Tuesday, February 10, 2026

નવરાત્રિ પહેલા ગુજરાત હાઈકોર્ટે આપ્યા મહત્વના નિર્દેશ, તમામ પ્રકારના રાસ-ગરબામાં DJ માટે પરવાનગી જરૂરી

spot_img
Share

અમદાવાદ: નવરાત્રિ નજીક આવી રહી છે, ગરબાના આયોજકો અંતિમ તૈયારીઓ કરી રહ્યા છે. સામાન્ય રીતે નવરાત્રી દરમિયાન ગરબા ગ્રાઉન્ડ મોડી રાત સુધી હાઈ કેપેસિટી વાળા લાઉડ સ્પીકર પર ગરબા વગાડવામાં આવે છે.22 તારીખે નવરાત્રી શરુ થાય એ પહેલા સોમવારે ગુજરાત હાઈકોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન મહત્વના નિર્દેશ આપ્યા હતાં. તો બીજી તરફ નવરાત્રિ મામલે હાઈકોર્ટે સ્પષ્ટતા કરી છે. હાઈકોર્ટે સ્પષ્ટતા કરી છે કે તમામ રાસ-ગરબા માટે DJની પરવાનગી જરૂરથી લેવી પડશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગુજરાત સરકાર સામે દાખલ કરવામાં આવેલી કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની એક સુનાવણી દરમિયાન હાઈકોર્ટના જસ્ટિસ એ એસ સુપેહિયા અને જસ્ટિસ વી એમ પીરઝાદાની બેન્ચે નિર્દેશ આ આપ્યા હતાં.દાખલ કરવામાં આવેલી કન્ટેમ્પ્ટ અરજીમાં આરોપ મુકવામાં આવ્યો છે કે ગુજરાત સરકારના અધિકારીઓ માર્ચ 2024માં ગુજરાત હાઈકોર્ટે આપેલા આદેશ અને 2005 ના સુપ્રીમ કોર્ટના ચુકાદા સહિત અગાઉના કેટલાક આદેશોનું પાલન કરી રહ્યા નથી.

સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે સોગંદનામું દાખલ કરીને ખાતરી આપી હતી કે નિર્દેશોનું પાલન કરવામાં આવશે. આમ છતાં હાઈકોર્ટને સરકારના જવાબથી સંતોષ થયો નહીં, કોર્ટે કહ્યું કે “પ્રતિવાદીઓ દ્વારા સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસિજર(SOP) જાહેર કરવા અને પરિપત્ર બહાર પાડવાના પગલાની અમે પ્રશંસા કરીએ છીએ. જોકે, ચિંતા સુપ્રીમ કોર્ટના નિર્દેશોના અસરકારક અમલીકરણ અંગે છે.”

DJsના ત્રાસ અંગે અંગે હાઈકોર્ટે કડક મૌખિક અવલોકનો કર્યા. બેન્ચે કહ્યું કે DJs હવે સીમા ઓળંગી રહ્યા છે અને વધુ પડતા આવાજને કારણે ઘરની બારીઓ ધ્રુજી ઉઠે છે. કોર્ટે નોંધ્યું જકે ડીજેના વૂફર્સને કારણે લોકોના મગજને ગંભીર અસર પહોંચી શકે છે અને આ પરિસ્થિતિ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...