અમદાવાદ : અત્યારે નવરાત્રી ચાલી રહી છે. ત્યારે ખેલૈયાઓ મન મુકીને ગરબા રમી રહ્યાં છે. પરંતુ ખેલૈયાઓના રંગમાં ભંગ પડશે. વરસાદ ખેલૈયાઓની મઝા બગાડશે. હવામાન વિભાગે આગામી 27થી 30 સપ્ટેબર સુધી ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગાજવીજ સાથે 30થી 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે. બંગાળની ખાડીમાં વોલમાર્ક લો પ્રેશર સક્રિય થવાના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, હવામાન વિભાગના ડાયરેકટરે કહ્યું કે, નવરાત્રિમાં ખેલૈયાઓના રંગમાં ભંગ પડશે. આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આગામી 27 થી 30 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની સંભાવના છે. જેમાં બનાસકાંઠા, પાટણ અને મહેસાણા સિવાય રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે. આ દિવસોમાં ગાજવીજ સાથે 30 થી 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે.
27 સપ્ટેમ્બર: નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ વરસશે.
28 સપ્ટેમ્બર: સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ. અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી.
29 સપ્ટેમ્બર: કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ વરસશે.
30 સપ્ટેમ્બર: કચ્છ, મોરબી, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જુનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
બંગાળની ખાડીમાં વોલમાર્ક લો પ્રેશર સક્રિય થતા રાજ્યમાં વરસાદની વકી છે. આ કારણે અમદાવાદમાં આજે વાદળછાયા વાતાવરણ સાથે હળવા વરસાદની શકયતા છે. બનાસકાંઠા, પાટણ અને મહેસાણા સિવાય રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે.