Thursday, March 5, 2026

અમદાવાદમાં 15 વર્ષીય સગીરા સાથે ગેંગરેપની ચોંકાવનારી ઘટના, આરોપી સાઇકો કિલરનો મિત્ર નિકળ્યો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં એક ખુબ જ ચકચારી પરંતુ હિનકૃત્યની ઘટના પ્રકાશમાં આવી છે. ગેંગરેપની ઘટનામાં ચાર નરાધમોએ સાથે મળીને એક 15 વર્ષીય સગીરાને પીખી નાખ્યાની ઘટના પ્રકાશમાં આવી છે. ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર સગીરા જે સોસાયટીમાં રહેતી હતી તે સોસાયટીમાં રહેતા અન્ય યુવકો અને તેના મિત્રોએ સાથે મળીને 4 મહિના અગાઉ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, 15 વર્ષીય સગીરા પર 4 મહિના પહેલા બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો, પરંતુ એ સમયે ડરના કારને સગીરાએ કઇ જાહેર કર્યું ન હતું. સગીરાએ પરિવારને બધી વાત કરતા ઘટના જાણમાં આવી હતી. પરિવારે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તુરંત કાર્યવાહી કરતા પોલીસે ચાર યુવકોની ધરપકડ કરી છે. SC, ST સેલ આ કેસની આગળની તપાસ કરી રહી છે.

કેસની જાણકારી મુજબ સગીરા યુવકને ઓળખાતી હતી. ચાર મહિના અગાઉ યુવકે સગીરાને તેના ઘરે બોલાવી હતી, ત્યાર બાદ ત્રણ મિત્રો મળીને સગીરા પર દુષ્કર્મ આચાર્યું હતું. યુવકોએ સગીરાને એવી ધમકી આપી હતી કે તે કોઈને જાણ કરશે તો પરિણામ સારું નહીં આવે.

સગીરાએ યુવકોના ડરથી કોઈને જાણ ન કરી, પરંતુ આઘાતને કારણે તેની વર્તણુક બદલાઈ ગઈ. સગીરાએ બોલવાનું ખુબ જ ઓછું કરી નાખ્યું, તે ગુમસમ રહેવા લાગી, સગીરા શાળામાં પણ રજાઓ પડવા લાગી.

ચિંતાને કારણે પરિવારે સગીરા સાથે વાત કરી ત્યારે સમગ્ર હકીકત સામે આવી. પરિવારે બનાવ અંગે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. પોલીસે ઘટનામાં સામેલ યુવકો વિરુદ્ધ દુષ્કર્મ અને એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે અને ચાર આરોપીઓની ધરપકડ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...