Sunday, January 25, 2026

અમદાવાદીઓને મફતમાં પીઝા આપનાર આઉટલેટ કરાયું સીલ, સફાઈ નિયમોના ઉલ્લંઘન બદલ..

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં આવેલ એક લોકપ્રિય પિઝા આઉટલેટને રવિવારે મફત પિઝાની ઓફર પછી લોકોએ ભારે ભીડ કરીને બહાર જાહેરમાં કચરો ફેંક્યો હતો. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો અને તસવીરો બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ તાત્કાલિક કાર્યવાહી કરતા આ આઉટલેટને સીલ માર્યું છે. આ ઘટનાએ નાગરિક જવાબદારી અને પર્યાવરણ જાગૃતિ અંગે ચર્ચા જગાવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના પ્રહલાદનગર વિસ્તારમાં વિનસ કોમ્પ્લેક્સમાં માર્ટિનોઝ પીઝા આઉટલેટ માલિક દ્વારા રવિવારે લોકોને મફતમાં પીઝા આપવા અંગેની જાહેરાત કરવામાં આવી હતી જેથી 1,000થી વધારે લોકો આ પીઝા લેવા માટે રવિવારે પહોંચ્યા હતા. રવિવારે પીઝા આપવાની જાહેરાત બાદ રોડ ઉપર ત્યાં કચરો થયો હતો. કોમ્પલેક્ષની આગળના ભાગે પીઝા આઉટલેટ દ્વારા કચરો નાખી દેવામાં આવ્યો હતો. જાહેર રોડ ઉપર કચરો ન ફેંકવા અને ડસ્ટબીન રાખવાની સૂચના છતાં પણ આઉટલેટ દ્વારા બહાર રોડ ઉપર કચરો ફેંકી દેવામાં આવ્યો હતો. જેથી, દક્ષિણ-પશ્ચિમ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ જ્યારે ત્યાં તપાસ માટે ગઈ તો કચરો બહારના ભાગે પડ્યો હોવાથી તાત્કાલિક ધોરણે તેને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી છે.

અમદાવાદ શહેરને સૌથી સ્વચ્છ શહેર તરીકેનું સ્થાન મળ્યું છે પરંતુ, કેટલાક લોકો દ્વારા જાહેર રોડ ઉપર કચરો ફેંકવામાં આવે છે. માર્ટિનોઝ પીઝા આઉટલેટની બેદરકારી સામે આવતા કોર્પોરેશનની ટીમે કડક કાર્યવાહી કરી અને સીલ મારી દેવામાં આવ્યું છે. હવે જાહેર રોડ પર કોઈપણ વેપારી કે લારી-ગલ્લાવાળા અને પાથરણાવાળા જુઓ કચરો ફેંકશે અથવા તો ડસ્ટબીન નહીં રાખે તો તેમની વિરુદ્ધ પણ કાર્યવાહી કરી અને તેમના માલ-સામાન જપ્ત કરવાની કાર્યવાહી કરશે. જેથી, હવે દરેક વેપારીએ ડસ્ટબીન રાખવા પડશે અને રોડ ઉપર કચરો ફેકશે તો દંડથી લઈને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...