Thursday, March 12, 2026

અમદાવાદમાં બાપુનગર પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ 3 હજારની લાંચ લેતા ઝડપાયો

spot_img
Share

અમદાવાદ : સરકારી કચેરીમાં કોઈપણ કામ માટે લાંચ આપવી હવે સામાન્ય થઈ ગઈ હોય તેમ અમદાવાદના બાપુનગર પોલીસ સ્ટેશનમાં લૂંટના ગુનામાં વપરાયેલી ઓટો રિક્ષા શંકાના આધારે કબજે કરવામાં આવી હતી. આ ઓટો રિક્ષા છોડવા માટે ડી સ્ટાફના કોન્સ્ટેબલ રિક્ષા માલિક પાસેથી 3 હજારની લાંચ લેતા ઝડપાયો છે. ACB એ આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, બાપુનગર પોલીસ સ્ટેશનમાં સર્વેન્સ સ્કોડમાં ફરજ બજાવતા સહદેવસિંહે લૂંટના ગુનામાં રીક્ષાનો ઉપયોગ થયાની શંકાના આધારે રિક્ષા કબ્જે કરી હતી, ત્યારબાદ રીક્ષા પરત આપવા માટે ફરિયાદી પાસેથી રૂ.૩ હજારની લાંચ માંગી હતી. ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોઈ તેમણે ACB નો સંપર્ક કર્યો હતો. ACB એ ટ્રેપનું આયોજન કરીને લાંચની રકમ સ્વીકારવા આવેલા સહદેવસિંહને બાપુનગર ચાર રસ્તા પાસેથી દબોચી લઇ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ACB દ્વારા રિક્ષા ચાલકને સાથે રાખીને ટ્રેપ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન બાપુનગર ચાર રસ્તા પાસે સંસ્કાર આઈસ્ક્રીમની દુકાનમાં સહદેવસિંહ રીક્ષા માલિક પાસેથી 3,000ની લાંચ લેતા ઝડપાઈ ગયો હતો. પોલીસે આરોપી કોન્સ્ટેબલની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...