Sunday, January 25, 2026

GJ-01 નંબર પ્લેટને બાય-બાય : અમદાવાદમાં હવે નવી નંબર પ્લેટ આવશે !

spot_img
Share

અમદાવાદ : GJ-01ની નંબર પ્લેટ માત્ર અમદાવાદમાં જ ફરતા વાહનોની નહીં સમગ્ર રાજ્ય, દેશમાં ફરતા વાહનોમાં શહેરની ઓળખ છે. જોકે ટૂંક સમયમાં આ નંબર પ્લેટને બંધ કરવામાં આવશે. શહેરની સુભાષ બ્રિજ રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ ટૂંક સમયમાં વાહનો માટે નવી રજિસ્ટ્રેશન સીરીઝ GJ-1A-AA શરૂ કરશે. વર્તમાન GJ-01 ડબલ-આલ્ફાબેટ સિરીઝ સમાપ્ત થવા જઈ રહી હોવાથી આ પગલું લેવામાં આવશે. આ બદલાવ શહેરની વાહન રજિસ્ટ્રેશન પ્રણાલીમાં એક મહત્ત્વનો ફેરફાર છે અને બાકી રહેલી વર્તમાન સીરીઝ પૂર્ણ થયા બાદ તે અમલમાં આવશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, વાહન વ્યવહાર કચેરીમાં બે આલ્ફાબેટની સિરીઝ પૂરી થયા બાદ નવા કોડ સાથે 0 ને બદલે આલ્ફાબેટ A નો ઉપયોગ કરવા રાજ્યના વાહન વ્યવહાર વિભાગને ફરમાન જારી કરાયું. હાલ અમદાવાદ અને સુરત શહેરમાં બે આલ્ફાબેટ નંબરની સિરીઝ પૂર્ણ થવાના આરે છે ત્યારે આગામી દિવસોમાં આ બંને શહેરને નવી સિરીઝ ત્રણ આલ્ફાબેટ સાથેની નવી સિરીઝ મળશે.જોકે તેનો અમલ થવામાં થોડો સમય લાગશે, કારણ કે હાલના ફોર્મેટ હેઠળ Q અને Z આલ્ફાબેટ સીરીઝ હજુ બાકી છે.વર્તમાન સમયમાં સુભાષ બ્રિજ આરટીઓ દર મહિને આશરે 5,000 ટુ-વ્હીલર અને 2500 ફોર-વ્હીલરનું રજિસ્ટ્રેશન કરે છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે GJ-01 ડબલ આલ્ફાબેટ સીરીઝ પૂર્ણ થવા જઈ રહી છે, તેથી નવી સિરીઝ માટે વિનંતી કરવામાં આવી હતી. જેને ધ્યાનમાં રાખીને GJ-1એ સીરીઝ મળી ગઈ છે, પરંતુ તેનો અમલ થવામાં થોડો સમય લાગશે.હાલની સિસ્ટમ હેઠળ બાકી રહેલી સિરીઝમાં લગભગ 2,00,000 વાહનોનું રજિસ્ટ્રેશન થઈ શકે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...