Friday, January 23, 2026

‘દિવાળી સાઈડ ઈફેક્ટ’ : અમદાવાદની દુકાનમાં કાજુ કતરીના બોક્સ ચોરાયા, જુઓ વાયરલ CCTV વાયરલ

spot_img
Share

અમદાવાદ : દિવાળીના તહેવાર પહેલાં અને તહેવાર દરમિયાન મીઠાઈઓનું વેચાણ વધી જાય છે, જેથી ભાવ પણ આસમાને પહોંચતા હોય છે. જોકે, દિવાળી પહેલાં મીઠાઈની ખરીદી નહીં, પરંતુ ચોરીની ઘટના સામે આવી છે. અમદાવાદમાં જાણીતી દુકાનમાંથી કાજુ કતરીના બોક્સની ચોરી થઈ હતી, જ્યારે તેના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા હતા. સમગ્ર મામલો શું છે? આવો જાણીએ.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના પાલડી સુખીપુરા ગાર્ડન ખાતે અમુલનું પાર્લર આવેલ છે. દુકાનમાલિક રાત્રે દુકાન બંધ કરીને ઘરે ગયા હતા. સવારે 6 વાગે તેમને ગાર્ડનના સિક્યુરિટી ગાર્ડે ફોન કરીને જાણ કરી હતી કે તમારી દુકાનના પાછળના ભાગે એક્ઝોસ ફેનની જાડી તોડીને કોઈ અંદર ઘૂસીને ચોરી કરી છે. જેથી બાબુલાલ પરમાર પાર્લર પર પહોંચ્યા હતા. પાર્લરમાં તમામ સામાન વેરવિખેર પડ્યો હતો અને અંદર ચોરી થઈ હતી. ચોરીની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

સીસીટીવી કેમેરામાં જોઈ શકાય છે કે, ચહેરા પર કાળું કપડું બાંધીને ચોર દુકાનમાં પ્રવેશે છે. જેમાં ચોર સૌથી પહેલા રૂપિયાનું ડ્રોવર ખોલે છે અને તેમાંથી રોકડ રકમ ગણીને પોતાના ખિસ્સામાં મૂકે છે. ત્યારબાદ તે કાજુ કતરી અને ઘીના પાઉચ ચોરી લે છે. ચોરીની આ ઘટનાને લઈને પાલડી પોલીસે ફરિયાદ નોંધી છે.

સીસીટીવી ફૂટેજના આધારે પાલડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે મીડિયાને જણાવ્યું કે તહેવારોના દિવસો દરમિયાન લોકો બહાર ફરવા જાય છે. એવામાં ચોરીની ઘટનાઓ વધી જાય છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...