Tuesday, January 13, 2026

અમદાવાદની પીરાણા ડમ્પિંગ સાઈટમાં સુનામી જેવું દૃશ્ય : ફેક્ટરીઓ-વાહનોને ભારે નુકસાન

spot_img
Share

અમદાવાદ : શહેરના પીરાણામાં ભયંકર દૃશ્ય સામે આવ્યું હતું. ડમ્પિંગ સાઈટના પાણી અને કચરાનું સુનામી જેવું વહેણ આવતાં ફેક્ટરીઓ-વાહનોમાં ભારે નુકસાન પહોંચ્યું હતું. લોકો જીવ બચાવવા નાસી છૂટ્યા હતા. આ અંગેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, 1 ઓક્ટોબર 2025ના રોજ બપોરના સમયે પીરાણા ડમ્પિંગ સાઈડની આસપાસમાં આવેલી ફેક્ટરીઓમાં કચરાના ઢગલા સાથે દરિયાના મોજાની જેમ પાણી આવતું હોય તેવી રીતે પાણી ફેક્ટરીઓની આસપાસ ફરી વળ્યા હતા. પાણી ઉપરથી નીચે પડ્યું જેથી આસપાસમાં રહેલા કૂતરાઓમાં પણ દોડધામ મચી ગઈ હતી. ફેક્ટરીઓની બહાર પાર્ક કરેલા વાહનો પણ પાણીમાં ડૂબી ગયા હતા. કચરા સાથે કાળાકલરનું પાણી ફેક્ટરીઓની આસપાસ ફરી વળતાં ખૂબ મોટી સંખ્યામાં નુકસાન થયું હતું.

પીરાણા ડમ્પિંગ સાઈડ પર બહેરામપુરા સિકંદર માર્કેટ તરફ અજમેરી સાઇટ તરફનો ઢગલા પાસેથી ખૂબ મોટા પ્રમાણમાં પાણી બહાર આવ્યું હતું, જેના કારણે આસપાસમાં આવેલી ફેક્ટરીઓમાં પાણી ઘૂસી ગયા હતા. પાણી સાથે કચરો આવવાના કારણે મોટી સંખ્યામાં વાહનો અને ફેક્ટરીઓમાં પણ નુકસાન થયું હતું. સ્થાનિકે કેમિકલ યુક્ત પાણી ભેગું થયું હોવાના કારણે ઢગલો ઢસી પડતાં દરિયાના મોજાના લહેરની જેમ આજુબાજુમાં પાણી-કચરો ફરી વળ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો.

સૂત્રોએ જણાવ્યું કે, જે પાણી કચરાના ઢગલા સાથે આવ્યું છે, તેના સેમ્પલ લઇ અને કાર્યવાહી કરવામાં આવશે. પીરાણા ડમ્પિંગ સાઈટની આસપાસ આવેલી ફેક્ટરીઓમાં તપાસ કરી અને સિલિંગની કાર્યવાહી કરવામાં આવી હતી. રાત્રે કેમિકલ વાળું પાણી છોડવામાં આવતું હોય તો ચોક્કસથી રાત્રે રાઉન્ડ લઈ કાર્યવાહી કરવામાં આવશે. કેમિકલ યુક્ત અથવા અન્ય કોઈ પાણી બહાર ન આવે તેના માટે ચોક્કસથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રયાસ કરવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...

અંબાજી શક્તિપીઠમાં ઈતિહાસ બદલાયો: હવે આઠમની મહાપૂજાના દર્શન તમામ ભક્તો કરી શકશે!

અંબાજી : શક્તિપીઠ અંબાજી મંદિરને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અંબાજી મંદિર સ્થાપના બાદનો અત્યાર સુધીનો સૌથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે....