Tuesday, October 14, 2025

અમદાવાદમાં વ્યાજખોરોનો આતંક, પૈસા ચૂકવ્યા પછી પણ ધમકી, ‘ઘર ખાલી કરો અથવા દીકરાને ગુમાવો’

Share

અમદાવાદ : અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં વ્યાજખોરોના આંતકનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક પરિવારે વ્યાજે લીધેલા નાણાં વ્યાજ સહિત પરત કરી દીધા હોવા છતાં, વ્યાજખોરો દ્વારા પરિવારને વધુ રકમની માગણી કરીને હેરાન કરવામાં આવી રહ્યો હતો. આ વ્યાજખોરોએ શરૂઆતમાં જ 12 કોરા ચેક પર સહી કરાવી લીધી હતી અને એટલું જ નહીં, પરંતુ ડરાવી ધમકાવીને પરિવારનું રહેણાંક મકાન પણ પોતાના નામે લખાવી દીધું હોવાનો ગંભીર આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેરના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. અમદાવાદના મોટેરામાં રહેતા અને હિન્દી અને ગુજરાતી ગીત બનાવતા મ્યુઝિક પ્રોડ્યુસર અને સંગીતકાર મીતેશભાઈ બારોટ છ જેટલા લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદની વિગતો અનુસાર 2016માં તેઓ આરોપીઓના સંપર્કમાં આવ્યા હતા. આરોપીઓ સંગીત સાથે સંકળાયેલા હોવાથી તેઓ સંપર્કમાં આવ્યા હતા. આ દરમિયાન તેઓ ફાઇનાન્સનો ધંધો કરતાં હોવાનું જણાવ્યું હતું અને જરૂર હોય તો વ્યાજે પૈસા આપતા હોવાનું જણાવ્યું હતું.

ત્યારબાદ ફરિયાદની યુટ્યુબ ચેનલમાં ખોટ જતાં તેમણે કરણ ઉર્ફે અનુજ ધીરજભાઈ દેસાઇ પાસેથી 5 લાખ રૂપિયા 10 દિવસના 10 ટકા વ્યાજ લેખે વ્યાજે લીધા હતા. અને આરોપીએ કોરા ચેક પર સહી કરાવી લીધી હતી. જો કે બાદમાં ફરિયાદીએ પૈસા ચૂકવી દીધા હતા. તેના વ્યાજના પૈસા ચૂકવી દીધા હતા તેમ છતાં આરોપીએ ફરિયાદી પાસેથી ફોન પર 45 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જો કે ફરિયાદીએ ના કહેતા આરોપીએ ધમકી આપી હતી. આ ઉપરાંત તેમણે અન્ય પાંચ જેટલા લોકો પાસેથી પણ વ્યાજે લીધા હતા.

આ દરમિયાન પણ વ્યાજખોરો પૈસાની માંગણી કરતા હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે, ફરિયાદીએ જણાવ્યું છે કે આરોપીઓ તેમના પત્ની અને બહેનને ફોન કરીને ગાળો આપતા હતા તેમજ પૈસા ભરવા અથવા ઘર ખાલી કરી દેવાની ધમકી આપતા હતા. જો કે અંતે તેમના દીકરાને ઉપાડી જઈને મારી નાખવાની ધમકી આપી હતી. અંતે ફરિયાદીએ અનુજ ઉર્ફે કરણભાઈ દેસાઇ, વિશાલભાઈ દેસાઇ, જિગરભાઈ દેસાઇ, નિખિલભાઈ દેસાઇ, ઇશ્વરભાઇ દેસાઇ અને ભાવેશભાઈ દેસાઇ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

દિવાળીના તહેવારોમાં એસ.ટી.ના મુસાફરોને રાહત, CM એ નવી 201 બસોને બતાવી લીલી ઝંડી

ગાંધીનગર : ગુજરાતમાં દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે એસ.ટી.બસનો ઉપયોગ કરતા પ્રવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...

ગુજરાત પોલીસને ‘હાઈટેક’ સફળતા : આ સિસ્ટમથી 9 મહિનામાં 80 ગંભીર ગુનાના ભેદ ઉકેલ્યા

ગાંધીનગર : રાજ્યમાં વધતા ગુનાઓના ઉકેલ માટે પોલીસ પ્રશાસન આધુનિક ટેક્નોલોજી નો મહત્તમ ઉપયોગ કરી રહી છે, જેમાં આ વર્ષે નવ મહિનામાં 80 જેટલા...

વિદ્યાર્થીઓ આનંદો ! દિવાળી વેકેશન 21 દિવસનું રહેશે, કઈ તારીખથી થશે શરૂ અને ક્યારે થશે પૂરું?

ગાંધીનગર : રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે 21 દિવસના દિવાળી વેકેશનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ...

અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

ગાંધીનગર : ગાંધીનગરના સેક્ટર-24ના મંડળ સ્ટાફ ક્વાર્ટરમાંથી અમદાવાદના શાહીબાગ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી રિંકલ વણઝારા નામની મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળ્યો છે. પોલીસે...

દિવાળીના તહેવારોને લઇ ખુશખબર, એસ.ટી નિગમ 2600 એકસ્ટ્રા બસો દોડાવશે, 5 લાખથી વધુ મુસાફરોને લાભ મળશે

ગાંધીનગર : આગામી દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)એ મુસાફરોની વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં 2600થી વધુ એક્સ્ટ્રા બસોનું...

ફેમસ યુનાઈટેડ વે માં ગરબામાં જાહેરમાં કિસ કરનાર NRI કપલે લેખિતમાં માફી માગી

વડોદરા : તાજેતરમાં વડોદરોના ફેમસ યુનાઈટેડ વે માં નવરાત્રીની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાથી આવેલા કપલે કિસ કરી હતી. જેનો વીડિયો વાયરલ થયો હતો. એક અહેવાલ મુજબ,...

બેજવાબદાર ‘સરકારી બાબુઓ’ વિરુદ્ધ લાલ આંખ : ફોન ઉપાડવા માટે સરકારે પરિપત્ર કરવો પડ્યો

ગાંધીનગર : એકબાજુ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તો કથળી જ ચુકી છે. ત્યારે બીજી બાજુ રાજ્ય સરકારે પોતાની ફરજ પ્રત્યે બેજવાબદાર રહેતા સરકારી...

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...