Wednesday, March 4, 2026

અમદાવાદમાં સાયકો કિલરનું એન્કાઉન્ટર : મૃતક વૈભવના પરિવારને આભાર માન્યો, સાઇકો કિલર વિપુલની માતા કહી આ વાત

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં લૂંટ વિથ હત્યા કેસના આરોપી સાયકો કિલર વિપુલ પરમારનું એન્કાઉન્ટર કરવામાં કર્યું હતું. લૂંટ અને હત્યાને અંજામ આપનારા સાઈકો કિલર વિપુલ પરમારનું એન્કાઉન્ટર કર્યા બાદ જ્યારે તેની માતા સાથે વાત કરવામાં આવી ત્યારે તેમણે કહ્યું આ તો એના કર્મમાં લખાયું હશે. આ ઘટના અત્યારે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બની છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, મૃતક વૈભવના પરિવારજનો સાથે જ્યારે વાત કરવામાં આવી ત્યારે મોટા મમ્મીએ જણાવ્યું હતું કે, મારા દીકરાને ન્યાય મળ્યો, પોલીસનો આભાર. મળતી જાણકારી પ્રમાણે વિપુલ પરમાનનું પોલીસે એન્કાઉન્ટર કર્યું ત્યારે વૈભવના માતા-પિતા ઘટનાસ્થળે આવી પહોચ્યા અને પોલીસનો ખાસ આભાર માન્યો હતો. વૈભવના પરિવાનારના એક સભ્ય સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે, અમને ન્યાય મળ્યો, ભગવાને ન્યાય કર્યો છે. તે બિચારો અહીંથી બર્થડે પાર્ટી ઉજવવા જઈ રહ્યો હતો, તેના પર હુમલો થયો. એવો ગંભીર હુમલો થયો કે અમારા સૌના દિલ તૂટી ગયા હતા અને અમે ભાંગી પડ્યા હતા. અત્યારે તેનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું એ જ સાચો ન્યાય છે. પ્રશાસન અમારી સાથે હતું અને અમને પ્રશાસનનો પૂરો સાથ રહ્યો છે. અમને ખૂબ સારો ન્યાય મળ્યો છે’.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સાઈકો કિલર વિપુલ પરમારની માતાએ જણાવ્યું કે, એના(વિપુલ) કર્મમાં એ લખ્યું હશે’. વધારે વાત કરવાનું ટાળી દીધું હતું. આ પહેલા જ્યારે મીડિયા સાથે વાત કરી ત્યારે કહ્યું હતું કે, તમારે વિપુલ સાથે જે કરવું હોય તે કરો, વિપુલને એવી સજા આપો કે જેલમાંથી ક્યારેય બહાર ના આવી શકે’. મહત્વની વાત છે કે, સાઇકો કિલર વિપુલના આવા કામોને કારણે પરિવાર ખૂબ જ નારાજ હતો. એટલું જ નહીં પરંતુ છેક 2017માં પરિવારે કંટાળીને છાપામાં જાહેરાત પણ આપી હતી કે, અમારે વિપુલ સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી. આ સાથે વિપુલને મિલકતમાંથી પણ બેદખલ કરી દેવામાં આવ્યો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, વિપુલના માતાએ 14/07/2017માં છાપામાં જાહેર ચેતવણી આપી હતી. જેમાં લખવામાં આવ્યું હતું કે, અમારો પુત્ર વિપુલ વિષ્ણુભાઈ પરમાર અમારા કહ્યામાં નથી અને તે ઘણાં સમયથી અમારી સાથે રહેતો નથી. વળી ગુનાહીત પ્રવૃત્તિઓ કરતો હોવાથી તેની સાથે કોઈપણ જાતનો નાણાંકીય કે અન્ય વ્યવહાર કરવા કરાવવા નહીં અને આણ છતાં આવા કોઈ પણ વ્યવહારો કોઈથી કરવામાં આવશે તો અમારી કે અમારા પરિવારની કોઈ પણ જાતની જવાબદારી રહેશે નહીં. અમે તેને અમારી તમામ પ્રકારની મિલકતમાંથી બેદખળ કરેલ છે અને વિપલુ અમારી કોઈપણ મિલકતમાં હક્ક રહેશે નહીં’.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...