Wednesday, March 11, 2026

અમદાવાદમાં કૌટુંબિક ઝગડામાં બનેવીએ સાળા પર ગોળીબાર કર્યો, વિસ્તારમાં તંગદિલીનો માહોલ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના કૌટુંબિક કંકાસમાં થયેલી માથાકૂટમાં ગોળીબાર થતાં સનસનાટી મચી ગઈ છે. તેમા પણ એક કે બે નહીં પણ ત્રણ રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ આખી સનસનાટીભરી ઘટના અમદાવાદના થલતેજ વિસ્તારમાં બની છે, આ ઘટનામાં કંકાસએ ગંભીર સ્વરૂપ ધારણ કરતાં બનેવીએ બહેનને લેવા આવેલા સગા સાળા પર ફાયરિંગ કર્યું હતું.ગંભીર રીતે ઘાયલ થયેલા સુધીરને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે પોલીસે તપાસ અને કાર્યવાહી હાથ ધરી દીધી છે, જ્યારે ફાયરિંગના બનાવને કારણે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, પતિ મૌલિક પત્નીને નિયમિત રીતે માર મારતો હતો, જેના કારણે કંટાળીને પત્નીએ આ અંગેની જાણ પોતાના ભાઈ સુધીરને કરી હતી. પરિણામે, ભાઈ તેની બહેનને સાસરીમાંથી પોતાના ઘરે પાછી લઈ જવા માટે થલતેજ પહોંચ્યો હતો, તેના પછી સાળા અને બનેવી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને બનેવીએ આવેશમાં આવીને સાળા પર ગોળીઓ ચલાવતા ફાયરિંગ કર્યુ હતું.ફાયરિંગ દરમિયાન એક ગોળી સુધીરની ગાડીના કાચ પર અથડાતા કાચ તૂટી ગયો હતો. ઘટનાની વાત કરવામાં આવે તો મૌલિક ઠક્કર પોતાની પત્ની સાથે વારંવાર મારઝૂડ કરતો હતો. જેના કારણે તેની પત્નીએ પોતાના ભાઈ સુધીરને જાણ કરી હતી.

બહેનને લેવા માટે પહોંચેલા સુધીર અને મૌલિક વચ્ચે પહેલા વિવાદ થયો હતો અને પછી મામલો વધારે ઉગ્ર બન્યો હતો. ગુસ્સામાં આવેલા બનેવી મૌલિકે રિવોલ્વર કાઢી સાળા પર ફાયરિંગ કર્યું હતું. ઘટના થતાં જ આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને સાળા સુધીરને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલમાં તેના સ્વાસ્થ્ય અંગે કોઈ જાણકારી આપવામાં આવી નથી.

આ મામલે બોડકદેવ પોલીસે મૌલિક ઠક્કર સાથે જીતુ ઠક્કર નામના અન્ય એક યુવક વિરુદ્ધ હત્યાના પ્રયાસ સહિતની વિવિધ ધારાઓ અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસે ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કર્યા છે અને આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી લેવા માટે કાર્યવાહી શરૂ કરી છે. આ બનાવને પગલે થલતેજ વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...