Thursday, January 22, 2026

અમદાવાદમાં વ્યાજખોરોનો આતંક, પૈસા ચૂકવ્યા પછી પણ ધમકી, ‘ઘર ખાલી કરો અથવા દીકરાને ગુમાવો’

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં વ્યાજખોરોના આંતકનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક પરિવારે વ્યાજે લીધેલા નાણાં વ્યાજ સહિત પરત કરી દીધા હોવા છતાં, વ્યાજખોરો દ્વારા પરિવારને વધુ રકમની માગણી કરીને હેરાન કરવામાં આવી રહ્યો હતો. આ વ્યાજખોરોએ શરૂઆતમાં જ 12 કોરા ચેક પર સહી કરાવી લીધી હતી અને એટલું જ નહીં, પરંતુ ડરાવી ધમકાવીને પરિવારનું રહેણાંક મકાન પણ પોતાના નામે લખાવી દીધું હોવાનો ગંભીર આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેરના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. અમદાવાદના મોટેરામાં રહેતા અને હિન્દી અને ગુજરાતી ગીત બનાવતા મ્યુઝિક પ્રોડ્યુસર અને સંગીતકાર મીતેશભાઈ બારોટ છ જેટલા લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદની વિગતો અનુસાર 2016માં તેઓ આરોપીઓના સંપર્કમાં આવ્યા હતા. આરોપીઓ સંગીત સાથે સંકળાયેલા હોવાથી તેઓ સંપર્કમાં આવ્યા હતા. આ દરમિયાન તેઓ ફાઇનાન્સનો ધંધો કરતાં હોવાનું જણાવ્યું હતું અને જરૂર હોય તો વ્યાજે પૈસા આપતા હોવાનું જણાવ્યું હતું.

ત્યારબાદ ફરિયાદની યુટ્યુબ ચેનલમાં ખોટ જતાં તેમણે કરણ ઉર્ફે અનુજ ધીરજભાઈ દેસાઇ પાસેથી 5 લાખ રૂપિયા 10 દિવસના 10 ટકા વ્યાજ લેખે વ્યાજે લીધા હતા. અને આરોપીએ કોરા ચેક પર સહી કરાવી લીધી હતી. જો કે બાદમાં ફરિયાદીએ પૈસા ચૂકવી દીધા હતા. તેના વ્યાજના પૈસા ચૂકવી દીધા હતા તેમ છતાં આરોપીએ ફરિયાદી પાસેથી ફોન પર 45 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જો કે ફરિયાદીએ ના કહેતા આરોપીએ ધમકી આપી હતી. આ ઉપરાંત તેમણે અન્ય પાંચ જેટલા લોકો પાસેથી પણ વ્યાજે લીધા હતા.

આ દરમિયાન પણ વ્યાજખોરો પૈસાની માંગણી કરતા હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે, ફરિયાદીએ જણાવ્યું છે કે આરોપીઓ તેમના પત્ની અને બહેનને ફોન કરીને ગાળો આપતા હતા તેમજ પૈસા ભરવા અથવા ઘર ખાલી કરી દેવાની ધમકી આપતા હતા. જો કે અંતે તેમના દીકરાને ઉપાડી જઈને મારી નાખવાની ધમકી આપી હતી. અંતે ફરિયાદીએ અનુજ ઉર્ફે કરણભાઈ દેસાઇ, વિશાલભાઈ દેસાઇ, જિગરભાઈ દેસાઇ, નિખિલભાઈ દેસાઇ, ઇશ્વરભાઇ દેસાઇ અને ભાવેશભાઈ દેસાઇ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...