Tuesday, January 13, 2026

અમદાવાદમાં કૌટુંબિક ઝગડામાં બનેવીએ સાળા પર ગોળીબાર કર્યો, વિસ્તારમાં તંગદિલીનો માહોલ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના કૌટુંબિક કંકાસમાં થયેલી માથાકૂટમાં ગોળીબાર થતાં સનસનાટી મચી ગઈ છે. તેમા પણ એક કે બે નહીં પણ ત્રણ રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ આખી સનસનાટીભરી ઘટના અમદાવાદના થલતેજ વિસ્તારમાં બની છે, આ ઘટનામાં કંકાસએ ગંભીર સ્વરૂપ ધારણ કરતાં બનેવીએ બહેનને લેવા આવેલા સગા સાળા પર ફાયરિંગ કર્યું હતું.ગંભીર રીતે ઘાયલ થયેલા સુધીરને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે પોલીસે તપાસ અને કાર્યવાહી હાથ ધરી દીધી છે, જ્યારે ફાયરિંગના બનાવને કારણે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, પતિ મૌલિક પત્નીને નિયમિત રીતે માર મારતો હતો, જેના કારણે કંટાળીને પત્નીએ આ અંગેની જાણ પોતાના ભાઈ સુધીરને કરી હતી. પરિણામે, ભાઈ તેની બહેનને સાસરીમાંથી પોતાના ઘરે પાછી લઈ જવા માટે થલતેજ પહોંચ્યો હતો, તેના પછી સાળા અને બનેવી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને બનેવીએ આવેશમાં આવીને સાળા પર ગોળીઓ ચલાવતા ફાયરિંગ કર્યુ હતું.ફાયરિંગ દરમિયાન એક ગોળી સુધીરની ગાડીના કાચ પર અથડાતા કાચ તૂટી ગયો હતો. ઘટનાની વાત કરવામાં આવે તો મૌલિક ઠક્કર પોતાની પત્ની સાથે વારંવાર મારઝૂડ કરતો હતો. જેના કારણે તેની પત્નીએ પોતાના ભાઈ સુધીરને જાણ કરી હતી.

બહેનને લેવા માટે પહોંચેલા સુધીર અને મૌલિક વચ્ચે પહેલા વિવાદ થયો હતો અને પછી મામલો વધારે ઉગ્ર બન્યો હતો. ગુસ્સામાં આવેલા બનેવી મૌલિકે રિવોલ્વર કાઢી સાળા પર ફાયરિંગ કર્યું હતું. ઘટના થતાં જ આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને સાળા સુધીરને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલમાં તેના સ્વાસ્થ્ય અંગે કોઈ જાણકારી આપવામાં આવી નથી.

આ મામલે બોડકદેવ પોલીસે મૌલિક ઠક્કર સાથે જીતુ ઠક્કર નામના અન્ય એક યુવક વિરુદ્ધ હત્યાના પ્રયાસ સહિતની વિવિધ ધારાઓ અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસે ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કર્યા છે અને આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી લેવા માટે કાર્યવાહી શરૂ કરી છે. આ બનાવને પગલે થલતેજ વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...

અંબાજી શક્તિપીઠમાં ઈતિહાસ બદલાયો: હવે આઠમની મહાપૂજાના દર્શન તમામ ભક્તો કરી શકશે!

અંબાજી : શક્તિપીઠ અંબાજી મંદિરને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અંબાજી મંદિર સ્થાપના બાદનો અત્યાર સુધીનો સૌથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે....