Wednesday, March 11, 2026

નવરાત્રિમાં પાર્ટી પ્લોટમાં ફૂડ સ્ટોલ માટે લાઇસન્સ ફરજિયાત : 12 આવશ્યક નિયમો પાલન કરવું પડશે

spot_img
Share

અમદાવાદ : નવરાત્રિમાં પાર્ટી પ્લોટમાં ફૂડ સ્ટોલધારકોએ ફરજિયાત લાઇસન્સ લેવું પડશે, આ સાથે જ એમાં કેટલાક કડક નિયમો પણ બનાવાયા છે. એમાં ફૂડ સ્ટોલમાં કર્મીઓ માટે કેપ, હેન્ડગ્લવ્સ, એપ્રેન ફરજિયાત કરાયું છે તથા ચેપી રોગથી પીડાતા ફૂડ હેન્ડલરને સ્ટોલમાં પ્રવેશ અપાશે નહીં.

નવરાત્રિ મહોત્સવ દરમિયાન ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ મુજબનું લાઇસન્સ/રજિસ્ટ્રેશન સત્વર ઝોન/વોર્ડના ફૂડ સેફ્ટી ઓફિસર પાસેથી જરૂરી દસ્તાવેજી પુરાવા પર ઓનલાઈન અપલોડ કરી જરૂરી ફી ભરી ઓનલાઇન અરજી કરી લાઇસન્સ/રજિસ્ટ્રેશન ફરજિયાત મેળવી લેવાનાં રહેશે.

લાયસન્સ | રજીસ્ટ્રેશન બાબતે અને તેઓ દ્રારા અનુસરવાની થતી શરતો / નિયમો નીચે મુજબ છે.

૧) નવરાત્રી મહોત્સવ દરમ્યાન ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ અન્વયેના લાયસન્સ / રજીસ્ટ્રેશન સત્વરે ઝોન / વોર્ડના ફુડ સેફટી ઓફિસર પાસેથી જરૂરી દસ્તાવેજી પુરાવા foscos.fssai.gov.in ઉપર ઓનલાઈન અપલોડ કરી જરૂરી ફી ભરી ઓનલાઈન અરજી કરી લાયસન્સ / રજીસ્ટ્રેશન ફરજીયાત મેળવી લેવાના રહેશે.

૨) નવરાત્રી મહોત્સવ દરમ્યાન ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ અન્વયેના લાયસન્સ / રજીસ્ટ્રેશન મેળવ્યા વગર ખાધ્ય ચીજવસ્તુ ઓનો ધંધો કરવો તે કાયદાકીય ગુના પાત્ર છે.

૩) ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ (રજીસ્ટ્રેશન એન્ડ લાયસન્સીંગ ઓફ ફુડ બીઝનેસીસ) રેગ્યુલેશન-૨૦૧૧ના શિડયુલ ૪ ના નિયમોનું કડક રીતે પાલન કરવાનું રહેશે.

૪) નવરાત્રી મહોત્સવ દરમ્યાન ફુડ સ્ટોલ ધારકોએ કેપ, હેન્ડગ્લોવ્સ, એપ્રેન પહેર્યા વગર ખાધ્ય પદાર્થ બનાવવો નહી કે વેચવો નહી.

૫) નવરાત્રી મહોત્સવ દરમ્યાન ફુડ સ્ટોલ ધારકોએ પોતાની અંગત સ્વચ્છતા જેવી કે નખ કાપેલા હોવા જોઇએ, વાળ કાપેલા હોવા જોઇએ વિગેરેનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

૬) નવરાત્રી મહોત્સવ દરમ્યાન સંચાલકોએ ફુડ સ્ટોલ્સમાં ચેપીરોગ થી પીડાતા કોઇ પણ ફુડ હેન્ડલરને પ્રવેશ આપવો નહી.

૭) નવરાત્રી મહોત્સવ દરમ્યાન પેકીંગ રો-મટીરીયલના લેબલની ખાતરી કરી તેનો ઉપયોગ કરી ખાધ્ય ખોરાક તૈયાર કરવો.

૮) નવરાત્રી મહોત્સવ દરમ્યાન આગ લાગે તેવા સંજોગોમાં અગમ ચેતીના ભાગરૂપે અગ્નિશામક ઉપકરણો અવશ્ય રાખવાના રહેશે.

૯) નવરાત્રી મહોત્સવ દરમ્યાન ઉપયોગમાં લેવામાં આવનાર ખાધ્ય ખોરાકને આરોગ્યપ્રદ સ્થિતિમાં જ રાખવાના રહેશે. તેમજ યોગ્ય આવરણથી ખાધ્ય ખોરાકને ઢાંકીને રાખવો.

૧૦) નવરાત્રી મહોત્સવ દરમ્યાન વાસી કે બગડી ગયેલ ખાધ્ય ખોરાક વેચવો નહી અને તેનો સત્વરે નાશ કરવો.

૧૧) નવરાત્રી મહોત્સવ દરમ્યાન ફુડ સ્ટોલ્સ ધારકોએ તારીખ વીતી ગયેલ ખાધ્ય પદાર્થ, ઠંડાપીણા, આઈસ્ક્રીમ અને પેકેજ્ડ ડ્રિન્કીંગ વોટરનો ઉપયોગ કરવો નહી.

૧૨) નવરાત્રી મહોત્સવ દરમ્યાન ફુડ સ્ટોલની આસપાસની જગ્યામાં સફાઈનાં ઉચ્ચત્તમ ધોરણોનું પાલન કરવાનું રહેશે. તેમજ સુકા તથા ભીના કચરાના અલગ-અલગ ડસ્ટબીનની વ્યવસ્થા પણ તેઓએ કરવાની રહેશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...