Wednesday, January 21, 2026

અમદાવાદની આ સ્કૂલ વિવાદમાં : વિદ્યાર્થિનીઓને સ્કર્ટ નીચે લેંગિન્સ નહીં પહેરવાની ફરજ પાડી

spot_img
Share

અમદાવાદ : મેટ્રોસિટી અમદાવાદની ફરી એક શાળા વિવાદમાં આવી છે. અહેવાલો મુજબ, શહેરના બોપલ વિસ્તારમાં આવેલી સત્યમેવ જયતે ઈન્ટરનેશનલ સ્કૂલ વિવાદમાં આવી છે. જેમાં શાળાની વિદ્યાર્થીનિઓને સ્કર્ટ નીચે લેગિંસ નહિ પહેરવાને લઈ વિદ્યાર્થીઓના વાલીઓએ શાળા બહાર વિરોધ નોંધાવ્યો હતો. વાલીઓના જણાવ્યા પ્રમાણે શોર્ટ સ્કર્ટ નીચે લેગિંસ પહેરે તો સ્કૂલ તરફથી પનિશમેન્ટ અપાતી હોવાનો આક્ષેપ મૂક્યો હતો.

અહેવાલો મુજબ, અમદાવાદની બોપલ સત્યમેવ જયતે ઇન્ટરનેશનલ સ્કૂલ વિવાદમાં આવી છે. સ્કૂલમાં વિદ્યાર્થિનીઓને સ્કર્ટ નીચે લેંગિન્સ નહીં પહેરવાની ફરજ પાડતી હોવાનો આક્ષેપ વાલીઓએ કર્યો છે. વાલીઓનો આક્ષેપ કે, “સ્કૂલ દ્વારા વિદ્યાર્થિનીઓને સૂચના આપવામાં આવી છે. વાલીઓનો આરોપ છે કે, પ્રિન્સિપાલ રોજ વિદ્યાર્થીઓને રોકે છે. સ્કૂલમાં મચ્છર પણ છે વિદ્યાર્થીનીઓને ન કરડે એટલે અમે લેંગિન્સ પહેરાવીએ છીએ. વાલીઓએ આરોપ લગાવ્યો કે મેઈલ પ્રિન્સિપાલ વિદ્યાર્થીનીઓને જવા દે, જ્યારે મહિલા પ્રિન્સિપાલ વિદ્યાર્થીનીઓને ઊભા રાખે છે.

આ તરફ હવે યુનિફોર્મ સ્કૂલ માટે પ્રાથમિકતા હોવાની પ્રિન્સિપાલની વાલીઓ સામે ડંફાશ કરતાં મામલો ગરમાયો છે. અહેવાલો મુજબ, વિવાદ વકરતા પ્રિન્સિપાલે કહ્યું કે, વાલીઓ લેખિતમાં આપશે તો લેગિન્સ પહેરીને આવવા દઈશું. યુનિફોર્મમાં કોઇપણ ફેરફાર માન્ય નહીં હોય. જો લેગિન્સ સાથે આવવું હોય તો વાલીઓએ તેની લેખિત મંજૂરી આપી પડશે. જોકે હવે પ્રિન્સિપાલના આ નિવેદનથી વાલીઓમાં આક્રોશ પ્રસરી ગયો છે.

આજના સમયમાં ખાસ કરીને છોકરીઓની સુરક્ષા અને આરામને ધ્યાનમાં લેતા અનેક વાલીઓએ પોતાની દીકરીઓને સ્કર્ટ સાથે લેગિન્સ પહેરાવીને સ્કૂલ મોકલવાનું પસંદ કર્યું છે. પરંતુ સ્કૂલના તંત્રએ આ પ્રકારની વ્યવહારિક સમજદારીને નકારી કાઢી છે અને વાલીઓ સામે ધમકીભર્યું વલણ અપનાવ્યું છે. જેમાં સ્કૂલ દ્વારા દીકરીઓ માટે ફરજિયાત સ્કર્ટ પહેરીને આવવાનો નિર્દેશ આપવામાં આવતા હવે આ મામલે વિવાદ ઊભો થયો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...