Friday, March 13, 2026

અમદાવાદ ટ્રાફિક પોલીસનો વધુ એક તોડકાંડ, 4 પોલીસકર્મીએ મુંબઈના વેપારીને રોકી પડાવી લીધા લાખો રૂપિયા

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ વધુ એક વખત વિવાદમાં આવી છે. પોલીસ દ્વારા હાઈવે પર રાજસ્થાનથી મુંબઈ તરફ જઈ રહેલા એક વેપારીની કાર રોકી તપાસ કરવામાં આવી હતી, પરંતુ કારમાંથી કંઈ મળી આવ્યું હતું નહીં. જેથી પોલીસે વેપારી અને તેના મિત્રને કેબિનમાં બોલાવી તેનો મોબાઇલ ચેક કર્યો હતો અને તેના મોબાઈલમાં ક્રિકેટ સટ્ટાની લિંક છે તારા પર કેસ કરવામાં આવશે તેમ કહી 20 લાખ રૂપિયાની માંગણી કરી હતી. આખરે વેપારીએ 5.88 લાખ રૂપિયા આપી સમગ્ર મામલો થાળે પડ્યો હતો. આ બનાવના એક મહિના બાદ વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

17 ઓગસ્ટ 2025ના રોજ સાંજે આશરે ૪ વાગ્યાની આસપાસ નિકોલ દાસ્તાન સર્કલ પાસે પહોંચતાં જ અજાણ્યા ચાર પોલીસ કર્મીઓએ તેમની કારને રોકી હતી. આ ટ્રાફિક પોલીસ કર્મીઓએ પોતાની ઓળખ જણાવ્યા વિના ટ્રાફિક ચેકિંગના નામે વાહનની તપાસ શરૂ કરી હતી. શરૂઆતમાં રુટીન ચેકિંગ જેવું લાગતું હતું, પરંતુ ધીમે ધીમે વાતોમાં વળાંક આવ્યો.પોલીસ કર્મીઓએ વજેરામ ગુર્જર અને તેમના કૌટુંબિક ભાઇનો મોબાઇલ ફોન માંગ્યો અને તેમાંથી ક્રિકેટ સટ્ટા સાથે જોડાયેલી કોઈ આઈડી મળી જવાનો આરોપ લગાવ્યો હતો.

આ આરોપ સાંભળીને તેઓ ગભરાઈ ગયા હતા. પોલીસ કર્મીઓએ તરત જ તેમને ધમકી આપવાની શરૂઆત કરી કે “તારા ફોનમાં ક્રિકેટ સટ્ટાની આઈડી છે, તું સટ્ટો રમે છે. આના આધારે તારા પર કેસ નોંધાશે અને તને જેલમાં નાખીશું.” આ ધમકીઓથી ડરી જતાં તેઓને દાસ્તાન સર્કલ પાસે આવેલા એક કેબિનમાં લઈ જવામાં આવ્યા હતા.પોલીસ કર્મીઓએ કહ્યું કે, જો તાત્કાલિક પૈસા ન આપ્યા તો કેસ નોંધીને તેમને અમદાવાદમાં જ અટકાવી દેશે અને મહારાષ્ટ્ર પાછા જવાનું પણ મુશ્કેલ બની જશે.

આ દબાણ હેઠળ જબરજસ્તી પૈસા આપવા પડ્યા હતા. પહેલા તેઓએ 1 લાખ રૂપિયા રોકડા આપ્યા હતા પરંતુ પોલીસ કર્મીઓએ વધુ માંગ કરી હતી. ત્યારબાદ નેટ બેન્કિંગ અને ગૂગલ પે દ્વારા ઓનલાઇન 4 લાખ 88 હજાર રૂપિયા કઢાવી લીધા હતા.આ દરમિયાન તેમણે સાંજે 4 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા ગોંધી રાખવામાં આવ્યા હતા.

આ ઘટના પછી વેપારી વજેરામ ગુર્જરે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં ચારેય પોલીસ કર્મીઓ સામે એક્સટોર્શન, ધમકી અને જબરજસ્તીના આરોપો લગાવાયા છે. પોલીસે આ ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.

આ ઘટના અમદાવાદ પોલીસ માટે લાંછનરૂપ સાબિત થઇ છે. તાજેતરમાં પણ ટ્રાફિક પોલીસ સામે આવી જ પ્રકારની ફરિયાદો આવી હતી. વેપારી સમુદાયમાં આ બાબતે રોષ ફેલાયો છે. આવી ઘટનાઓથી નાગરિકોમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ ડગમગાઇ રહ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...