Wednesday, January 21, 2026

અમદાવાદ ટ્રાફિક પોલીસનો વધુ એક તોડકાંડ, 4 પોલીસકર્મીએ મુંબઈના વેપારીને રોકી પડાવી લીધા લાખો રૂપિયા

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ વધુ એક વખત વિવાદમાં આવી છે. પોલીસ દ્વારા હાઈવે પર રાજસ્થાનથી મુંબઈ તરફ જઈ રહેલા એક વેપારીની કાર રોકી તપાસ કરવામાં આવી હતી, પરંતુ કારમાંથી કંઈ મળી આવ્યું હતું નહીં. જેથી પોલીસે વેપારી અને તેના મિત્રને કેબિનમાં બોલાવી તેનો મોબાઇલ ચેક કર્યો હતો અને તેના મોબાઈલમાં ક્રિકેટ સટ્ટાની લિંક છે તારા પર કેસ કરવામાં આવશે તેમ કહી 20 લાખ રૂપિયાની માંગણી કરી હતી. આખરે વેપારીએ 5.88 લાખ રૂપિયા આપી સમગ્ર મામલો થાળે પડ્યો હતો. આ બનાવના એક મહિના બાદ વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

17 ઓગસ્ટ 2025ના રોજ સાંજે આશરે ૪ વાગ્યાની આસપાસ નિકોલ દાસ્તાન સર્કલ પાસે પહોંચતાં જ અજાણ્યા ચાર પોલીસ કર્મીઓએ તેમની કારને રોકી હતી. આ ટ્રાફિક પોલીસ કર્મીઓએ પોતાની ઓળખ જણાવ્યા વિના ટ્રાફિક ચેકિંગના નામે વાહનની તપાસ શરૂ કરી હતી. શરૂઆતમાં રુટીન ચેકિંગ જેવું લાગતું હતું, પરંતુ ધીમે ધીમે વાતોમાં વળાંક આવ્યો.પોલીસ કર્મીઓએ વજેરામ ગુર્જર અને તેમના કૌટુંબિક ભાઇનો મોબાઇલ ફોન માંગ્યો અને તેમાંથી ક્રિકેટ સટ્ટા સાથે જોડાયેલી કોઈ આઈડી મળી જવાનો આરોપ લગાવ્યો હતો.

આ આરોપ સાંભળીને તેઓ ગભરાઈ ગયા હતા. પોલીસ કર્મીઓએ તરત જ તેમને ધમકી આપવાની શરૂઆત કરી કે “તારા ફોનમાં ક્રિકેટ સટ્ટાની આઈડી છે, તું સટ્ટો રમે છે. આના આધારે તારા પર કેસ નોંધાશે અને તને જેલમાં નાખીશું.” આ ધમકીઓથી ડરી જતાં તેઓને દાસ્તાન સર્કલ પાસે આવેલા એક કેબિનમાં લઈ જવામાં આવ્યા હતા.પોલીસ કર્મીઓએ કહ્યું કે, જો તાત્કાલિક પૈસા ન આપ્યા તો કેસ નોંધીને તેમને અમદાવાદમાં જ અટકાવી દેશે અને મહારાષ્ટ્ર પાછા જવાનું પણ મુશ્કેલ બની જશે.

આ દબાણ હેઠળ જબરજસ્તી પૈસા આપવા પડ્યા હતા. પહેલા તેઓએ 1 લાખ રૂપિયા રોકડા આપ્યા હતા પરંતુ પોલીસ કર્મીઓએ વધુ માંગ કરી હતી. ત્યારબાદ નેટ બેન્કિંગ અને ગૂગલ પે દ્વારા ઓનલાઇન 4 લાખ 88 હજાર રૂપિયા કઢાવી લીધા હતા.આ દરમિયાન તેમણે સાંજે 4 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા ગોંધી રાખવામાં આવ્યા હતા.

આ ઘટના પછી વેપારી વજેરામ ગુર્જરે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં ચારેય પોલીસ કર્મીઓ સામે એક્સટોર્શન, ધમકી અને જબરજસ્તીના આરોપો લગાવાયા છે. પોલીસે આ ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.

આ ઘટના અમદાવાદ પોલીસ માટે લાંછનરૂપ સાબિત થઇ છે. તાજેતરમાં પણ ટ્રાફિક પોલીસ સામે આવી જ પ્રકારની ફરિયાદો આવી હતી. વેપારી સમુદાયમાં આ બાબતે રોષ ફેલાયો છે. આવી ઘટનાઓથી નાગરિકોમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ ડગમગાઇ રહ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...