Thursday, January 15, 2026

અમદાવાદીઓ મફત પિઝા ખાવા માટે ઘેલા થયા, રાશન કાર્ડ જેવી લાંબી લાઈનો લાગી

spot_img
Share

અમદાવાદ : અમદાવાદીઓ મફત પિઝા લેવા માટે ઘેલા થયા છે, અમદાવાદમાં મફત પિઝા ખાવા માટે લાઈનો લાગી છે, મફત પિઝાની સ્કીમ જોઈને લોકો પિઝા લેવા માટે રાશન કાર્ડની લાઈન લાગી હોય તેમ ઉમટી પડયા હતા, ત્યારે રવિવારે મફત પિઝા ખાવા માટે લોકોની લાઈનો પડી હતી. ભીડ એટલી હદે વધી છે કે, પોલીસ આવી પહોંચી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના પ્રહલાદ નગર વિસ્તારમાં એક ખાનગી પિઝા આઉટલેટ દ્વારા રવિવારે મફત પિઝાની જાહેરાત કરવામાં આવી હતી. મફત પિઝા અંગેના મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યા હતા. જેને કારણે રવિવારે મોટી સંખ્યામાં પિઝા આઉટલેટ પર ફ્રી પિઝા લેવા માટે લોકો પહોંચી ગયા હતા. પિઝા શોપના માલિકે 2 કલાકમાં 1500 પિઝા આપવાની જાહેરાત કરી હતી જેને લઈ લોકો લાઈનમાં ઉમટી પડયા હતા, બપોરે 12 થી 2 વાગ્યા સુધી મફત પિઝાનું વિતરણ કરવામાં આવ્યું હતુ, અને એક કલાકમાં મફત પિઝાનો ટાર્ગેટ વેપારીને પૂર્ણ થયો હતો, શહેરના અલગ-અલગ વિસ્તારમાંથી લોકો પિઝા લેવા ઉમટી પડયા હતા.

પિઝા એ નાના બાળકોથી લઈને મોટા લોકોને અતિપ્રિય હોય છે અને આજે રવિવાર એટલે રજાનો દિવસ, કોને એવું ના થાય કે લાવો પિઝા ખાઈએ એ પણ મફતના, ત્યારે પ્રહલાદનગરમાં એક આઉટલેટના ઓપનિંગ વખતે અને આઉટલેટની જાહેરાત કરવાના લીધે પિઝા મફતમાં આપવાની સ્કીમ રાખી હતી અને લોકો દૂર દૂરથી પિઝા લેવા માટે ઉમટી પડયા હતા. ત્યારે મફતમાં પિઝા ખાવા કોને ના ગમે, તો ભીડ જોઈને પોલીસની ટીમ પણ પહોંચી હતી. એક વ્યકિતને પિઝાનું એક બોકસ આપવમાં આવતું હોવાની વાત સામે આવી છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...