Wednesday, January 21, 2026

કાલુપુર રેલવે સ્ટેશન પર મહિલા નીચે ઊતરતાં ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ, RPF-GRP જવાને સમયસૂચકતાથી ખેંચી લેતાં જીવ બચ્યો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન ખાતે પોલીસ કર્મચારીની સતર્કતાને કારણે એક મહિલા પ્રવાસીનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો, જ્યારે એક ચોરને પકડવામાં સફળતા મળી હતી. પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળ પર રેલવે સુરક્ષા દળ (RPF) અને સરકારી રેલવે પોલીસ (GRP)ના કર્મચારીઓએ તેમની સતર્કતા અને ત્વરિત કાર્યવાહીથી અમદાવાદ સ્ટેશન પર એક મહિલા મુસાફરનો જીવ બચાવી લેવામાં આવ્યા હતા, જેથી હાજર લોકોએ પોલીસની કામગીરીના વખાણ કર્યા હતા.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન ઉપર 25 સપ્ટેમ્બરના રોજ પ્લેટફોર્મ નંબર 1 ઉપર RPFના જવાન બ્રિજેશ કુમાર પોતાની ફરજ ઉપર હાજર હતા. દરમિયાનમાં ટ્રેન નંબર 16336 નાગરકોલાઈ ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેન આવી હતી. ચાલુ ટ્રેન દરમિયાન એક મહિલા ટ્રેનમાંથી ઊતરવા જતી હતી. એ દરમિયાન તેનો પગ લપસી ગયો હતો તથા ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે હતી, ત્યારે ફરજ પર હાજર RPF જવાન, GRPના દર્શિતભાઈ તરત દોડી ગયા હતા અને મહિલાને તરત જ ખેંચી લીધી હતી.જો આ કાર્યવાહી સમયસર ન કરવામાં આવી હોત તો મહિલાને ગંભીર ઇજા થઈ શકતી હતી અને તેની જીવ પણ જોખમમાં પડ્યો હોત.

આ દરમિયાન પ્લેટફોર્મ નંબર 03 પર નિયમિત પેટ્રોલિંગ દરમિયાન ઉપ નિરીક્ષક સોનુકુમાર સૈની, કૉન્સ્ટેબલ બૃજેશકુમાર અને કૉન્સ્ટેબલ મુકેશએ એક શંકાસ્પદ વ્યક્તિને છુપાઈ જવાનો પ્રયાસ કરતાં જોયો હતો, જેથી તેની પૂછપરછ કરવામાં આવી, પરંતુ તે કોઈ સંતોષજનક જવાબ આપી શક્યો નહીં. તપાસ દરમિયાન તેના પાસે વિવો કંપનીનો એક મોબાઇલ ફોન મળ્યો, જેની અંદાજિત કિંમત રૂ. 10,000/- જેટલી હતી. પ્રાથમિક તપાસમાં આશંકા વ્યક્ત કરવામાં આવી કે આ મોબાઇલ ફોન કોઈ મુસાફર પાસેથી ચોરાયેલો છે. શંકાસ્પદ વ્યક્તિ ગુનો કરવાની નિયતથી સ્ટેશન પરિસરમાં છુપાયો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...