Tuesday, October 14, 2025

ગાંધીનગરના બહિયલમાં બે જુથ વચ્ચે બબાલ, હિંસક ટોળાએ 10 ગાડીઓના કાચ તોડ્યા

Share

ગાંધીનગર : નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યો છે. ગુજરાતમાં ઠેર ઠેર ગરબાના આયોજન થયા છે માતાન પંડાલ સજાવવામાં આવ્યા છે. લોકો ગરબાના તાલે ઝૂમીને ઉજવણી કરી રહ્યા છે. ત્યારે ગાંધીનગરના દેહગામના બહિયલ ગામમાં નવરાત્રિની ઉજવણી મોટું વિધ્ન આવ્યું હતું. બે જુથો વચ્ચે નાની વાતમાં મોટી બબાલ થતા માહોલ તંગ બન્યો હતો. મોડી રાતે અરાજકતા ફેલાતા સ્થાનિકોમાં ભયનો માહોલ ઊભો થયો હતો.બહિયલમાં સ્થિતિ તંગ બનતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી સ્થિતિ પર કાબૂ મેળવી ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો હતો.

સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર આ વિવાદ સોશિયલ મીડિયા પોસ્ટને લઈને શરૂ થયો હતો અને ઝડપથી હિંસક અથડામણમાં પરિણમ્યો. ગામમાં ગરબા ઉત્સવ દરમિયાન પથ્થરમારાથી પંડાલમાં નાસભાગ મચી ગઈ હતી. ટોળાએ આઠથી વધુ વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું અને એક દુકાનમાં તોડફોડ કરી હતી અને આગ લગાવી હતી. પરિસ્થિતિને કાબુમાં લેવા પહોંચેલી પોલીસ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં બે પોલીસ વાહનોને નુકસાન થયું હતું.

ઘટનાની માહિતી મળતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી, ટોળાને વિખેરી નાખ્યું અને પરિસ્થિતિને નિયંત્રણમાં લાવી. તણાવને ધ્યાનમાં રાખીને બહિયલ ગામમાં ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે. પોલીસ હિંસાના સીસીટીવી ફૂટેજ અને વાયરલ વીડિયોનો ઉપયોગ કરીને તોફાનીઓને ઓળખી રહી છે અને તેમની સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. હાલમાં વિસ્તારમાં શાંતિ જાળવવા માટે પોલીસ કાફલો તૈનાત છે, અને પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે.

આ હિંસક ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ પોલીસે જનતાને શાંતિ જાળવવા અને અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ કરી છે. પોલીસનું કહેવું છે કે આ કેસની તપાસ ચાલી રહી છે અને ગુનેગારોની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે. વહીવટીતંત્રે ગામમાં શાંતિ અને સુમેળ જાળવવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યાં છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

દિવાળીના તહેવારોમાં એસ.ટી.ના મુસાફરોને રાહત, CM એ નવી 201 બસોને બતાવી લીલી ઝંડી

ગાંધીનગર : ગુજરાતમાં દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે એસ.ટી.બસનો ઉપયોગ કરતા પ્રવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...

ગુજરાત પોલીસને ‘હાઈટેક’ સફળતા : આ સિસ્ટમથી 9 મહિનામાં 80 ગંભીર ગુનાના ભેદ ઉકેલ્યા

ગાંધીનગર : રાજ્યમાં વધતા ગુનાઓના ઉકેલ માટે પોલીસ પ્રશાસન આધુનિક ટેક્નોલોજી નો મહત્તમ ઉપયોગ કરી રહી છે, જેમાં આ વર્ષે નવ મહિનામાં 80 જેટલા...

વિદ્યાર્થીઓ આનંદો ! દિવાળી વેકેશન 21 દિવસનું રહેશે, કઈ તારીખથી થશે શરૂ અને ક્યારે થશે પૂરું?

ગાંધીનગર : રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે 21 દિવસના દિવાળી વેકેશનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ...

અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

ગાંધીનગર : ગાંધીનગરના સેક્ટર-24ના મંડળ સ્ટાફ ક્વાર્ટરમાંથી અમદાવાદના શાહીબાગ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી રિંકલ વણઝારા નામની મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળ્યો છે. પોલીસે...

દિવાળીના તહેવારોને લઇ ખુશખબર, એસ.ટી નિગમ 2600 એકસ્ટ્રા બસો દોડાવશે, 5 લાખથી વધુ મુસાફરોને લાભ મળશે

ગાંધીનગર : આગામી દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)એ મુસાફરોની વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં 2600થી વધુ એક્સ્ટ્રા બસોનું...

ફેમસ યુનાઈટેડ વે માં ગરબામાં જાહેરમાં કિસ કરનાર NRI કપલે લેખિતમાં માફી માગી

વડોદરા : તાજેતરમાં વડોદરોના ફેમસ યુનાઈટેડ વે માં નવરાત્રીની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાથી આવેલા કપલે કિસ કરી હતી. જેનો વીડિયો વાયરલ થયો હતો. એક અહેવાલ મુજબ,...

બેજવાબદાર ‘સરકારી બાબુઓ’ વિરુદ્ધ લાલ આંખ : ફોન ઉપાડવા માટે સરકારે પરિપત્ર કરવો પડ્યો

ગાંધીનગર : એકબાજુ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તો કથળી જ ચુકી છે. ત્યારે બીજી બાજુ રાજ્ય સરકારે પોતાની ફરજ પ્રત્યે બેજવાબદાર રહેતા સરકારી...

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...