Tuesday, October 14, 2025

અમદાવાદમાં સાયકો કિલરનું એન્કાઉન્ટર : મૃતક વૈભવના પરિવારને આભાર માન્યો, સાઇકો કિલર વિપુલની માતા કહી આ વાત

Share

અમદાવાદ : અમદાવાદમાં લૂંટ વિથ હત્યા કેસના આરોપી સાયકો કિલર વિપુલ પરમારનું એન્કાઉન્ટર કરવામાં કર્યું હતું. લૂંટ અને હત્યાને અંજામ આપનારા સાઈકો કિલર વિપુલ પરમારનું એન્કાઉન્ટર કર્યા બાદ જ્યારે તેની માતા સાથે વાત કરવામાં આવી ત્યારે તેમણે કહ્યું આ તો એના કર્મમાં લખાયું હશે. આ ઘટના અત્યારે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બની છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, મૃતક વૈભવના પરિવારજનો સાથે જ્યારે વાત કરવામાં આવી ત્યારે મોટા મમ્મીએ જણાવ્યું હતું કે, મારા દીકરાને ન્યાય મળ્યો, પોલીસનો આભાર. મળતી જાણકારી પ્રમાણે વિપુલ પરમાનનું પોલીસે એન્કાઉન્ટર કર્યું ત્યારે વૈભવના માતા-પિતા ઘટનાસ્થળે આવી પહોચ્યા અને પોલીસનો ખાસ આભાર માન્યો હતો. વૈભવના પરિવાનારના એક સભ્ય સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે, અમને ન્યાય મળ્યો, ભગવાને ન્યાય કર્યો છે. તે બિચારો અહીંથી બર્થડે પાર્ટી ઉજવવા જઈ રહ્યો હતો, તેના પર હુમલો થયો. એવો ગંભીર હુમલો થયો કે અમારા સૌના દિલ તૂટી ગયા હતા અને અમે ભાંગી પડ્યા હતા. અત્યારે તેનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું એ જ સાચો ન્યાય છે. પ્રશાસન અમારી સાથે હતું અને અમને પ્રશાસનનો પૂરો સાથ રહ્યો છે. અમને ખૂબ સારો ન્યાય મળ્યો છે’.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સાઈકો કિલર વિપુલ પરમારની માતાએ જણાવ્યું કે, એના(વિપુલ) કર્મમાં એ લખ્યું હશે’. વધારે વાત કરવાનું ટાળી દીધું હતું. આ પહેલા જ્યારે મીડિયા સાથે વાત કરી ત્યારે કહ્યું હતું કે, તમારે વિપુલ સાથે જે કરવું હોય તે કરો, વિપુલને એવી સજા આપો કે જેલમાંથી ક્યારેય બહાર ના આવી શકે’. મહત્વની વાત છે કે, સાઇકો કિલર વિપુલના આવા કામોને કારણે પરિવાર ખૂબ જ નારાજ હતો. એટલું જ નહીં પરંતુ છેક 2017માં પરિવારે કંટાળીને છાપામાં જાહેરાત પણ આપી હતી કે, અમારે વિપુલ સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી. આ સાથે વિપુલને મિલકતમાંથી પણ બેદખલ કરી દેવામાં આવ્યો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, વિપુલના માતાએ 14/07/2017માં છાપામાં જાહેર ચેતવણી આપી હતી. જેમાં લખવામાં આવ્યું હતું કે, અમારો પુત્ર વિપુલ વિષ્ણુભાઈ પરમાર અમારા કહ્યામાં નથી અને તે ઘણાં સમયથી અમારી સાથે રહેતો નથી. વળી ગુનાહીત પ્રવૃત્તિઓ કરતો હોવાથી તેની સાથે કોઈપણ જાતનો નાણાંકીય કે અન્ય વ્યવહાર કરવા કરાવવા નહીં અને આણ છતાં આવા કોઈ પણ વ્યવહારો કોઈથી કરવામાં આવશે તો અમારી કે અમારા પરિવારની કોઈ પણ જાતની જવાબદારી રહેશે નહીં. અમે તેને અમારી તમામ પ્રકારની મિલકતમાંથી બેદખળ કરેલ છે અને વિપલુ અમારી કોઈપણ મિલકતમાં હક્ક રહેશે નહીં’.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

દિવાળીના તહેવારોમાં એસ.ટી.ના મુસાફરોને રાહત, CM એ નવી 201 બસોને બતાવી લીલી ઝંડી

ગાંધીનગર : ગુજરાતમાં દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે એસ.ટી.બસનો ઉપયોગ કરતા પ્રવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...

ગુજરાત પોલીસને ‘હાઈટેક’ સફળતા : આ સિસ્ટમથી 9 મહિનામાં 80 ગંભીર ગુનાના ભેદ ઉકેલ્યા

ગાંધીનગર : રાજ્યમાં વધતા ગુનાઓના ઉકેલ માટે પોલીસ પ્રશાસન આધુનિક ટેક્નોલોજી નો મહત્તમ ઉપયોગ કરી રહી છે, જેમાં આ વર્ષે નવ મહિનામાં 80 જેટલા...

વિદ્યાર્થીઓ આનંદો ! દિવાળી વેકેશન 21 દિવસનું રહેશે, કઈ તારીખથી થશે શરૂ અને ક્યારે થશે પૂરું?

ગાંધીનગર : રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે 21 દિવસના દિવાળી વેકેશનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ...

અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

ગાંધીનગર : ગાંધીનગરના સેક્ટર-24ના મંડળ સ્ટાફ ક્વાર્ટરમાંથી અમદાવાદના શાહીબાગ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી રિંકલ વણઝારા નામની મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળ્યો છે. પોલીસે...

દિવાળીના તહેવારોને લઇ ખુશખબર, એસ.ટી નિગમ 2600 એકસ્ટ્રા બસો દોડાવશે, 5 લાખથી વધુ મુસાફરોને લાભ મળશે

ગાંધીનગર : આગામી દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)એ મુસાફરોની વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં 2600થી વધુ એક્સ્ટ્રા બસોનું...

ફેમસ યુનાઈટેડ વે માં ગરબામાં જાહેરમાં કિસ કરનાર NRI કપલે લેખિતમાં માફી માગી

વડોદરા : તાજેતરમાં વડોદરોના ફેમસ યુનાઈટેડ વે માં નવરાત્રીની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાથી આવેલા કપલે કિસ કરી હતી. જેનો વીડિયો વાયરલ થયો હતો. એક અહેવાલ મુજબ,...

બેજવાબદાર ‘સરકારી બાબુઓ’ વિરુદ્ધ લાલ આંખ : ફોન ઉપાડવા માટે સરકારે પરિપત્ર કરવો પડ્યો

ગાંધીનગર : એકબાજુ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તો કથળી જ ચુકી છે. ત્યારે બીજી બાજુ રાજ્ય સરકારે પોતાની ફરજ પ્રત્યે બેજવાબદાર રહેતા સરકારી...

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...