Friday, October 3, 2025

શક્તિની ભક્તિનો પ્રસંગ નવરાત્રી બની ગઈ લૂંટફાટનો ધંધો, આયોજકો સામે કડક કાર્યવાહી થશે?

Share

અમદાવાદ : નવરાત્રી એટલે શક્તિની ભક્તિનો પ્રસંગ, પરંપરાગત નૃત્ય સંસ્કૃતિનો તહેવાર છે. પરંતુ ભીડ ભેગી કરવા અને વધુ નફો કમાવા માટે ઘણા લોકોએ આ તહેવારને ખેલૈયાઓને લૂંટવાનો ગોરખધંધો શરૂ કરી દીધો હતો. ઊંચી એન્ટ્રી ફીથી લઈને અતિશય ખર્ચાળ ખાણીપાણીએ ખેલૈયાઓનો આનંદ ઝાંખો કરી દીધો છે. જ્યારે બીજી બાજુ ખેલૈયા પણ આયોજકોની આ ચાલને જાણતા હોવા જતા મજા માણવા માટે ન છુટકે આ ખર્ચો કરે છે અને આયોજકોની ચાલનો શિકાર બને છે.

એક ચર્ચા મુજબ, અમદાવાદમાં આ વર્ષે ગરબા પાસની કિંમત 3,500 રૂપિયા સુધી પહોંચી ગઈ, જ્યારે બહાર 20 રૂપિયામાં મળતી પાણીની બોટલ પાર્ટી પ્લોટમાં અંદર 100 રૂપિયામાં વેચાઈ રહી હતી. એક પ્લેટ મેગી કે સમોસા, જે સામાન્ય રીતે સસ્તું હોય, તેની કિંમત ત્રણથી ચાર ગણી રાખવામાં આવી હતી. ત્યારે પાર્કિગને લગતી સમસ્યાતો અલગ જ હતી. ખેલૈયાઓને વાહનોને ગરબા ગ્રાઉન્ડથી લગભગ એક કિલોમીટર દૂર પાર્ક પડી રહ્યા હતા. જેના અલગથી 100-200 રૂપિયાની ચાર્જ ચૂકવવો પડી રહ્યો હતો. કેટલાક મેદાનોમાં ખેલૈયાઓને થીમ પ્રમાણે રંગીન પોશાક 1,000 રૂપિયામાં ભાડે આપવામાં આવી રહ્યા હતા.

અમદાવાદમાં આ વર્ષે એવા ગરબા ગ્રાઉન્ડ જોવા મળ્યા કે, જ્યારે કેપેસિટીથી વધુ પ્રમાણમાં લોકોનો જમાવડો જોવા મળ્યો. કેમ કે જરૂરીયાત કરતા વધુ પ્રમાણમાં પાસ વેચવામાં આવ્યા હતા. આયોજકોએ પૈસાની લાલચમાં જરૂરિયાતથી વધુ પાસ વેચી દીધા, જેના કારણે મેદાનો ખીચોખીચ ભરાઈ ગયા. ઘણા ખેલૈયાઓએ ગરબાની મજા લેવાને બદલે ભીડમાં ધક્કામુક્કીનો અનુભવ કર્યો.અનેક વિસ્તારોમાં પાર્ટી પ્લોટની આજુબાજુમાં આવેલ સોસાયટી કે રહેણાંક વિસ્તારોમાં લોકો સામસામે આવી ગયા. શહેરની આસપાસના 100થી વધુ પાર્ટી પ્લોટ અને ફાર્મહાઉસમાં યોજાયેલા આ ગરબાઓએ એકબીજાને ટક્કર આપવા માટે જાણે નફાખોરીની હરીફાઈ કરી હતી.

આયોજકોની લાલચ એટલી હદે વધી કે કેટલાક મેદાનોમાં GST દરોડા પડ્યા, કારણ કે તેઓએ ખોટા હિસાબો રજૂ કર્યા હતા. નવરાત્રિ 2025 પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ સવાલ એ છે કે શું આગામી વર્ષે આવા આયોજકો સામે કડક કાર્યવાહી થશે? કે પછી શું ખેલૈયાઓ ગરબાની મજા માણવા માટે ફરી ઊંચી કિંમતો ચૂકવી પડશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

ગાંધીનગર : ગાંધીનગરના સેક્ટર-24ના મંડળ સ્ટાફ ક્વાર્ટરમાંથી અમદાવાદના શાહીબાગ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી રિંકલ વણઝારા નામની મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળ્યો છે. પોલીસે...

દિવાળીના તહેવારોને લઇ ખુશખબર, એસ.ટી નિગમ 2600 એકસ્ટ્રા બસો દોડાવશે, 5 લાખથી વધુ મુસાફરોને લાભ મળશે

ગાંધીનગર : આગામી દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)એ મુસાફરોની વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં 2600થી વધુ એક્સ્ટ્રા બસોનું...

ફેમસ યુનાઈટેડ વે માં ગરબામાં જાહેરમાં કિસ કરનાર NRI કપલે લેખિતમાં માફી માગી

વડોદરા : તાજેતરમાં વડોદરોના ફેમસ યુનાઈટેડ વે માં નવરાત્રીની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાથી આવેલા કપલે કિસ કરી હતી. જેનો વીડિયો વાયરલ થયો હતો. એક અહેવાલ મુજબ,...

બેજવાબદાર ‘સરકારી બાબુઓ’ વિરુદ્ધ લાલ આંખ : ફોન ઉપાડવા માટે સરકારે પરિપત્ર કરવો પડ્યો

ગાંધીનગર : એકબાજુ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તો કથળી જ ચુકી છે. ત્યારે બીજી બાજુ રાજ્ય સરકારે પોતાની ફરજ પ્રત્યે બેજવાબદાર રહેતા સરકારી...

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...