Wednesday, January 21, 2026

અમદાવાદમાં AMC ના કચરાના ડમ્પરે વધુ એક એક્ટિવાચાલકને કચડ્યો, યુવકનું મોત

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ સહીત સમગ્ર ગુજરાતમાં અવાર નવાર રફતારને કારણે સર્જાતા મૃ્ત્યુના આંકડામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. એવામાં અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં અમદાવાદ કોર્પોરેશનના ડમ્પરે જ અકસ્માત સર્જ્યો છે. ડમ્પરના ટાયર નીચે આવી જતા તેનું માથું અને શરીરનો અડધો ભાગ છુંદાઈ ગયો હતો. લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા. ડમ્પરચાલક દાણીલીમડા પોલીસ સ્ટેશન ખાતે હાજર થઈ ગયો હતો. આ મામલે કે ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી આરોપી ડમ્પરચાલકની ધરપકડ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના દાણીલીમડા વિસ્તારમાં કલંદરી મસ્જિદ પાસે રહેતો અમન શેખ (ઉં.વ.20) નામનો યુવક શાહઆલમ ખાતે ડાયાબિટીસની દવા લેવા માટે મોપેડ લઈને નીકળ્યો હતો. દાણીલીમડા પોલીસ લાઈન પાસે પહોંચ્યો, ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનનું સફાઈનું એક ડમ્પર ત્યાંથી પસાર થતું હતું અને તેની ટક્કર વાગતા તે નીચે પડકાયો હતો. યુવક ડમ્પરના ટાયર નીચે આવી જતા તેનું માથું અને શરીરનો ભાગ છુંદાઈ જતા ઘટનાસ્થળે જ તેનું મૃત્યુ થઈ ગયું હતું. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા. ડમ્પરચાલક પોતાનું ડમ્પર મૂકી અને સામે પોલીસ સ્ટેશન ખાતે હાજર થઈ ગયો હતો.

મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા અને સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો હતો. આ મામલે યુવકના ફોન પરથી તેના પરિવારજનોને જાણ કરતા તેઓ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. આ સમગ્ર મામલે કે ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા ગુનો નોંધીને આરોપી ડમ્પરચાલકની ધરપકડ કરી લેવામાં આવી છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...