્ટેશન પર ચાલી રહેલા રેલ લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા પુનઃવિકાસ કાર્યને કારણે, કેટલીક ટ્રેનોના ટર્મિનલને અમદાવાદથી અસ્થાયી રૂપે મણિનગર, વટવા અને અસારવા સ્ટેશનો પર શિફ્ટ કરવામા આવ્યા હતા.હવે આમાંથી કેટલીક મુખ્ય ટ્રેનો ફરીથી અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનથી સંચાલિત કરવામાં આવી રહી છે, જ્યારે કેટલીક ટ્રેનોનું સ્ટોપેજ આગામી કેટલાક દિવસો સુધી સાબરમતી સ્ટેશન પર યથાવત રહેશે.

અમદાવાદના કાલુપુર સ્ટેશન પરથી પ્રસ્થાન-આગમન કરશે આ ટ્રેન…
અમદાવાદ – એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ નવજીવન એક્સપ્રેસ, એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ – અમદાવાદ નવજીવન એક્સપ્રેસ, અમદાવાદ – મુંબઈ સેન્ટ્રલ એસી ડબલ ડેકર એક્સપ્રેસ, અમદાવાદ – વલસાડ ગુજરાત ક્વીન એક્સપ્રેસ, મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ ગુજરાત એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર આગમન /પ્રસ્થાન કરશે. જ્યારે મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ ડબલ ડેકર એક્સપ્રેસ મણીનગરથી પ્રસ્થાન કરશે.

આ ટ્રેનોના સાબરમતી સ્ટોપેજ રહેશે યથાવત….
આ સિવાય જોધપુર – બાંદ્રા ટર્મિનસ સૂર્યનગરી એક્સપ્રેસ, જોધપુર-હડપસર સુપરફાસ્ટ એક્સપ્રેસ, હડપસર – જોધપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ, ચંડીગઢ – બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ, હિસાર – સિકંદરરાબાદ સુપરફાસ્ટ એક્સપ્રેસ, જોધપુર – ચેન્નાઈ એગ્મોર એક્સપ્રેસ, હિસાર – બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ એક્સપ્રેસ, બાડમેર – બાંદ્રા ટર્મિનસ હમસફર એક્સપ્રેસ, શ્રીગંગાનગર – હજૂર સાહેબ નાંદેડ એક્સપ્રેસ, શ્રીગંગાનગર- બાંદ્રા ટર્મિનસ અરાવલી એક્સપ્રેસ, લાલગઢ – દાદર રણકપુર એક્સપ્રેસ, ભુજ – બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ એક્સપ્રેસ, ભુજ – બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ એક્સપ્રેસ,ભગત કી કોઠી – બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ એક્સપ્રેસ,અજમેર-પૂરી સુપરફાસ્ટ એક્સપ્રેસ, ભગત કી કોઠી – વલસાડ સુપરફાસ્ટ એક્સપ્રેસ, બાંદ્રા ટર્મિનસ – શ્રીગંગાનગર અરાવલી એક્સપ્રેસ, બાંદ્રા ટર્મિનસ – ભગત કી કોઠી હમસફર એક્સપ્રેસ,પોરબંદર –દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસના સાબરમતી સ્ટેશન પર સ્ટોપેજ યથાવત રહેશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...