અમદાવાદ : અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં એક ખુબ જ ચકચારી પરંતુ હિનકૃત્યની ઘટના પ્રકાશમાં આવી છે. ગેંગરેપની ઘટનામાં ચાર નરાધમોએ સાથે મળીને એક 15 વર્ષીય સગીરાને પીખી નાખ્યાની ઘટના પ્રકાશમાં આવી છે. ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર સગીરા જે સોસાયટીમાં રહેતી હતી તે સોસાયટીમાં રહેતા અન્ય યુવકો અને તેના મિત્રોએ સાથે મળીને 4 મહિના અગાઉ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, 15 વર્ષીય સગીરા પર 4 મહિના પહેલા બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો, પરંતુ એ સમયે ડરના કારને સગીરાએ કઇ જાહેર કર્યું ન હતું. સગીરાએ પરિવારને બધી વાત કરતા ઘટના જાણમાં આવી હતી. પરિવારે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તુરંત કાર્યવાહી કરતા પોલીસે ચાર યુવકોની ધરપકડ કરી છે. SC, ST સેલ આ કેસની આગળની તપાસ કરી રહી છે.
કેસની જાણકારી મુજબ સગીરા યુવકને ઓળખાતી હતી. ચાર મહિના અગાઉ યુવકે સગીરાને તેના ઘરે બોલાવી હતી, ત્યાર બાદ ત્રણ મિત્રો મળીને સગીરા પર દુષ્કર્મ આચાર્યું હતું. યુવકોએ સગીરાને એવી ધમકી આપી હતી કે તે કોઈને જાણ કરશે તો પરિણામ સારું નહીં આવે.
સગીરાએ યુવકોના ડરથી કોઈને જાણ ન કરી, પરંતુ આઘાતને કારણે તેની વર્તણુક બદલાઈ ગઈ. સગીરાએ બોલવાનું ખુબ જ ઓછું કરી નાખ્યું, તે ગુમસમ રહેવા લાગી, સગીરા શાળામાં પણ રજાઓ પડવા લાગી.
ચિંતાને કારણે પરિવારે સગીરા સાથે વાત કરી ત્યારે સમગ્ર હકીકત સામે આવી. પરિવારે બનાવ અંગે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. પોલીસે ઘટનામાં સામેલ યુવકો વિરુદ્ધ દુષ્કર્મ અને એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે અને ચાર આરોપીઓની ધરપકડ કરી છે.